આપણી આસપાસ એવી અનેક ઘટનાઓ બને છે, આપણા જ જીવનમાં પણ બને છે જેમાં આપણે વિસંવાદિતા, વિષાદ, વ્યગ્રતા કે અસમર્થતા અને અસફળતા અનુભવીએ છીએ. સામાન્ય સંજોગોમાં કોઈપણ માણસને આવી લાગણી અનુભવવી ગમે જ નહીં, છતાં આવી પરિસ્થિતિ સર્જાય, કોઈ ઘટના બને ત્યારે આપણને થાય કે આવું કેમ? આપણે સામાન્ય માણસરૂપે એન્ગ્ઝાઈટી અનુભવીએ, ડિસ્ટર્બ થઈ જઈએ, ઘણી વાર ઉતાવળિયા થઈ જઈએ, પછી ન બોલવાના શબ્દો બોલાઈ જાય, ન થવાની વર્તણૂંક થઈ જાય અને સરવાળે અસર એ થાય કે આપણા માનવીય સંબંધોમાં બ્રેકઅપ આવે, મળતી સફળતામાં પણ બ્રેક લાગે, આપણે જ આપણી જાત પ્રત્યે ગિલ્ટી ફીલ કરીએ, સ્વઅપરાધ ભાવના આપણને પીડે. મન અને શરીર આ બંને પર એની અસર પડે. એના કારણો કયા હોઈ શકે? થોડો અભ્યાસ કરીએ તો ઘણા બધા સામાન્ય તારણો મળી શકે છે, જેના કારણે આવી સ્થિતિ સર્જાતી હોય છે. એક મહત્ત્વનું કારણ તે માણસનો પોતાનો સ્વભાવ હોય છે.
અજવાળું અજવાળું
Block: Site: Subtree Block
‘મધુર કંઠ ધરાવતા આ ઉમદા કલાકારને કડવા કારેલાં બહુ ભાવતા છતાં એમના સ્વભાવમાં ક્યારેય કડવાટ આવી નથી.’ - સંગીતકાર ઓ.પી. નૈયર. રાયપુરમાં અમારો કાર્યક્રમ હતો. ઘણા કલાકારો હતા. મુખ્ય આકર્ષણ એક ગાયકનું હતું. તેમણે ખૂબ ગીતો ગાયા, વાદકો પણ થાક્યા, એ ગાયકે હાર્મોનિયમ હાથમાં લીધું. વાદકો સામે જોઈને ગાયું કે ‘અહેસાન મેરે દિલ પે...’ વાદકો અને ઓડિયન્સ નાચી ઊઠ્યા. એ ગાયક એટલે હિન્દી સિનેમાના મહાન પાર્શ્વગાયક મોહમ્મદ રફી. આ મહાન ગાયકે ભારતની અન્ય પ્રાદેશિક ભાષાઓમાં પણ ગીતો ગાયા. ગુજરાતી ભાષાના ઘણા અમર ગીતો યાદ આવે જ્યારે મોહમમ્મદ રફીનું સ્મરણ થાય.
બે દાયકા થયા, આ ભૂમિ પર ફરી એકવાર આવવાનું થયું. બ્રિટનમાં આવેલું સ્ટ્રેટફોર્ડ અપોન એવોન ગામ, જે વિશ્વપ્રસિદ્ધ સાહિત્યકાર વિલિયમ શેક્સપીયરના ગામ તરીકે ઓળખાય છે. મલ્ટિલેવલ પાર્કિંગમાં દીપક જોષીએ ગાડી પાર્ક કરી અને હું ને મનીષા આવી પહોંચ્યા એક એવી ભૂમિ પર જ્યાંથી માનવમનની લાગણીઓ અને સંવેદનાઓ સાહિત્ય સ્વરૂપે સમગ્ર વિશ્વ સુધી પહોંચી છે. બંને બાજુ મકાનો અને વચ્ચે ચાલવાનું. ડાબી બાજુએ જ આવે શેક્સપીયરનું ઘર, જે હવે મ્યુઝિયમ રૂપે સચવાયું છે. આ ઘરમાં શેક્સપીયરની સંવેદના-સર્જનો-સ્મરણો જાણે સચવાયા છે.
યુકે, યુનાઈડેટ કિંગ્ડમ, અનેકવિધ વૈવિધ્યતાથી ભરપૂર દેશ, દાયકાઓની પોતાની સંસ્કૃતિથી સાચવીને બેઠેલો દેશ, રમતગમત અને સાહિત્યથી ધબકતો દેશ, ફૂટબોલ – રગ્બી - ક્રિકેટ – ગોલ્ફ જેવી રમતોનો આરંભ જ્યાં થયો એ દેશ.
‘સોરી, આ વખતે તમને અને મહેમાનોને ઘરમાં નહીં સાચવી શકું કારણ કે ઘરમાં કલરકામ હજી કાલે જ પૂરું થયું છે.’ આ વાત ધનબાઈએ કહેતાં તો એમના ભાભીને કહી દીધી પરંતુ પછી રાત્રે એમને વિચાર આવ્યો કે મારા ઘરે અતિથિને મેં ક્યારેય ના પાડી નથી તો આ વખતે કેમ? એમણે સવારે એમના પતિ રમેશને વાત કરી. નિવૃત્ત જીવન માણી રહેલા બંનેએ બે દિવસમાં ઘરની સફાઈ કરી નાંખી અને ફરી ફોન કરીને કહ્યું કે ‘હવે બધી વ્યવસ્થા થઈ જશે, અહીં જ રોકાજો.’
એક અનુભૂતિ કાયમ રહી છે. જે ક્ષેત્રમાં કામ કરતા હોઈએ એ ક્ષેત્રની વિગતો, આંકડાકીય માહિતી, સંદર્ભો અને એવું એવું ઘણું જે જે તે સમયે યાદ રાખ્યું હોય તે ફરી યાદ કરીએ તો તુરંત યાદ ન પણ આવે... પરંતુ એ ક્ષણે જેમણે જેમણે આપણને જે જે શીખવ્યું હોય તે તે અને એના શીખવનાર શિક્ષકના નામ કે સ્વરૂપ આપણને તુરંત અને કાયમ યાદ રહી જાય છે.
‘બેટા, આ વખતે ખાસ્સો લાંબો સમય પસાર થઈ ગયો. ગંગાજીના દર્શન નથી કરી શક્યા. તું દિલ્હીનું કામ પૂરું કરીને પરત અમદાવાદ તારા કામે આવી જજે, અમે ત્યાંથી ત્રણેક દિવસ ઋષિકેશ જઈશું.’ દીકરી સ્તુતિને મેં કહ્યું અને એમ દિલ્હીથી ઋષિકેશ બાય રોડ અમારી યાત્રાનો આરંભ થયો.
ચારે તરફ ઊર્જા-ઉલ્લાસ, પ્રેમ-પ્રસન્નતા, ભક્તિ-ભજનનું વાતાવરણ છે, ગીત-સંગીત-નૃત્ય ત્રણેની ત્રિવેણીને કાંઠે ગુજરાતીઓ વિશ્વમાં જ્યાં પણ વસે છે ત્યાં વિશ્વના સૌથી લાંબા નૃત્ય ઉત્સવ નવરાત્રિ અને ગરબાને માણી રહ્યા છે, ગરબા રમીને ગૌરવાન્વિત થઈ રહ્યા છે એવા સમયે એક ટીનેજર દાદાને પુછે છે, ‘નવરાત્રિ પછી આવતા દશેરાના ઉત્સવનું મહત્ત્વ સમજાવો ને દાદા.’ અને દાદા થોડું ચિંતન-મનન-વાંચન કરીને, જે લોકજીવનમાં જોયું-જાણ્યું છે એના આધારે વિજ્યાદશમીનું જે વર્ણન કરે છે એમાં ઈતિહાસ છે, ધર્મ છે, અધ્યાત્મિક સંકેતો છે, રોજિંદા જીવનની ઘટનાઓ અને માનવ મનની લાગણીઓનું પ્રતિબિંબ છે.
‘બહાર બહુ ફર્યા, હવે અંદર ફરો...’ આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત યોગગુરુ શ્રી આર.જે. જાડેજાએ આ શબ્દો તાજેતરમાં ભાવનગરમાં એક મિલન ઉત્સવમાં કહ્યા હતા. કેમ કહ્યા? કોને કહ્યા? એની જાણકારી માટે હું તમને લઈ જાઉં, કલમના સથવારે છેક 1980ના વર્ષમાં.
‘હાફેશ્વર ગામ વિશે અમે ડોક્યુમેન્ટરી બનાવવા ગયા હતા, અને થયું કે પ્રકૃતિએ ચારેબાજુ અણમોલ પ્રાકૃતિક સૌંદર્ય વેર્યું છે. અહીં તો બે-ત્રણ દિવસ રહીને બધો થાક ઊતારવો જોઈએ, અને ખરેખર મોજ પડી ગઈ.’ આ શબ્દો કહ્યા ફિલ્મમેકર હસમુખભાઈએ. તેઓ વાત કરી રહ્યા હતા હાફેશ્વર ગામ અને આસપાસની પ્રાકૃતિક સુંદરતાની. અવસર હતો ભારત સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા વિજેતા ગામ હાફેશ્વરને બેસ્ટ ટુરિઝમ વિલેજ હેરિટેજ કેટેગરીનો પુરસ્કાર અર્પણ કરવાનો સમારોહ. ગાંધીનગરમાં એ દિવસે હાફેશ્વરના થોડા નગરજનો અને એ વિસ્તારના જનપ્રતિનિધિઓ આવ્યા હતા. પુરસ્કાર સ્વીકાર સમયે ગ્રામજનોના ચહેરા પર હાસ્ય હતું, ગૌરવની અનુભૂતિનો રણકાર એમની વાતમાં હતો.
