અજવાળું અજવાળું

No

Block: Site: Subtree Block

    આજકાલ લગ્નની મૌસમ ભરપૂર ચાલી રહી છે. દરેક ઘરમાં બે-ચાર લગ્નકંકોત્રી તો આવી જ હોય. લગ્નમાં જવાનું એટલે અનેકવિધિ અને કાર્યક્રમોમાં જવાનું. જેવી જેની સગવડ અને રૂચિ, તદઅનુસાર લગ્નના કાર્યક્રમો યોજાતા રહે. છેલ્લા એક–બે દાયકાથી તો હવે આખોયે લગ્ન ઉત્સવ એક ઈવેન્ટ મેનેજમેન્ટ જ બની ગયો છે. ડેસ્ટિનેશન વેડીંગનું મહત્ત્વ વધ્યું છે. લગ્ન માટે નક્કી કરાયેલા હસ્તમેળાપના સમયને પાળવાની તકેદારી બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે. એવું જ રિસેપ્શનનું છે, કેટલીયે વાર વર–વધુ જ નિયત સમયે આવ્યા ન હોય કારણ કે બ્યુટી પાર્લરમાં વધુ સમય જાય, કોઈ વળી ટ્રાફીકમાં ફસાય...

    પ્રવાસનનો પ્રેમ આપણને જીવાડે

    ‘અમે અહીં આવ્યા છીએ, પરત જઈશું તો પરિવાર માટે ગીફ્ટમાં શું લઈ જઈએ?’ સહજભાવે વાતચીતમાં એક મહિલાને પુછ્યું તો જવાબ મળ્યો કે, ‘યહાં કા કોસા સિલ્ક બહોત ફેવરિટ હૈ, વહી લે જાઈયે...’ છત્તીસગઢ રાજ્યના રાયપુરમાં છું દસ દિવસ માટે. શ્રી ઋષભદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત અંજનશલાકા મહોત્સવમાં ગાયક – સ્વરકાર અને પારિવારિક સ્વજન આશિષ મહેતા સાથે કલાકાર તરીકેની પ્રસ્તુતિનો આનંદ લઈ રહ્યો છું. સવાર–સાંજ કંઈને કંઈ વૈવિધ્યપૂર્ણ કાર્યક્રમોનું આયોજન છે. આશીષ મહેતા ઉપરાંત અભિજીત ઘોષાલ, સાધો બેન્ડ, કબીર કેફે, સિમ્ફની જેવા કલાકારો સાથે સ્ટેજ શેર કરવાનો અને એ નિમિત્તે તૈયારી કરવાનો - લેસન કરવાનો આનંદ લઈ રહ્યો છું.

    મનને કેળવીએ તો પ્રગટ થાય સાચી

    મન... બે અક્ષરનો જ એક શબ્દ, પરંતુ એનો વ્યાપ અગાધ અને એની શક્તિ અમાપ. આ મન જો ધારે તો એક વિચારમાત્રથી સર્જન પણ કરે અને વિસર્જન પણ કરે. કથા સત્સંગમાં એક ઉદાહરણ અનેકવાર સાંભળ્યું છે કે એક માણસે બીજા માણસને કહ્યું કે ‘મને બ્રિટન જવાનો વિચાર આવે છે, કેટલો ખર્ચો થાય?’ જવાબ મળ્યો કે વિચાર કરવામાં ક્યાં કશો ખર્ચ થવાનો છે?

    શિશુવિહાર એટલે સેવા - સંસ્કારસ...

    માણસના જીવનનો આધાર બાળઉછેર છે અને તેથી જ પોતાની આગવી પદ્ધતિથી સામાજિક સેવાના ભાગરૂપે શ્રી માનભાઈ ભટ્ટે ભાવનગરમાં 1939માં શિશુવિહાર સંસ્થાની સ્થાપના કરી. અહીં ઉપર લખેલા ઉદ્ગારો આ વ્યક્તિ અને સંસ્થા માટેના છે. શિશુવિહાર સંસ્થા કે માનભાઈ વિશે અહીં વાત કરવી એટલે એક ગાગર જેવડા લેખમાં સાગર સમાવવા જેવું છે. સંસ્થામાં 1939માં ક્રિડાંગણ સ્થપાયું, જ્યાં દર વર્ષે 75 હજારથી વધુ બાળકો રમવા આવે છે. રોજ સાંજ ઢળે શિશુવિહારના ક્રિડાંગણમાં ગુંજે છે બાળકોનો મધુર કલરવ.

    પુરુષોત્તમ ઉપાધ્યાય એટલે મેઘ

    ‘પપ્પાએ જે સંગીત સાધના દાયકાઓ સુધી કરી એને આવી રીતે, આટલા મોટા સ્ટેજ પરથી બિરદાવવામાં આવે અને એના અમે સાક્ષી બનીએ, એ આનંદની અનુભૂતિ શબ્દોમાં વ્યક્ત થાય એમ જ નથી!’ પુરુષોત્તમ ઉપાધ્યાયની બંને દીકરીઓ, વિરાજ અને બીજલે મને સહજ આનંદ અને ગૌરવ સાથે કહ્યું.

    ‘આ મેળામાં મ્હાલવાનો આનંદ કંઈક નોખો જ છે...’  ‘આ વિસ્તારમાં પ્રાકૃતિક અને ધાર્મિક સ્થળોમાં ભારતીય સંસ્કૃતિ સચવાઈ છે.’ ‘આ મેળો એટલે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણીનો વિવાહ ઉત્સવ...’ આવા આવા અનુભવના વાક્યો દર્શકોના હૈયેથી પ્રગટતા હતા માધવપુર ઘેડના 2023ના મેળામાં. મને પણ હમણાં બીજી વાર આ મેળામાં જવાનો અવસર મળ્યો. ઉત્તર–પૂર્વના રાજ્યોના મહાનુભાવો - મુખ્યમંત્રીઓ અને કલાકારો આવ્યા તો ગુજરાતના મુખ્યમંત્રી અને મહાનુભાવો પણ આવ્યા. રોજ રાત્રે લોકડાયરાના કાર્યક્રમોની રમઝટ જામી.

    હિંમત - સાહસ - શ્રદ્ધા સાથે કામ

    રિન્કુ સિંઘ... ક્રિકેટપ્રેમીઓ માટે પણ આ નામ તારીખ 9 એપ્રિલ રવિવારની રાત્રી સુધી અજાણ્યું હતું, અને રાતોરાત આ યુવાન હીરો થઈ ગયો. અમદાવાદમાં આઈપીએલની મેચ રમાઈ જે વાસ્તવમાં રોલરકોસ્ટર જેવી બની રહી. એ મેચમાં કુલ મળીને 411 રન નોંધાયા જે પૈકી 264 રન તો બાઉન્ડ્રી વટાવીને જ આવ્યા. ગુજરાત ટાઈટન્સ અને કોલકતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાયેલી એ મેચ મેદાનમાં કે ટીવી પર નિહાળનાર સાચ્ચે જ દિલધડક મેચના સાક્ષી બન્યા. આ મેચમાં બધાએ શ્રેષ્ઠ પ્રદાન કર્યું પણ હીરો સાબિત થયો રિન્કુ સિંઘ.

    પ્રેમ પ્રેમ હોય છે, તે સાચો કે ખ...

    You are my sunshine... આવું એક વાક્ય હમણાં એક નાનકડી દીકરીએ પહેરેલા ટી-શર્ટમાં વાંચ્યું. આનંદ થયો. સ્વાભાવિક છે કે એ દીકરી અનન્યાના માતા-પિતા અને દાદી કે નાની-નાના ને પરનાની સહુ કોઈ માટે અનન્યા સનસાઇન - સૂર્યનો ઊજાસ હોઈ શકે.

    આગોતરું આયોજન અને સમયસર અમલ થા...

    એક રવિવારે સાંજે એક ઘરે થોડા દોસ્તો જમવા ભેગા થાય છે. સહુ પારિવારિક છે એટલે અન્ય મહિલાઓએ કહ્યું કે, ‘લાવો બધા સાથે મળીને વાસણ સાફ કરી અને રસોડામાં ગોઠવી દઈએ.’ પરંતુ યજમાન સ્ત્રીએ પૂર્ણ આતિથ્યભાવથી કહ્યું કે, ‘ના, ના, કામવાળા બહેન આવે જ છે, રહેવા દો.’ ને બીજે દિવસે સવારે કામ માટે આવનાર બહેને ફોન કરી કહ્યું કે ‘આજે મારે બીમારી આવી ગઈ છે, નહિ આવું.’

    સંબંધોના જતનમાં હોંશિયારી નહ

    કવિ - લેખક – વાર્તાકાર – વક્તા એવા પ્રકારના સર્જકોને ઘણી વાર શ્રોતાઓમાંથી એવું પુછવામાં આવતું હોય છે કે તમને આટલા વિષયો - ઘટનાઓ – સંદર્ભો ક્યાંથી મળે છે?