અજવાળું અજવાળું

No

Block: Site: Subtree Block

    સંગીતના સૂરિલા અતીતમાં ડોકિય

    ‘આખીયે ફિલ્મ મ્યુઝિકલ ફિલ્મ હોય એવું જ લાગ્યું...’ બહેનપણીઓ સાથે ફિલ્મ જોઈને આવેલી દીકરી કહેતી હતી. એટલે પુછ્યું કે ગીતો કેવા લાગ્યા? તો કહે, ‘બધ્ધા જ જોરદાર..!’ વાત છે મલ્ટિસ્ટારર ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ની. કરણ જોહરની આ ફિલ્મ અમે પણ દોસ્તો સાથે રિલીઝના પહેલા જ દિવસે જોઈ હતી. એમ જ થયું કે લાંબા સમયથી કોઈ મૂવી જોઈ નથી તો જોઈ આવ્યા અને મૂવી જોઈને નિરાશ પણ ન થયા.

    કેમ્બ્રિજમાં રામકથાઃ ભારત-બ્

    ‘હું શિક્ષક હતો એમ નહીં કહું, આજે પણ શિક્ષક જ છું, શિક્ષક ક્યારેય ટાયર્ડ કે રિટાયર્ડ નથી થતો...’ રામકથામાં આવું ઘણી વાર કહેનાર પૂજ્ય મોરારિબાપુ બ્રિટનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ગોસ્વામી તુલસીદાસજીના શ્રી રામચરિત માનસનું ગાન કરી રહ્યા છે. ‘શિક્ષકને ઋષિપદ મળ્યું છે, જે રિસર્ચ કરે, રિસિવ કરે એ ઋષિ.’ આ વિધાન આપનાર મોરારિબાપુએ કેમ્બ્રિજની કથા જેનું નામાભિધાન ‘માનસ વિશ્વવિદ્યાલય’ કરાયું છે.

    માતૃભાષા માણસને ધરતી સાથે જોડ

    ‘ભાષા ભલે જુદી જુદી છે, પરંતુ એનો ભાવ તો સમાન જ છે!’ એક વક્તાએ આ સંદર્ભની વાત કરી. ‘બહોત કમ લોગોં કે પાસ ઐસા સહજ ઔર શુદ્ધ અભિવ્યક્તિ કા ભાષા વૈભવ હોતા હૈ...’ એક શ્રોતાએ કોઈને કહ્યું. ‘આપણી આસપાસના વાતાવરણથી જ આપણે માતૃભાષા શીખતા હોઈએ છીએ.’ એક વ્યક્તિએ કહ્યું, વાત ભાષાની, ભાષાની અભિવ્યક્તિની, માતૃભાષાની, માતૃભાષાના વૈભવની થતી હોય ત્યારે આવા વાક્યો વાતારણમાં ગુંજ્યા કરે છે. બોલી બાર ગાઉએ ભલે બદલાતી હોય, પરંતુ ભાષા વૈભવ તો બોલનારના સ્વરમાં જ પરખાઈ જ જાય. એથી જ આપણે કોઈની બોલી સાંભળીને એમના વતન વિશે સામાન્ય અનુમાન લગાવી શકીએ છીએ.

    આપણી આંતરિક સમૃદ્ધિમાં ઉમેરો

    ‘મામા, આ વખતે ક્યાં ફરવા જવું છે?’ બેંગલુરુથી ભાણેજ અદિતીએ ફોનમાં પૂછ્યું અને મેં સહજભાવે કહ્યું કે, ‘બેટા, તને જ્યાં મન થાય એવા સ્થળોનો પ્રવાસ ગોઠવ... આપણે તો બસ પ્રકૃતિના ખોળે આનંદ કરવો છે.’ અને સાચ્ચે જ અમે પરિવાર સાથે કર્ણાટકના કેટલાક મનોહારી અને નયનરમ્ય સ્થળોના પ્રવાસે જઈ આવ્યા.

    ભવસાગરથી તારે તે તીર્થ...

    ‘તારે તે તીર્થ’ આપણે ત્યાં આ વાક્ય જાણીતું છે. તારેનો અર્થ છે ભવસાગરથી તારે. તીર્થ એટલે પવિત્ર સ્થળ. તીર્થ એટલે ધાર્મિક અને આધ્યાત્મિક રીતે મહત્ત્વનું સ્થળ. તીર્થમાં જવા માટે તીર્થાટન શબ્દ પણ ઉપયોગમાં લેવાય છે. ‘તીર્યતે સંસાર સાગરો, યે ના સૌ તીર્થ.’ અર્થાત્ જેના દ્વારા સંસારરૂપી મહાસમુદ્ર તરીકે શકાય તે તીર્થ.

    સ્મરણયાત્રાઃ પ્રેમ સાથે આરંભ

    તુમ ક્યા જાનો તુમ્હારી યાદ મેં હમ કિતના રોયે... લો આ ગઈ ઊનકી યાદ વો નહિ આયે... પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા... બહાર વરસાદી વાદળો વરસી રહ્યા છે અને હૃદયમાં સ્મરણોનાં વાદળો વરસી રહ્યા છે. યાદ, સ્મૃતિ, સ્મરણ... વીતેલી ઘટનાનું વીતેલા સમયનું, આજે સાથે હોય અથવા ન હોય એવા પ્રિયજન સાથે વીતાવેલી સમયની સ્મૃતિ... ક્ષણોની સ્મૃતિ... સ્મરણ એટલે એક એવી અનુભૂતિ જેમાં પૂર્વમાં જોયેલી વસ્તુ, વ્યક્તિ - ઘટનાની યાદ તાજી થાય. સ્મરણ એટલે આજે વર્તમાનમાં કંઈક જોઈએ અને વીતેલા સમયનું એવું જ કશુંક યાદ આવી જાય.

    જીવન એક ઉત્સવ છે, જો આપણે તેને પ...

    ‘જીવન એક ઉત્સવ છે’ હમણાં કોઈ સંવાદમાં આ એક સીધુંસાદું વાક્ય કોઈ બોલ્યું. જન્મથી લઈને મૃત્યુ સુધીનો સમય એટલે જીવન. જીવન એટલે એક ઘટના જેમાં પ્રક્રિયાઓ, પ્રસંગો, અનુભવો વગેરે વગેરેની વિસ્તૃત શ્રૃંખલા અનુભવવા મળે. માતાના ગર્ભમાંથી બાળક બહાર આવે, પહેલો શ્વાસ લે ત્યારથી લઈને અંતિમ શ્વાસ વચ્ચેની ઘટના એટલે જીવન. આ જીવન એક ઉત્સવ છે. તો ઉત્સવ એટલે શું? ઉત્સવ એટલે તહેવાર – પર્વ – ઊજવણી - અવસર - શુભ પ્રસંગ. ઓશોએ કહ્યું છે કે ‘પ્રસંગ બહારથી આવે, આનંદ અંદરથી આવે.’ ઘણી વાર કાર્યક્રમોમાં હું કહું કે કેલેન્ડર આપણને ઉત્સવની, ખાસ દિવસની જાણ કરી શકે, આનંદ ના આપી શકે. આનંદ તો અંદરથી - માંહ્યલામાંથી જ આવે.

    સલીલભાઇ સાથેનાં સ્મરણોનાં અજ

    ‘તમારા શબ્દો થકી તમે અમારી સાથે સદાય રહેશો...’ ‘ફિલમની ચિલમ કાયમ યાદ રહેશે...’ ‘તમે હળવાશ માટે શાલીનતા ન છોડી, કલાનું સન્માન સાચવ્યું...’ આ અને આવા વાક્યો જેમનું શરીર શાંત થયું પછી લખાયા એ વ્યક્તિત્વ એટલે એક નિવૃત્ત સરકારી અધિકારી, કોલમિસ્ટ, સિનેમાના અભ્યાસુ, સંશોધક, સર્વપ્રિય દોસ્ત એવા શ્રી સલીલ દલાલ.

    ગોવિંદભાઇ ધોળકિયાઃ સેવા અને સ

    સનાતન ધર્મ, અધ્યાત્મ અને ભારતીય સાંસ્કૃતિક ચેતનાને સમગ્ર વિશ્વમાં પોતાના વિચારોથી, શબ્દોથી આંદોલિત કરનારા પૂજનીય સાધુ-સંતોના આ શબ્દો વ્યાપાર અને ઉદ્યોગજગતમાં સમગ્ર વિશ્વમાં ગુજરાત અને ભારતનું ગૌરવ ગણાતા શ્રી ગોવિંદભાઈ ધોળકિયાની આત્મકથા ‘ડાયમંડ્સ આર ફોર એવર, સો આર મોરલ્સ’માં લખાયા છે.

    પરમ તત્વની કૃપા હોય તો જ પ્રાપ

    સ્ટેજ પરના તમામ વક્તાઓએ બંનેની કલા સાધનાને બિરદાવી. બંનેની કારકિર્દીને આવરી લેતી એક સુંદર ડોક્યુમેન્ટરી રજુ થઈ અને દર્શકોએ વખાણી. એમનું સન્માન થયું ત્યારે સમગ્ર હોલ તાળીઓના નાદથી ગુંજી ઊઠ્યો અને એમની કલા સંસ્થાના 25 વર્ષની ઊજવણીનો અવસર યાદગાર બની રહ્યો.