અજવાળું અજવાળું

No

Block: Site: Subtree Block

    શ્રીકૃષ્ણ એટલે મધુરતાના ઈશ્વ

    ભારત હોય કે બ્રિટન, વિશ્વ આખામાં જ્યાં જ્યાં ભારતીયો રહે છે ત્યાં ત્યાં અત્યારે જન્માષ્ટીના ઉત્સવનું વાતાવરણ હશે. 16મીએ જન્માષ્ટમીનું પર્વ આપણે પ્રેમપૂર્વક ઊજવીશું અને કૃષ્ણપ્રેમમાં ગાઈશું-નૃત્ય કરીશું. મથુરાના કારાગારમાં કૃષ્ણ જન્મ થાય છે ત્યારે દેવતાઓ અને ઋષિઓ જે સ્તુતિઓ કરે છે એમાં એ શ્લોકમાં સત્ય શબ્દ નવ વાર આવે છે, એનો એક અર્થ એ છે કે દેવતાઓ પણ શ્રીકૃષ્ણને ત્રણે કાળના સત્યરૂપે જુએ છે.

    ગણપતિ બાપ્પા મોરિયા......

    ગણપતિ બાપ્પા મોરિયા... આ જયઘોષ હવે ભારતમાં અને ભારતીય સમુદાય જ્યાં જ્યાં રહે છે ત્યાં ત્યાં આવનારા દસ દિવસ ગુંજશે. ભાદરવા મહિનાની સુદ ચોથનો દિવસ ગણેશ ઉત્સવ રૂપે ઊજવાશે. ઘરોમાં, પંડાલોમાં, મંદિરોમાં સવાર-સાંજ ગણપતિ બાપ્પાની આરતી-સેવા-પૂજા-પ્રસાદ થશે.

    ‘જૂનું ઘર ખાલી કરતાં...’...

    પહેલી તારીખથી છાપાં બંધ કરવાના છે, ગાયનું દૂધ લાવનારા ભાઈને ના કહેવાની છે, ઈસ્ત્રીના કપડાં લઈ જનારનો કે ગાડી સાફ કરનારનો છેલ્લો હિસાબ ચૂકતે કરવાનો છે... આ અને આવા અનેક કામો યાદ આવતા ગયા, પૂરા કરતા ગયા, કારણ કે પાછલા 14 વર્ષોથી જ્યાં રહેતા હતા એ પોતીકી માલિકીનું ઘર ખાલી કરીને હવે નજીકના વિસ્તારમાં જ વધુ સારા-મોટા અને લેટેસ્ટ સુવિધાઓવાળા ઘરમાં જવાનું હતું.

    માતા-પિતા-સંતાનઃ વાણી-વર્તન-વ

    શ્રાદ્ધ પક્ષના દિવસો છો, આપણી પરંપરામાં, લોકજીવનમાં શ્રાદ્ધ પક્ષના દિવસો એટલે માતૃદેવો ભવ! અને પિતૃદેવો ભવ!ના સૂત્રને વધુ જીવંતતાથી અનુભવવાના દિવસો. આસપાસ બનતી ઘટનાઓનું મન નિરીક્ષણ કરે છે, એ ઘટનાઓનું પ્રતિબિંબ મન ઉપર પડે છે. મનમાં લાગણીના સ્પંદનો જાગે છે, સારું શું અને ખરાબ શું? સાચું શું અને ખોટું શું? એવા પ્રશ્નો થાય છે. પછી મન વિચારે ચડે છે, ક્યારેક એમાંથી દર્દ કે વેદના પણ જન્મે છે. આરંભે લખ્યું છે એમ શ્રાદ્ધ પક્ષના દિવસો છે એટલે અહીં પણ માતા-પિતા અને સંતાનોની વિચારધારા છે, પરસ્પર પ્રત્યનો પ્રેમ છે, જવાબદારી છે, ઉપેક્ષાના પરિણામો છે, સ્વભાવના કારણે સર્જાતી વિસંવાદી ઘટનાઓ છે. લાગણીશીલ મન એ બધું જોઈને દ્રવિત થાય છે.

    વારતા નથી, જીવાયેલા પ્રસંગો છે, જીવનની મૂલ્યવાન ક્ષણો એમાં સચવાયેલી છે, મોંઘેરી જણસ જેવી એ સ્મૃતિ ક્યારેય વિસરાય એમ નથી, પાત્રોના નામની પણ કોઈ આવશ્યક્તા નથી, મારીને તમારી અંદર ક્યાંક-ક્યારેક આ પાત્રો જીવંત થયા જ હોય છે, એ અનુભૂતિ આપણે પણ અનુભૂત કરી જ હોય છે.

    નૂતન વર્ષે સહજતાથી જીવીએ, બની

    વિક્રમ સંવત 2082ના વર્ષનો આરંભ થઈ ચુક્યો છે. નૂતન વર્ષ, કારતક સુદ એકમનો દિવસ આપણે સહુએ એકબીજાને રૂબરૂ - ટેલિફોન – સોશીયલ મીડિયાના માધ્યમથી HAPPY NEW YEAR, સાલ મુબારક કહીને ઉજવ્યો. મોડી રાત્રી થઈ ચુકી છે અને નવા વર્ષનો આ પ્રથમ લેખ લખવા સહજ ઉત્સાહ સાથે બેસી ગયો છું.

    લોકકલા-લોકસંસ્કૃતિની હરતીફરત...

    ‘એમણે લોકકલા અને પરંપરાગત સંસ્કૃતિને નૂતન ધબકાર આપ્યો હતો...’ ‘એમણે સમગ્ર જીવન લોકકલા અને લોક સંસ્કૃતિના સંવર્ધન માટે સમર્પિત કર્યું હતું...’ ‘જોરાવરસિંહ જાદવ દ્વારા નિર્મિત ‘વિરાસત’ સંગ્રહાલય યુવાપેઢી માટે ચેતનાનું કેન્દ્ર બનશે...’ ‘એમની સંશોધન સમૃદ્ધ વિદ્વતા એમને માટે સહજ આદર જન્માવે...’ આ અને આવા પ્રેમપૂર્ણ, અર્થપૂર્ણ અને આદરપૂર્ણ વાક્યો જેમના માટે બોલાયા એ જોરાવરસિંહ જાદવ હવે આપણે વચ્ચે શરીરથી ભલે સાથે નથી રહ્યા, પરંતુ સ્મૃતિમાં તો તેઓ હંમેશા જીવંત રહેશે.

    વર્ષ 2026નો આરંભ થઈ ચુક્યો છે, આ લખી રહ્યો છું ત્યારે તારીખ એક જાન્યુઆરીની ઢળતી સાંજ છે, બે દિવસ પરિવાર સાથે આણંદના જાણીતા એવા ‘મધુવન રિસોર્ટ’માં રહેવા આવ્યો છું. હમણાં જ અનુપમ મિશન-મોગરીના મંદિરે દર્શન કરીને આવ્યો. મસ્ત આદુવાળી ચાની સુગંધ રૂમમાં પ્રસરી રહી છે. એમાં ભળી રહ્યો છે દોહિત્રી અનન્યાનો મધુર સ્વર. એ કાગળ પર એની મસ્તીમાં કાંઈક લખી રહી છે અને હું 2025 અને 2026 એટલે કે સંભારણા અને સંભાવના આ બંનેના સમન્વય કરતી વાત, શબ્દ અનુભૂતિ અહીં કલમ થકી ઉતારી રહ્યો છું.

    પુરુષાર્થ ને સંઘર્ષ પછી મેળવે

    ‘ઉંમરના સાંઈઠ વર્ષ પસાર થઈ ગયા, એ પછી આજે 35 વર્ષની પત્રકાર-કલાકાર તરીકેની કારકિર્દીમાં તમને શું મળ્યું? આવો સહજ સવાલ હમણાં કોઈએ મને પૂછયો હતો. લાંબો અને વિસ્તૃત, સમયના સંદર્ભો સાથેનો જવાબ થઈ શકે, પરંતુ મેં માત્ર અઢી અક્ષરના એક શબ્દમાં એમના પ્રશ્નનો ઉત્તર આપ્યો, એ શબ્દ છે ‘પ્રેમ’.

    ભક્તિ - ભજન - ભરોસાનો માર્ગ ચીંધ...

    ‘ડેડી, આજના કાર્યક્રમમાં ખુબ મસ્ત બનીને નાચશે, જોજે.’ મારી દીકરી સ્તુતિએ એની દોસ્ત રાજવીને કહ્યું, વાત પણ સાચી. કબીર સાહેબ મારા પરમ પ્રિય સંત કવિ છે. એમના પદો એ જીવનની સમજણ પણ આપી છે, અને જીવનમાં પ્રસન્નતા પણ આપી છે. કબીર સાહેબ, સંત કબીર... ભારતના સંત કવિ જેમના સાખી - દોહા - પદ – ભજનોએ ભક્તિ આંદોલન જગાડવામાં, સમાજમાં ફેલાયેલા કુરિવાજો - અંધવિશ્વાસ સામે સામાજિક જાગૃતિ લાવવામાં મહત્ત્વનો ફાળો આપ્યો. એમની કલમમાં રોજિંદા જીવનના સર્વકાલીન સત્યો ઉજાગર થાય છે. કબીર સાહેબની અમૃતવાણી એના વાચક – શ્રોતાને હંમેશા માર્ગદર્શન પૂરું પાડતી આવી છે.