વિશ્વમાં એવી અનેક વ્યક્તિઓ છે, જે તર્કપ્રધાન હોય, કર્મપ્રધાન હોય છે. જે જે કર્મનું પૂજન કરે અને સ્વાનુભવને જ સત્ય માને, પરંતુ તેઓના જીવનમાં જ્યારે અણધારેલી, અકલ્પ્ય ઘટનાઓ બને છે ત્યારે તેમણે પણ શ્રદ્ધાજગતની મહત્તા અને સર્વોપરીતા સ્વીકારવી પડે છે.
વિવિધા
Block: Site: Subtree Block
અનેક મહાનુભાવોએ માનવજાતના ઉત્થાનનું કાર્ય કરવા સાથે ઈતિહાસમાં સ્થાન હાંસલ કર્યું છે પરંતુ, ઘણા ઓછાં લોકો શાશ્વત વિરાસત છોડી ગયા છે. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ આવા વિલક્ષણ મહાનુભાવોમાં એક છે. મારી આ આદરાંજલિ તેમની પ્રચંડ અસરની ઝાંખી માત્ર છે જે મારા અંગત અનુભવોમાંથી પ્રગટી છે.
વૈદિક સમયથી ભારતીય સંસ્કૃતિની ત્રણ વિશેષતાઓ રહી છે. આ સંસ્કૃતિ અધ્યાત્મપ્રધાન સંસ્કૃતિ છે, આ સંસ્કૃતિ સુવિકસિત સભ્યતા છે, આ સંસ્કૃતિ વૈજ્ઞાનિક અભિગમ ધરાવે છે.
ભારતની પહેલી મેડિકલ ગ્રેજ્યુએટ, પહેલી હાઉસ સર્જન, મદ્રાસ વિધાન પરિષદની પહેલી મહિલા ઉપાધ્યક્ષ અને ભારતની પહેલી વિધાન સભ્ય... કેટલીયે પહેલ કરનાર મહિલા તરીકે ઓળખાય છે એ !
એક સપ્તાહ કરતાં પણ ઓછાં સમયમાં વિશ્વ કેટલું બદલાઈ જાય છે. સ્વાભાવિક રીતે જ હું સીરિયામાં પ્રેસિડેન્ટ બશર અલ-અસાદની સરમુખ્યારશાહીના પતનનો ઉલ્લેખ કરું છું. ઘટનાક્રમ ઉખેળાતો જાય છે તેમ વિવિધ પંડિત બિરાદરો તેમની વિશેષ ટીપ્પણીઓ કે નીરિક્ષણો સાથે મેદાનમાં આવી જાય છે. મોટા ભાગના પોતાને મધ્ય પૂર્વીય રાજકારણના નિષ્ણાતો તરીકે જાહેર કરે છે. જોકે આપણે ભૂતકાળમાં જોયું, અનુભવ્યું છે તેમ સત્ય તો મોટા ભાગે કાંઈ અલગ જ હોય છે. મીડિયા કોમેન્ટેટર્સ અને હવે તો સોશિયલ મીડિયાના મિયાં મીઠ્ઠુઓ સામૂહિક પીરસણ માટે સંખ્યાબંધ ગરમાગરમ વાનગીઓ તળવામાં લાગી જશે. આથી, હું તો સામે ચાલીને જાહેરાત કરવા માગું છું કે મારો આજનો લેખ અણિશુદ્ધ અટકળ જ છે.
જન્મઃ તા. 27-1-1914. અભ્યાસ પાંચ ધોરણ. નિવૃત્ત આચાર્ય. લોકસાહિત્યના આરાધક. દિલ્હીનો લોકસંગીત એવોર્ડ એમનો પ્રાપ્ત થયો.
આપણે આઝાદી મેળવ્યા બાદ પહેલાં પાકિસ્તાન અને પછીથી ચીન આ બે દેશોને ભારતના શત્રુ તરીકે આપણે બધા જ ઓળખીએ છીએ, પરંતુ આ ઉપરાંત મારા મતે એક દેશ અદૃશ્ય રીતે ભારત દ્વેષી તરીકે મિત્રતાના અંચળા હેઠળ સતત ભારતવિરોધી વર્તી રહ્યો છે, જેને આપણે ક્યારેય ઓળખી શક્યા નહીં. તે દેશ છે અમેરિકા! મને ખબર છે કે પ્રથમ દૃષ્ટિએ તમે કોઈ જ આ વાત સાથે સંમત નહીં થાઓ, પરંતુ ઉપરથી મિત્રતાનો દેખાવ કરતાં આ અદૃશ્ય ભારત દ્વેષીનો આજ સુધીનો ઇતિહાસ જો ખુબ જ ધ્યાનથી જોઈશુ, તો તમે પણ મારી સાથે સંમત થશો.
પ્રિય વાચક મિત્રો, છેલ્લે આપણે લોનની સંભાળ તથા આપણું પોતાનું ખાતર કઈ રીતે તૈયાર કરવું તેની વિગતો જાણી હતી અને તેની સાથે 'ડેલીયા'નો ફોટો પણ છપાયો હતો. આપ સૌ પરિણામ જોઈ શક્યા હશો. તો હવેથી આપણું પોતાનું ખાતર બનાવવા માટે અત્યારથી જ પ્રયાશો શરૂ કરી દઇ બધી સામગ્રી ભેગી કરતા રહેજો.
જ્યારે નવા વર્ષનો આરંભ થાય તેવા સમયે સમગ્ર સમાજમાં થોડા થંભી જઈને ભૂતકાળ પર ચિંતન કરવાની અને નવા વર્ષમાં ભવિષ્ય માટે આયોજનો કરવાની સાર્વત્રિક પરંપરા ચાલતી આવે છે. આ રિવાજ કાંઈ નવો નથી. આપણા પૂર્વજો પોતાના જીવનને સુધારવા, વધુ સારી માનસિકતા કેવળવા અને વ્યાપક કલ્યાણની ઈચ્છા સાથે ગુફાઓ અને જંગલોથી બહાર આવ્યા, ત્યારથી આ પરંપરા ચાલતી આવી છે. તેઓ જીવનને વધુ બહેતર બનાવવાના માર્ગો શોધવા સતત પોતાના વિકાસનું મૂલ્યાંકન કરતા રહ્યા હતા.
મકરન્દ દવેના કવિપિંડમાં જુદાં જુદાં અનેક બ્રહ્માંડો સમાયાં છે. નાનપણમાં સાંભળેલાં ભજનો, લોકગીતો, મેઘાણીની વાણીની અસર, બાઉલગીતો, ટાગોર, ઉર્દૂ સાહિત્યની વાચન અને વિવિધ સાધનાને તબક્કે થયેલા એમના નિજી અનુભવો - આ બધાથી એમનો કાવ્યપિંડ બંધાયો છે. ગીત, ભજન, ગઝલ, સોનેટ ઈત્યાદિ સ્વરૂપો એમણે ખેડ્યાં છે. અનુવાદક તરીકે પણ ઉત્તમ છે. મકરન્દનો સમગ્ર પરિચય મેળવવો હોય તો ‘મકરન્દ-મુદ્રા’ એમનો વિશેષ છે.
