એક વાર જરૂર વાંચજો... બાળપણની યાદો તાજી થઇ જશે
વિવિધા
Block: Site: Subtree Block
મારી કટારના વાચકોને જાણ હશે જ કે પાકિસ્તાની મૂળના પુરુષોના હાથે બળાત્કાર, હિંસક શોષણ અને દુરુપયોગનો શિકાર બનેલી નિર્બળ, અસુરક્ષિત શ્વેત છોકરીઓની યાતનાઓનો પર્દાફાશ હું એક દાયકા કરતાં વધુ સમયથી મારી કટારમાં કરતો આવ્યો છું. આ દેશ, તેના રાજકારણીઓ, તેનું મીડિયા અને તથાકથિત સેલેબ્રિટી ઈન્ફ્લુઅન્સર્સ, આ બધા જ પીડિતાઓ પર દોષારોપણ અને શોષણખોરોને દોષમુક્ત ઠરાવવાના ષડયંત્રમાં સામેલ હતા. યાદ રાખો કે તેમને જ્યારે કાવતરાંખોરો કોણ છે તેના વિશે જાણકારી હતી છતાં, સાચા અપરાધીઓની ઓળખ છુપાવવા તેઓ ‘એશિયન’ શબ્દનો ઉપયોગ કરતા હતા. હું વારંવાર પૂછતો હતો કે આ પ્રકારના વ્યાપક બહુમતી શોષણ કે અપરાધ શા માટે લેબર પાર્ટીના નિયંત્રણ હેઠળની કાઉન્સિલોમાં થાય છે? શા માટે આટલાં બધાં યૌનશોષણો લેબર મેયર્સની નજર હેઠળ થતા રહ્યાં હતાં? આનાથી વધુ આશ્ચર્યજનક બાબત એ હતી કે મોટા ભાગના આ અપરાધો તો પોલીસ કમિશનરોની નિયુક્તિ લેબર રાજકારણીઓ દ્વારા કરાઈ હતી ત્યાં જ થતા હતા.
આ શબ્દો છે બાંગલા દેશના જ એક લેખક સલામ આઝાદના. 1994 માં તેણે એક પુસ્તક લખ્યું હતું, ‘કન્ટ્રીબ્યુશન ઓફ ઈન્ડિયા ઇન ધ વોર ઓફ લિબરેશન ઓફ બાંગ્લાદેશ’. લખાયું 1994 માં. છપાયું 2003માં. તેની પાંચ આવૃત્તિ થઈ, પછી નેશનલ બુક ટ્રસ્ટે હિન્દીમાં પ્રકાશિત કર્યું. પુસ્તક મહત્વનું એટલા માટે છે કે તેમ 1971 માં થયેલા લોહીથી લથપથ સંઘર્ષમાં પૂર્વ પાકિસ્તાને સ્વતંત્રતા મેળવીને બાંગ્લાદેશનું નિર્માણ કર્યું હતું. ઢાકામાં રહેતા લેખકને દુઃખ એ વાતનું હતું કે ભારતે આ સંઘર્ષમાં વ્યાપક સહાય કરી, બાંગ્લાદેશી મુક્તિવાહિનીના નેતાઓ અને નાગરિકોને સાચવ્યા. બાંગ્લાદેશની અસ્થાયી સરકારનું મથક કોલકાતામાં રાખવાની સંમતિ આપી અને ભારતીય સૈન્યે પાકિસ્તાની સેનાને પરાસ્ત કરી ત્યારે પૂર્વ પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશ બન્યો.
ટેનિસના ખેલમાં ભારતને ચંદ્રક અપાવનાર પ્રથમ મહિલા ખેલાડી અને ગ્રાન્ડ સ્લેમ ટેનિસ ટુર્નામેન્ટમાં સ્થાન મેળવનાર સૌ પ્રથમ ભારતીય મહિલા ટેનિસ ખેલાડી... આ સિદ્ધિ હાંસલ કરનાર ખેલાડીને જાણતાં જ હશો !
નવી ગુજરાતી ગઝલની વાત આવે એટલે કવિ મનોજ ખંડેરિયાનું નામ યાદ આવ્યા વિના રહે નહીં. જન્મ, મરણ જૂનાગઢમાં. નરસિંહને કારણે જૂનાગઢ એટલે કવિતાનો ગઢ. આમ જૂનાગઢે આપણને પ્રભાતિયાંની સાથે ગઝલની દુનિયા પણ ઓળખાવી. ‘અચાનક’, ‘અટકળ’, ‘હસ્તપ્રત’ એમના સંગ્રહો. ‘અંજની’ કાવ્યસંગ્રહમાં એમણે કાન્તના અંજની વૃત્તના પ્રવાહને ફરીથી વહેતો કર્યો. ગઝલ કાવ્યપ્રકાર એમનો વિશેષ. પણ ગીત અને અછાંદસ પણ લખ્યાં છે.
વર્ષ 2025ની શરૂઆત સાથે જ દુનિયામાં જનરેશન બીટાની શરૂઆત થઈ છે. મતલબ કે 2025ના પ્રારંભ સાથે પેદા થનારાં બાળકો જનરેશન બીટા કહેવાશે. ભારતમાં જનરેશન બીટાના પ્રથમ બાળકનો જન્મ મિઝોરમમાં થયો હતો. જેનું નામ ફ્રેન્કી રાખવામાં આવ્યું છે. બાળકનો જન્મ 1 જાન્યુઆરી શરૂ થયાની ત્રીજી મિનિટે એટલે કે 12.03 કલાકે થયો હતો. હવે તમે પૂછશો કે તો પછી વીતેલા વર્ષે જન્મેલા લોકો કઇ જનરેશનના ગણાશે? સવાલનો જવાબ મેળવવા આગળ વાંચો, અને તે પણ જાણો કે તમે કઇ જનરેશનમાં જન્મેલા છો.
દેશ અને દુનિયાની સાક્ષીએ ઓલિમ્પિકના ઇતિહાસમાં પહેલી ભારતીય મહિલા ખેલાડીએ કુસ્તીના ખેલમાં પ્રથમ ચંદ્રક મેળવ્યો અને દેશનું ગૌરવ વધાર્યું... બોલો, એ કોણ છે ?
આ સપ્તાહે વાંચો ભીખુભાઈ કપોડિયાની રચના. તેમનો જન્મ કપોડા. (ઈડર) ‘અને ભૌમિતિકા’ કાવ્યસંગ્રહ (1998).
સરકારે ડિસેમ્બર 2024ના અંતે કરેલી ઘણી મહત્ત્વની જાહેરાત કદાચ ઘણા મતદારો ચૂકી ગયા હશે. આ જાહેરાત ઘણી સ્થાનિક કાઉન્સિલોની પુનઃરચના સંદર્ભે હતી. ગ્રૂમિંગ ગેંગ્સના ફીઆસ્કાએ આ મહત્ત્વના સમાચારને રડારની બહાર ધકેલી દીધા છે પરંતુ, મને લાગે છે કે આગામી સપ્તાહોમાં આ સમાચાર જોર પકડશે. સ્પષ્ટતા કરવાની કે સ્થાનિક ચૂંટણીઓ મે 2025માં થવી જોઈએ. 21 કાઉન્ટી કાઉન્સિલો અને ઈંગ્લેન્ડની 10 યુનિટરી ઓથોરિટીઝની તમામ બેઠકો પર ચૂંટણી થવી જોઈએ. મને ચોક્કસપણે ખાતરી છે કે જનરલ ઈલેક્શન પછી સૌથી મોટી પ્રથમ ચૂંટણી સંબંધિત નાની વિગતોએ પણ ધ્યાન ખેંચ્યું ન હોય તેમ નથી. રાજકીય ફલકમાં ખેલની વર્તમાન પરિસ્થિતિ બાબતે તેમાંથી કદાચ રસપ્રદ હકીકતો જાણવા મળી શકે છે.
દિવસો મહાકુંભના છે. દેશ-પરદેશના તમામ રસ્તા પ્રયાગરાજ તરફ દોરાઈ રહ્યા છે. ભાગીરથી ગંગાનો કિનારો અને સાધુ-સંતો અવ્યક્ત રીતે સૌને બોલાવી રહ્યા છે. રાજકીય પક્ષો કે સંસ્થાઓ પોતાના ખર્ચે ભીડ ઉમટે તેવું અહીં કશું જ નથી. દરેક પોતાની રીતે આવી રહ્યા છે. મૂળ તો આદિ શંકરાચાર્યે સાધુ-સંતોનું એકત્રીકરણ થાય તે માટે કુંભની કલ્પનાને વધુ ભવ્ય મિલનમાં પલટાવી. ત્યારથી ‘અખાડા’ નામ મળ્યું. અને દરેક અખાડાના સાધુઓ દરેક કુંભમાં સામેલ થાય છે. સાધુઓના આ મિલનને આસ્થાવાન પ્રજાએ પોતાનું બનાવી લીધું એટલે અર્ધ, પૂર્ણ, મહા કુંભમાં લાખો લોકો પણ આવે છે. વર્તમાન પૂર્ણ કુંભમાં 40 કરોડ યાત્રિકો ઉમટશે. દુનિયાના કોઈ પર્વમાં આટલા લોકો આવતા નથી. આ મેળામાં આવનારાઓનો અંદાજ 40 કરોડનો છે. દુનિયાના કેટલાક દેશોની કુલ વસતિ પણ આટલી નથી!
