આ સપ્તાહે જગદીશ જોષી
મુંબઈમાં જન્મેલા આ કવિ જીવવાની ઉંમરે અવસાન પામ્યા. પ્રણયનો વિષાદ એમની કવિતાનું કેન્દ્ર છે. ‘આકાશ’, ‘વમળનાં વન’ અને ‘મોન્ટા કોલાજ’ એમના કાવ્યસંગ્રહો. ‘ધારો કે એક સાંજે આપણે મળ્યાં’ એમની સમગ્ર કવિતાનો સંગ્રહ. ઉત્તમ અનુવાદક હતા. ‘વમળનાં વન’ માટે એમને દિલ્હી સાહિત્ય અકાદમીનો મરણોત્તર પુરસ્કાર મળ્યો હતો.
