વિવિધા

No

Block: Site: Subtree Block

    એક હતી સર્વકાલીન વારતા...

    આ સપ્તાહે જગદીશ જોષી

    મુંબઈમાં જન્મેલા આ કવિ જીવવાની ઉંમરે અવસાન પામ્યા. પ્રણયનો વિષાદ એમની કવિતાનું કેન્દ્ર છે. ‘આકાશ’, ‘વમળનાં વન’ અને ‘મોન્ટા કોલાજ’ એમના કાવ્યસંગ્રહો. ‘ધારો કે એક સાંજે આપણે મળ્યાં’ એમની સમગ્ર કવિતાનો સંગ્રહ. ઉત્તમ અનુવાદક હતા. ‘વમળનાં વન’ માટે એમને દિલ્હી સાહિત્ય અકાદમીનો મરણોત્તર પુરસ્કાર મળ્યો હતો.

    બાંગલાદેશમાં હિન્દુઓનો બીજો મોટો નરસંહાર

    બાંગલાદેશના પ્રાઈમ મિનિસ્ટર શેખ હસીનાને 5 ઓગસ્ટે આંતરિક બળવા થકી પદભ્રષ્ટ કરી દેવાયાં અને કેટલાક માને છે કે અમેરિકા દ્વારા આ કાવતરું ઘડાયું હોઈ શકે. સમયાંતરે આપણને સંપૂર્ણ સત્યની જાણ થશે. પીએમ શેખ હસીના સૌથી નજીકના સલામત દેશ તરીકે ભારતમાં આવી પહોંચ્યાં તે જ અરસામાં હિન્દુઓના નરસંહારની શરૂઆત થઈ ગઈ જેમાં ઈસ્લામવાદીઓ હિન્દુ સ્ત્રીઓ, હિન્દુ મંદિરો અને હિન્દુ બિઝનેસીસને નિશાન બનાવવા લાગ્યા. હવે સેંકડો હિન્દુ સ્ત્રીઓ પર બળાત્કારની અસંખ્ય ઘટનાઓ ઘટી છે. સેંકડો હિન્દુ બિઝનેસીસને આગ લગાવાઈ અને ઘણાં હિન્દુ મંદિરો સાથે પણ આવો જ વ્યવહાર થયો.

    આઝાદીના જંગમાં અગ્રેસર ગુજરા

    સન 1857ના ‘વિપ્લવ’ની વાત હોય કે 1942ની ‘હિન્દ છોડો’ ચળવળ, ગુજરાત અગ્રેસર રહ્યું છે અને તેનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. સ્વાતંત્ર્ય જંગમાં ભલે જોમ ને જોશ 1885માં રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના અને 1915માં ગાંધીજીના સ્વદેશાગમનથી આવ્યાં હોય પણ ગુજરાત 1857ના સંગ્રામથી સ્વાતંત્ર્યની ચળવળ સાથે સક્રિય રીતે જોડાયેલું છે તે વાતનો ઇતિહાસ સાક્ષી છે. સ્વાતંત્ર્ય સંગ્રામમાં બે ગુજરાતી મહાપુરુષો મહાત્મા ગાંધી અને સરદાર પટેલનું મોખરાનું સ્થાન છે પણ તેથી થોડા આગળ જઈએ તો સરદાર પટેલના જીવનચરિત્રમાં રાજમોહન ગાંધીએ નોંધ્યું છે કે, વલ્લભભાઈના પિતા ઝવેરભાઈ પટેલ 1857માં ઘર છોડીને અંગ્રેજો સામે લડનાર ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના લશ્કરમાં જોડાવા ગયા હતા, પણ રસ્તામાં ઇન્દોરના રાજવી હોલ્કરના હાથે તેઓ કેદ થયા. આમ વલ્લભભાઈને પણ દેશદાઝનો વારસો પિતા ઝવેરભાઈ પાસેથી મળ્યો હતો.

    ઐતિહાસિક ઓગસ્ટના પડછાયે કાકો

    ઉત્તર પ્રદેશ સરકારે કાકોરીના 101 વર્ષની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. આ એક ઐતિહાસિક નિર્ણય છે, કેટલાંક વર્ષોથી ભુલાયેલા ઈતિહાસને વંદન-અભિનંદન સાથે યાદ કરાઇ રહ્યો છે, તે સાંસ્કૃતિક ચેતનાની નિશાની છે. જેમ દાંડી ઐતિહાસિક ઘટના અને જગ્યા છે, તેવું સરદારનું બારડોલી છે. જૂનાગઢ મુક્તિની આરઝી હકૂમત છે, સુદૂર ઇમ્ફાલમાં મોઈરાંગ નેતાજી સુભાષની આઝાદ હિન્દ ફોજે 1943માં મુક્ત કરેલું સ્થાન છે.

    કાયદાની બંધ આંખો, બ્રિટન નિષ્ફળતાને વર્યું છે?

    કેર સ્ટાર્મરની સરકાર આશરે 50 દિવસથી સત્તા પર છે. મેં અગાઉ લખ્યું હતું કે અસત્યો અને જૂઠાં વચનોનાં બેન્ડવેગનમાંથી થોડાં જ વર્ષોમાં પૈડાં બહાર નીકળી જાય તે આપણને જોવાં મળશે. મને ત્યારે સમજાયું ન હતું કે તે આટલા થોડાં સમયમાં જોવાં મળશે. કેર ચોક્કસપણે આટલી વિશાળ બહુમતી હાંસલ કરવામાં ભાગ્યશાળી નીવડ્યા છે અને પ્રામાણિકતાથી કહીએ તો જો તેઓ આપણા દેશ માટે સારા વ્યૂહાત્મક નિર્ણયો લેશે તો આ કટ્ટરવાદીઓ અને તેમની ખુદની પાર્ટીના જહાલવાદીઓની અવગણના કરીને પણ તેઓ સાંગોપાંગ બહાર નીકળી શકશે. મને ડર છે કે તેઓ નબળા પડી જશે અને આ દેશ માટે સૌથી ખરાબ કરી શકે તેટલી છૂટછાટ-ઘણી બધી આઝાદી તેમને આપી દેશે.

    ઓસ્કાર એવોર્ડથી પુરસ્કૃત પ્ર

    રિચર્ડ એટનબરોની ‘ગાંધી’ ફિલ્મ યાદ છે? વર્ષ ૧૯૮૨માં પ્રદર્શિત થયેલી ગાંધી ફિલ્મને આઠ ઓસ્કાર એવોર્ડથી પુરસ્કૃત કરવામાં આવેલી. તેમાં શ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડિઝાઈનર માટે જોન મોલો અને ભાનુ અથૈયાને એવોર્ડ મળેલો.... એની વિશેષતા એ હતી કે ફિલ્મની વેશભૂષા માટે પુરસ્કૃત થનાર ભાનુ અથૈયા ઓસ્કાર એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય મહિલા હતી! ભાનુનો અર્થ સૂરજ થાય. એ દ્રષ્ટિએ એમ કહી શકાય કે પોતાનું નામ સાર્થક કરીને ઓસ્કારના આકાશમાં સૂર્ય બનીને ઝળહળી ઊઠેલી ભાનુ ! શ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડિઝાઈનર તરીકે ભાનુ અથૈયાના નામની ઘોષણા થઈ ત્યારે આખું સભાગૃહ તાળીઓના ગડગડાટથી ગુંજી ઊઠેલું. ભાનુએ વિનમ્રતાથી એવોર્ડ સ્વીકારીને કહેલું, ‘શુક્રિયા રિચર્ડ એટનબરો, દુનિયાનું ધ્યાન ભારત ભણી દોરવા બદલ...!’

    શ્રીકૃષ્ણઃ યાદવોના આગેવાન અન

    હિન્દુ ધર્મની વાત હંમેશાં વેદ-ઉપનિષદથી શરૂ કરવામાં આવે છે, પણ વેદમાં જે દેવોના નામ છે તેમાંથી એક પણ દેવની પૂજા આજે થતી નથી અને આજે જે દેવોની પૂજા કરવામાં આવે છે તેવા એક પણ દેવનું નામ વેદમાં નથી. આમાં એક જ અપવાદ છે. કૃષ્ણના નામનો ઉલ્લેખ ઋગ્વેદની સંહિતામાં પણ વારંવાર થયો છે અને છાંદોગ્ય ઉપનિષદમાં તો સ્પષ્ટ ઉલ્લેખ થયો છે. પણ કૃષ્ણની પૂજા ક્યાંથી અને કેવી રીતે શરૂ થઈ તે કોઈ જાણતું નથી.

    શ્રાવણ એટલે ભક્તિનું ભાથું ને...

    શ્રાવણ મહિનો આવે એટલે.. તહેવારો ભરપૂર આવે, વાતાવરણ ભક્તિમય અને મનમોહક બની જાય છે. ભક્તિનું ભાથું લઈને આવે છે શ્રાવણ મહિનો - રક્ષાબંધન, જન્માષ્ટમી સાતમ-આઠમનો મેળો વગેરેની... આખું વર્ષ રાહ જોવાતી હોય છે.

    આજની ઘડી રળિયામણી...

    યોગ્ય રીતે જ કહેવાયું છે કે ગુજરાતી ભાષાને પ્રારંભમાં જ હેમચંદ્રાચાર્ય અને નરસિંહના આશીર્વાદ મળ્યા છે અને ફળ્યા છે. ગુજરાતી કવિતાનું પ્રભાત નરસિંહના ‘પદે પદે ઊઘડે છે’. માત્ર નરસિંહની જ નહીં પણ સમગ્ર ગુજરાતી મધ્યકાલીન કવિતા જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યનાં પદોથી ધબકે છે. નરસિંહે કૃષ્ણને ગોપીભાવે ભજ્યા, એમની દ્રઢ પ્રતીતિ છે કે ભક્તિ જેવો પદારથ નથી અને ‘કૃષ્ણ કીર્તન વિના નર સદા સૂતકી.’

    ભારતની પ્રથમ મહિલા બસ ડ્રાઈવર...

    નામ વસંત હોય એટલે જીવનમાં પણ વસંત હોય તો એવું જરૂરી નથી. વસંતના જીવનમાં પાનખર જ પાનખર હોય એવું પણ બને....પણ વસંત હોય કે પાનખર, કોઈ પણ ઋતુ કાયમ રહેતી નથી. વસંત પછી પાનખર આવે છે અને પાનખર પછી વસંત !