માનવજીવનમાં કેટલીક એવી બાબતો હોય છે જે સમય, ધીરજ અને સહિયારા અનુભવથી ધીમે ધીમે ખીલે છે. સાહિત્ય પણ એવી જ એક અણમોલ સંપત્તિ છે. તેને માત્ર વાંચી લેવાથી કે સાંભળી લેવાથી સંપૂર્ણપણે સમજી શકાતું નથી. શબ્દોની પાછળ રહેલા ભાવ, અનુભવોની પાછળ રહેલી પીડા અને કલ્પનાની પાછળ રહેલું જીવન ધીમે ધીમે ખુલતું જાય છે. કદાચ એટલે જ મને વારંવાર લાગે છે, કે સાહિત્યનો સાચો આસ્વાદ ત્યારે મળે છે જ્યારે તે સહહૃદય લોકોની સંગતમાં, સંવાદોમાં અને અનુભવોની આપ-લે વચ્ચે જીવંત બને છે. તેથી કહી શકાય કે ‘સાહિત્ય ઉતાવળથી નહીં, સંગતથી ખુલતું હોય છે’.
વિવિધા
Block: Site: Subtree Block
1950થી લઇને આજસુધી અને તે પહેલાંની બ્રિટિશ પડછાયા જેવી ‘સ્ટેટ એસેમ્બલી’ઓની ઉઠાપટક સામાન્ય નહોતી. પંજાબ, આસામ, મધ્ય પ્રાંત, બલૂચિસ્તાન અને સિંધમાં ભારત-વિભાજન પહેલાં જ શતરંજના મહોરાં ગોઠવાઈ ચૂક્યા હતાં, તેનું એક કારણ ભારતના ભાગલાનું હતું. જો તેમ થાય તો કોની સરકારો અને પાકિસ્તાન-હિન્દુસ્તાન બનશે તે સવાલ ચારેતરફ હતો. લાઇન સિસ્ટમ મુજબ એ, બી, સી વર્ગીકરણમાં મેલો ઇરાદો હતો કે પંજાબ, પૂરું આસામ અને બંગાળ પાકિસ્તાનમાં જાય. એક આંશિક બાકાત સમિતિ રચવામાં આવી.
સનાતની સંસ્કૃતિમાં પિતા એટલે શાશ્વત આધાર, કાયમી સંરક્ષક, પોષક તેમજ પાલક, સાચાં માર્ગનાં પથદર્શક, સર્વાંગી શિક્ષક, સચોટ વ્યવસ્થાપક અને મહાન સત્પ્રેરક પારિવારિક વ્યક્તિ. દરેક સંસ્કૃતિમાં, દરેક પરિવારમાં પિતાનું આગવું સ્થાન હોય છે. તેમનું કાર્યક્ષેત્ર પણ વિશેષ અને જટિલ હોય છે. એક રીતે પિતા એટલે કુટુંબ અને સમાજને પરસ્પર સાંકળતી કડી. પિતા સમાજ માટે કુટુંબનો બાહ્ય ચહેરો છે તો સાથે સાથે કુટુંબ માટે સમાજનો આંતરિક ચહેરો છે. પિતા થકી પરિવારનો સમાજ સાથેનો વ્યવહાર સ્થાપિત થાય અને સમાજનું કુટુંબ સાથેનું સમીકરણ નિર્ધારિત થાય. સમાજ અને કુટુંબ વચ્ચેની એક જટિલ વાસ્તવિકતા એટલે પિતા. આ સમગ્ર વ્યવસ્થામાં પોતાનાં સ્વાર્થ કરતાં પરિવારનાં - સંતાનના કલ્યાણને અગત્યનું માને તે પિતા.
1975ના જૂનનો ઉત્તરાર્ધ એટલે, ભારતીય લોકતંત્ર અને બંધારણ પરનો પહેલો વજ્રાઘાત. આંતરિક કટોકટી, પ્રિ-સેન્સરશીપ, ‘મિસા’નો અટકાયતી કાયદો, ડીઆરઆઇ (ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ)નો બેફામ ઉપયોગ, જેલોમાં કારાવાસીઓ, 37 હજાર પ્રકાશનોનું ગળું રૂંધવાનો અંધાધૂંધ પ્રયાસ, અખબારો અને સાહિત્ય પર પ્રતિબંધ, જપ્તી-જડતી, થર્ડ ડિગ્રીનો કટોકટી-વિરોધીઓ અને યુવકો પર જૂલમ, વિદેશી પત્રકારોની હકાલપટ્ટી, ઓલ ઈન્ડિયા રેડિયોનું સરકારી ભોંપુંમાં પરિવર્તન, પ્રેસ પરિષદનો સંકેલો, ત્રણ સમાચાર સંસ્થાઓનું એકમાં વિલીનીકરણ, સ્વાધીન ચુકાદો આપનારાં ન્યાયાધીશોની બદલી, જેલોમાં યોગ્ય સારવારના અભાવે 107 ‘મિસા’વાસી અને બીજા કાનૂન હેઠળ પકડાયેલાઓના મૃત્યુ...
કેટલાક દિવસો સમાજ અને દેશને માટે નિર્ણાયક બની જતા હોય છે. યુદ્ધોમાં હાર કે જીત એવી ઘટના હોય છે, પણ કોઈ એક ઇમારતમાં બેસીને થોડાક નેતાઓ પોતાના વર્તમાન અને ભવિષ્યને અસર કરતો કોઈ દુર્ભાગી નિર્ણય લે તે સૌથી વધુ ઐતિહાસિક કરુણાંતિકાનો દિવસ છે. 14-15 જૂન એવો જ એક દિવસ હતો.
1975ના જૂનનો ઉત્તરાર્ધ એટલે, ભારતીય લોકતંત્ર અને બંધારણ પરનો પહેલો વજ્રાઘાત. આંતરિક કટોકટી, પ્રિ-સેન્સરશીપ, ‘મિસા’નો અટકાયતી કાયદો, ડીઆરઆઇ (ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ)નો બેફામ ઉપયોગ, જેલોમાં કારાવાસીઓ, 37 હજાર પ્રકાશનોનું ગળું રૂંધવાનો અંધાધૂંધ પ્રયાસ, અખબારો અને સાહિત્ય પર પ્રતિબંધ, જપ્તી-જડતી, થર્ડ ડિગ્રીનો કટોકટી-વિરોધીઓ અને યુવકો પર જૂલમ, વિદેશી પત્રકારોની હકાલપટ્ટી, ઓલ ઈન્ડિયા રેડિયોનું સરકારી ભોંપુંમાં પરિવર્તન, પ્રેસ પરિષદનો સંકેલો, ત્રણ સમાચાર સંસ્થાઓનું એકમાં વિલીનીકરણ, સ્વાધીન ચુકાદો આપનારાં ન્યાયાધીશોની બદલી, જેલોમાં યોગ્ય સારવારના અભાવે 107 ‘મિસા’વાસી અને બીજા કાનૂન હેઠળ પકડાયેલાઓના મૃત્યુ...
દરેક વ્યક્તિના જીવનનું અંતિમ ધ્યેય તો એ જ હોય છે કે સુખી થવું. સુખની પ્રાપ્તિ માટે એ તનતોડ મહેનત કરે છે. પૈસા, સ્ટેટસ અને સત્તા મેળવવા પાછળ જિંદગીના અમૂલ્ય વર્ષો વિતાવી દે છે. આ વિચાર સાથે કે જો આટલા પૈસા કમાવી લેવાય અને આ પોઝિશન પર પહોંચી જવાય તો સુખ હાથવેંતમાં જ છે. આ બધું મળવાં છતાં પણ સુખ મૃગજળ જ રહે છે, દૂર ભાગતું રહે છે. એવું શું કરી શકાય કે સુખ સામેથી ભેટવા આવે? જવાબ સરળ છે. કોઈપણ જાતના સ્વાર્થ વગર, શરતોથી બંધનમુક્ત અપાયેલ દાન, સદભાવનાથી કોઈને કરાયેલ મદદ માનવીને પરમસુખ આપવા શક્તિમાન છે.
બેરિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધી દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહનો પ્રયોગ કરીને સ્વદેશ પાછા ફર્યા ત્યારે શું કરવું, કઈ રીતે કરવું તેની દ્વિધા હતી એટલે પૂણે ગયા. ગોપાલકૃષ્ણ ગોખલે તે સમયના ખ્યાત નેતા, તેમને મળ્યા. ગોખલે પાસે યુવા વકીલ મોહનદાસ કરમચંદ ગાંધીની દક્ષિણ આફ્રિકાની પ્રવૃત્તિ વિષે જાણકારી હતી. તેમની જાહેરજીવનમાં કામ કરવાની ઈચ્છા વિશેની વાતચીત થાય પછી એક સૂચન કર્યું, ‘મિસ્ટર ગાંધી, તમારે કોઈ પણ કામ કરવું હોય તો પહેલાં સમગ્ર ભારતનો પ્રવાસ કરો. દેશ અને સમાજને જુઓ, ઓળખો, આત્મસાત થઈ શકશો તો આપોઆપ રસ્તો મળી જશે.’
વિજ્ઞાનીઓએ ભારે ગણતરી કર્યા પછી માનવજાતનો અંત ક્યારે આવશે તેની આગાહી કરી છે. ‘ડૂમ્સડે આર્ગ્યુમેન્ટ’ કરીકે ઓળખાવાયેલી તેમની ગાણિતિક ફોર્મ્યુલા અનુસાર આશરે 17,100 વર્ષ પછી માનવજાતનો અંત આવશે. જોકે, તેમણે આ ગણતરીને 95 ટકા ચોકસાઈ સાથેની ગણાવી છે એટલે માનવજાત વિલુપ્ત થઈ ન જવા વિશે થોડી આશા તો રહી છે.
આશ્રમ માર્ગ પર એક ઐતિહાસિક શિક્ષણ સંસ્થાન છે ગૂજરાત વિદ્યાપીઠ. તેના લીલાછમ પરિસરમાં એક સ્થાનનું નામ છે ડો. પ્રાણજીવનદાસ મહેતા ભવન. અહીં સભાઓ થાય છે, કાર્યક્રમો યોજાય છે, રોજ વિદ્યાર્થીઓ અને અધ્યાપકો ચરખો કાંતે છે, ગાંધીજીને પ્રિય ભજનો અને પ્રાર્થનાના સ્વર ગુંજે છે.
