વિવિધા

No

Block: Site: Subtree Block

    ભાદરણ: ચરોતરનું પેરિસ...

    ‘ગામ માત્ર નકશા પર દેખાતી એક વસાહત નથી. તે પેઢીઓના સંસ્કાર, સંઘર્ષ, સેવા અને સપનાઓનો જીવંત ઇતિહાસ છે.’ ગુજરાતના આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં આવેલું ભાદરણ માત્ર એક ગામ નથી, પરંતુ ચરોતરની સાંસ્કૃતિક, સામાજિક અને શૈક્ષણિક જાગૃતિનું પ્રતીક પણ છે. સદીઓ જૂનું આ ગામ પોતાની સમૃદ્ધ પરંપરા, પ્રગતિશીલ વિચારસરણી, કૃષિ સમૃદ્ધિ, શિક્ષણ, સમાજસેવા અને વિશ્વભરમાં વસેલા પોતાના પ્રવાસી સમાજના કારણે વિશિષ્ટ ઓળખ ધરાવે છે.

    ક્યાં લાહોર, ક્યાં ભાવનગર? એકસ

    એંસી વર્ષ પહેલાનાં બે જર્જરિત પણ ઐતિહાસિક પુસ્તકો. એક તો ગુજરાતીમાં, ઝવેરચંદ મેઘાણીએ સંપાદિત કરેલી ‘વહેતાં પાણી પ્રકાશનમાળા’માં 23 જાન્યુઆરી, 1946ના દિવસે છપાયું. શીર્ષક છે, ‘લાલ કિલ્લાનો મુકદ્દમો’. કિંમત દોઢ રૂપિયો. ક્રાંતિ-સાહિત્યના સંગ્રહકર્તા મનસુખલાલ છાપીયાએ તેમના અવસાન પહેલાં આ પુસ્તક આપ્યું હતું. 79 વર્ષથી સચવાયેલા પુસ્તકના પાનાં જીર્ણશીર્ણ છે, હાથ અડાડતાં સલામત ના રહે એવી દશા. એટલું વંચાય કે પારેખ બંધુઓએ પોતાના મુદ્રણાલયમાં ભાવનગરમાં પ્રકાશિત કર્યું, અમદાવાદમાં ભારતી પ્રકાશને વાચકો સુધી મૂક્યું.

    1947 પછી ત્રણ-ચાર પેઢી બદલાઈ ગઈ. તે પછી પાકિસ્તાનનું એક વધુ વિભાજન થયું અને પૂર્વ પાકિસ્તાન ‘બાંગલા દેશ’ બન્યું. નેપાળ, મ્યાંમાર, શ્રીલંકા અલગ દેશો અને સત્તાના કેન્દ્ર બન્યા. તિબેટને ચીની અજગરે હડપી લીધું, તેના રાજકીય-ધાર્મિક વડા દલાઇ લામા વર્ષોથી ભારતમાં છે. ધર્મશાળા - હિમાચલ પ્રદેશમાં તેમની અસ્થાયી તિબેટ સરકારની રાજધાની છે. પાકિસ્તાને આક્રમણથી પ્રાપ્ત કરેલું કાશ્મીર પીઓકે (પાકિસ્તાન ઓકયુપાઈડ કાશ્મીર) અને ‘આઝાદ કાશ્મીર’ના નામે અસ્તિત્વ ધરાવે છે, ત્યાં પાકિસ્તાની સેના અને પાકિસ્તાની આતંકવાદીઓની છાવણીઓ છે. બન્ને સાથે મળીને ભારતીય કાશ્મીરમાં હિંસાખોરી અને અલગાવવાદ માટે 1948થી પ્રયાસરત છે.

    ખેલ તો જૂન-જુલાઇના દિવસોનો હતો, પણ તેના પડઘા હજુ શાંત થયા નથી. બિચારા ન્યાયમૂર્તિએ તો નવરા પડેલા એક વર્ગ માટે જ કોક્રોચ શબ્દ વાપર્યો હતો. અચાનક અમેરિકાનો એક યુવક ઇન્ટરનેટ પર આ નામે પક્ષ સ્થાપી બેઠો. અમેરિકામાં તો તે ઘટનાને કોઈએ ગંભીરતાથી લીધી નહીં, પણ ભારતમાં તેને સમર્થન મળ્યું. તેમાં બીજો વિદેશ રહેતો યુવક ભળ્યો, ત્રીજો ભારતથી ઉમેરાયો. નીમિત્ત તો નીટ (NEET - નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ) પરીક્ષાનું પેપર લીક થઈ તે હતું, પણ યુવકો ભારેલા અગ્નિને સાચવીને બેઠા હોય છે. એકાદ દિવાસળીથી ભડકો થઈ જાય.

    કોક્રોચ, અનશન, આંદોલન, વિપક્ષ અ

    ખેલ તો જૂન-જુલાઇના દિવસોનો હતો, પણ તેના પડઘા હજુ શાંત થયા નથી. બિચારા ન્યાયમૂર્તિએ તો નવરા પડેલા એક વર્ગ માટે જ કોક્રોચ શબ્દ વાપર્યો હતો. અચાનક અમેરિકાનો એક યુવક ઇન્ટરનેટ પર આ નામે પક્ષ સ્થાપી બેઠો. અમેરિકામાં તો તે ઘટનાને કોઈએ ગંભીરતાથી લીધી નહીં, પણ ભારતમાં તેને સમર્થન મળ્યું. તેમાં બીજો વિદેશ રહેતો યુવક ભળ્યો, ત્રીજો ભારતથી ઉમેરાયો. નીમિત્ત તો નીટ (NEET - નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ) પરીક્ષાનું પેપર લીક થઈ તે હતું, પણ યુવકો ભારેલા અગ્નિને સાચવીને બેઠા હોય છે. એકાદ દિવાસળીથી ભડકો થઈ જાય.

    જેન-ઝી સમાજ-બદલાવનો કેવો સંકેત...

    આજકાલ જેન-ઝીની ચારેતરફ ચર્ચા છે. બૌદ્ધિક જગત તો એટલું પ્રભાવિત થઈ ગયું છે કે તેમાં ભારત સહિત દુનિયા આખીના પરિવર્તનની આગાહી કરવા માંડ્યુ છે. આમેય આપણાં બૌદ્ધિકો, રાજકારણીઓ, સાહિત્યકારોની નજર પશ્ચિમ તરફ રહી છે. આલોચકો કહે છે કે સંવિધાન પણ 1937માં બ્રિટિશ ભેજાંઓએ ભારતમાં સત્તા કાયમ રાખવાના ખેલ તરીકે, લટકતાં ગાજર જેવી પ્રાતિનિધિક વ્યવસ્થા ઊભી કરી તેનું અનુસરણનો નમૂનો છે. એ ઠીક છે કે નવી નવી આઝાદીના માહોલને લીધે મૂળભૂત સ્વતંત્રતા અને બિન-સંપ્રદાયિક્તા જેવા ઉત્તમ આદર્શો ઉમેરવામાં આવ્યા. ‘અમે ભારતના લોકો’નો મંત્ર ઉચ્ચારીને તૈયાર થયેલા સંવિધાનનો કેવો અને કેટલો ઉપયોગ-દુરુપયોગ થયો તે ઇતિહાસ જાણીતો છે. વ્યક્તિ અને વ્યવસ્થા બંનેમાં ગુણાત્મક પરિવર્તનનો વૈદિક પરંપરાનો આદર્શ જ ભૂલાઈ ગયો, તેનાં માઠાં પરિણામો 1975-76માં જોઈ લીધા છે.

    અમારા દેશમાં થોડા દિવસ પહેલાં એક બહુ જ નજીકના મિત્રની દીકરીને શુભ પ્રસંગમાં મળવાનું થયું. સલોની રાવ સ્પેનમાં રહે છે. અવારનવાર ફોનમાં પણ વાતચીત થતી હોય. એક વાર મારો અવાજ બહુ જ ઢીલો હતો. મને પૂછે છેઃ કારણ? મેં કહ્યું કે એકલવાયું લાગે છે અને કોઈપણ પ્રવૃત્તિમાં રસ નથી. મારા કરતાં કદાચ 25 વર્ષની દીકરી મને શિખામણ આપી માર્ગદર્શક બની રહી. મને કહે કે તમારે મંદિરમાં જવું. સ્પેનમાં જ્યાં પોતે રહે છે નાના ગામમાં ત્યાં બાજુના ગામમાં મંદિર છે તો મને કહે છે અમે દર રવિવારે અથવા પ્રસંગે મંદિરે જઈએ. ત્યાંથી જાણે અમને ચેતનાનો અનુભવ થાય છે - અને બધાને મળીને આનંદ આવે. મંદિરમાં સકારાત્મક ઊર્જા હોય જ છે.

    આપણા મંદિરોઃ એક વૈજ્ઞાનિક સત્

    અમારા દેશમાં થોડા દિવસ પહેલાં એક બહુ જ નજીકના મિત્રની દીકરીને શુભ પ્રસંગમાં મળવાનું થયું. સલોની રાવ સ્પેનમાં રહે છે. અવારનવાર ફોનમાં પણ વાતચીત થતી હોય. એક વાર મારો અવાજ બહુ જ ઢીલો હતો. મને પૂછે છેઃ કારણ? મેં કહ્યું કે એકલવાયું લાગે છે અને કોઈપણ પ્રવૃત્તિમાં રસ નથી. મારા કરતાં કદાચ 25 વર્ષની દીકરી મને શિખામણ આપી માર્ગદર્શક બની રહી. મને કહે કે તમારે મંદિરમાં જવું. સ્પેનમાં જ્યાં પોતે રહે છે નાના ગામમાં ત્યાં બાજુના ગામમાં મંદિર છે તો મને કહે છે અમે દર રવિવારે અથવા પ્રસંગે મંદિરે જઈએ. ત્યાંથી જાણે અમને ચેતનાનો અનુભવ થાય છે - અને બધાને મળીને આનંદ આવે. મંદિરમાં સકારાત્મક ઊર્જા હોય જ છે.

    15 ઓગસ્ટ અને દેશપ્રેમ...

    ઉત્સવ મહત્વનાં છે. તેનાથી ચોક્કસ પ્રકારની સંલગ્નતા ફરીથી સ્થાપિત થતી હોય છે, કેટલીક વિચારસરણીની પુનરુક્તિ થતી હોય છે, ઇતિહાસ તથા પરંપરા સાથે ફરીથી સંકળાવાની તક ઉભી થતી હોય છે, કેટલીક ભુલાઈ ગયેલી બાબતો ફરીથી તાજી થતી હોય છે, સમાજ અને વ્યક્તિનો ચોક્કસ પ્રકારની ‘ઓળખ’ સાથે ફરીથી નાતો બંધાતો હોય છે. ઉત્સવ ધાર્મિક હોય, સામાજિક હોય કે રાષ્ટ્રીય, તેનું મહત્વ જાણે ફરીથી સ્થાપિત થતું હોય છે, યાદ આવતું હોય છે, અનુભવાતું હોય છે અને તે બધાંને કારણે ચોક્કસ પ્રકારની માનસિકતા ફરીથી ઉભરતી હોય છે. સમાજના સ્વાસ્થ્ય માટે આ જરૂરી છે. સમાજની પરંપરાને સમજવા માટે આની આવશ્યકતા છે.

    14-15ઓગસ્ટ, 1947ની રાત્રિ: ગુલામીની

    દેશ-વિદેશમાં વસતાં ભારતીય સમુદાયમાં દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનો ઉમંગ-ઉલ્લાસ છવાયો છે. આજે આપણે સ્વતંત્ર દેશમાં - મુક્ત લોકતંત્રમાં શ્વાસ લઈ રહ્યા છીએ. અઢીસો વર્ષની ગુલામી બાદ આપણને મહામૂલી આઝાદી મળી છે. ત્યારે આજથી 80 વર્ષ પહેલાં સ્વતંત્રતા દિનની પૂર્વસંધ્યાથી લઇને સ્વતંત્રતા દિવસની પરોઢ સુધીનાં માહોલ પર પણ એક નજર કરવા જેવી છે.