પશ્ચિમી મીડિયાના ચોક્કસ વર્ગે તાજેતરના દિલ્હીના રમખાણોને ભારતના મુસ્લિમો વિરુદ્ધ ‘જાતિસંહાર’ તરીકે ચીતરવામાં કશું બાકી રાખ્યું નથી. યુએસ સેનેટર બર્ની સેન્ડર્સ અને યુકેના લેબર એમપી ઝારાહ સુલતાના જેવાં અગ્રણી રાજકારણીઓ અને બૌદ્ધિકો પણ આ રમખાણો મુસ્લિમવિરોધી ટોળાંની હિંસા હોવાના નિવેદનો કરવા ધસી ગયાં હતાં. પરંતુ, આપણે વાસ્તવિકતા તરફ નજર કરીએઃ
વિવિધા
Block: Site: Subtree Block
એન્ટવર્પમાં પાલનપુરી જૈનોની હીરાના વેપારમાં બોલબાલા. હીરાના વ્યવસાયમાં સમૃદ્ધ પેઢીઓમાંની એક તે અંકુર ડાયમંડ. માલિક છે કૌશિક ભણસાલી. વતન મુંબઈમાં. તેમની કંપની છે ‘ક્લાસિક ડાયમંડ ઈન્ડિયા લિમિટેડ.’ ૧૯૮૭માં તેમણે અંકુર ડાયમંડ કરીને સ્વતંત્ર વ્યવસાય શરૂ કર્યો.
હોળીનો તહેવાર જ્યાં જ્યાં ભારતીય લોકો રહે ત્યાં ત્યાં ધામધૂમથી ઉજવાય છે. ફાગુ ખીલવાનો આ તહેવાર વસન્ત પંચમીના ૪૦મા દિવસે આવે છે અને ત્યાં સુધીમાં ખુબ સારી રીતે વસંત ખીલી ઉઠી હોય છે. ખેતરમાં પાક તૈયાર થવાની અણીએ હોય છે અને ખેડૂતો તેની ઉજવણી કરે છે. આમ તો આ તહેવાર પણ હિન્દુ ધર્મના અન્ય તહેવારોની જેમ જ કુદરત - નેચર સાથે સંકળાયેલો છે. હોલિકા દહન કરીને સાંજે લોકો અગ્નિની પૂજા કરે છે અને બીજા દિવસે રંગે રમે છે. આ રંગોત્સવ લોકોના હૃદયમાંથી દુશ્મની દૂર કરીને, નાતજાતના સૌ ભેદભાવ ભુલાવીને તેમને સમાનતા અને માનવતાના એક રંગમાં રંગી દે છે. રંગ અને પ્રેમના આ તહેવાર માટે લાખો કવિતાઓ, ગીતો અને ગઝલો લખાઈ છે. ફિલ્મોમાં તેનું વારંવાર ચિત્રાંકન જોવા મળે છે. ભગવાન કૃષ્ણ પણ ગોપીઓ સાથે હોળી પર રંગે રમતા અને તેની રાસલીલાને ભક્તોએ અથાક વર્ણવી છે. વળી હોળી પર ભાંગ પીવાની મજા તો કૈંક અલગ જ હોય.
સન ૧૮૬૫માં ભરૂચમાં જન્મેલ ચીમનલાલ સેતલવાડ તેજસ્વી વિદ્યાર્થી. ૧૫ વર્ષની વયે તેઓ મેટ્રિક થયા. મુંબઈમાં એલ્ફિન્સ્ટન કોલેજમાં જોડાયા અને અંગ્રેજીના જાણીતા કવિ - લેખક વર્ડ્ઝવર્થના હાથ નીચે ભણ્યા. વર્ડઝ્વર્થ ત્યારે પ્રિન્સિપાલ હતા. વર્ડ્ઝવર્થે પોતાના આ પ્રીતિપાત્ર વિદ્યાર્થી બીએ થતાં મુંબઈ રાજ્યના ગવર્નરને નોકરી માટે ભલામણ કરી, પણ ચીમનલાલે સરકારી નોકરી સ્વીકારવાને બદલે ૧૦૦ રૂપિયાના પગારમાં ખાનગી નોકરી કરી. ચાલુ નોકરીએ એલએલબી થયા. ૧૮૮૭માં બોમ્બે હાઈ કોર્ટમાં વકીલ તરીકે પ્રેક્ટિસ શરૂ કરી અને થોડાક વખતમાં જાણીતા થયા.
કોરોના વાઇરસ માનવજાત સામે આવી ચડેલી અણધારી આફત છે અને તે આપણને કેટલાય પાઠ ભણાવી જાય છે. આમ તો તેજતર્રાર ચાલતી જિંદગીમાં આપણને પોતાની સાથે કે પરિવારના લોકો સાથે બેસીને વાતો કરવાનો સમય મળતો નહોતો. સાથે હોઈએ ત્યારે પણ ટીવી ચાલુ હોય કે બધાય પોતપોતાના ફોનમાં કે લેપટોપમાં ગોઠવાયેલા હોય. પરંતુ આ સમય કદાચ સૌને નજીક લાવે તેવી શક્યતા છે. કેટલાક એવા બોધપાઠ, જે સૌ માટે જરૂરી બની શકે:
વડીલો સહિત સર્વે વાચકમિત્રો, વંશીય જૂથો અને વિવિધ જાતિઓ વચ્ચે વેતનની ખાઈ અથવા ગેપ સંદર્ભે વિસ્તૃત ચર્ચાઓ ચાલી રહી છે. પુરુષ અને સ્ત્રીઓ તેમજ વંશીય સ્ત્રીઓ અને શ્વેત સ્ત્રીઓ વચ્ચે વેતનની પ્રવર્તમાન ખાઈ સંબંધે બીબીસીનો પણ કોર્ટ કાર્યવાહીમાં પરાજય થયો છે. ખરેખર તો વંશીયતા અથવા લૈંગિકતા કોઈના હાથની વાત નથી. શિક્ષણ, આરોગ્ય, આવક, જીવનની ગુણવત્તા સહિત જીવનના વિવિધ પાસાનો આધાર તો મોટા ભાગે વ્યક્તિનો જન્મ અને ઉછેર ક્યાં, ક્યારે અને કેવા સંજોગોમાં થયો છે તેના પર જ રહે છે.
ગુજરાતે મહાપુરુષો એવા આપ્યા કે જેમણે દેશ અને દુનિયામાં ડંકો વગાડ્યો. દયાનંદ સરસ્વતી જેવા ધર્મ અને સમાજસુધારક ગુજરાતની દેણ છે તો બબ્બે દેશના રાષ્ટ્રપિતા પણ ગુજરાતી મૂળના છે. ભારતને મહાત્મા ગાંધી તો પાકિસ્તાનને મહંમદઅલી ઝીણા. બંને ગુજરાતી. બંને સૌરાષ્ટ્રવાસી. ગુજરાતને કર્મભૂમિ બનાવનાર ભગવાન શ્રીકૃષ્ણ અને સહજાનંદ સ્વામી બંનેએ ગુજરાતમાં જ દેહ છોડ્યો. સરદાર પટેલ અને નરેન્દ્ર મોદી - બંને ગુજરાતી.
કોરોનાને કારણે લોકોને ઘરમાં રહેવાનો આદેશ મળી ગયો છે. ભારતમાં અને યુકેમાં બંને જગ્યાએ. ગુજરાત પણ ૩૧ માર્ચ સુધી બંધ કરી દેવાયું છે. ભારતમાં પ્રથમ વખત રેલવે બંધ કરાઈ છે. વિદેશથી ભારત આવતા વિમાનોને અટકાવી દેવાયા છે. અહીં યુકેમાં પણ પ્રાઈમ મિનિસ્ટર બોરિસ જ્હોન્સને લોકોને ચાર કારણો સિવાય બહાર નીકળવા પર પ્રતિબંધ લગાવી દીધો. આ ચાર કારણો છે: પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા; કોઈ એક પ્રકારનો વ્યાયામ કરવા; મેડિકલ સેવા આપવા; જો અત્યંત આવશ્યક હોય તો કામ પર જવા. આ ચાર કારણો સિવાય કોઈ બહાર નીકળશે તો તેમની સામે પોલીસ પગલાં લઇ શકે છે.
કોરોનાને કારણે લોકોને ઘરમાં રહેવાનો આદેશ મળી ગયો છે. ભારતમાં અને યુકેમાં બંને જગ્યાએ. ગુજરાત પણ ૩૧ માર્ચ સુધી બંધ કરી દેવાયું છે. ભારતમાં પ્રથમ વખત રેલવે બંધ કરાઈ છે. વિદેશથી ભારત આવતા વિમાનોને અટકાવી દેવાયા છે. અહીં યુકેમાં પણ પ્રાઈમ મિનિસ્ટર બોરિસ જ્હોન્સને લોકોને ચાર કારણો સિવાય બહાર નીકળવા પર પ્રતિબંધ લગાવી દીધો. આ ચાર કારણો છે: પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા; કોઈ એક પ્રકારનો વ્યાયામ કરવા; મેડિકલ સેવા આપવા; જો અત્યંત આવશ્યક હોય તો કામ પર જવા. આ ચાર કારણો સિવાય કોઈ બહાર નીકળશે તો તેમની સામે પોલીસ પગલાં લઇ શકે છે.
મહંમદઅલી ઝીણા જેવા રાષ્ટ્રવાદી અને હિંદુ-મુસ્લિમ એકતાના હિમાયતી મુસ્લિમ આગેવાનો ૧૯૨૦ પહેલાં ખૂબ જ થોડા હતા અને મહંમદઅલી ઝીણા એમાં આગેવાન હતા. ૧૯૧૬માં કોંગ્રેસ અને મુસ્લિમ લીગે પરસ્પર સહકારના કરાર કર્યા ત્યારે તેમણે આ કરારને આવકારતાં કહ્યું હતુંઃ ‘અભિનવ ભારતની ઉન્નતિ અને પ્રગતિ માટે નાની-મોટી વાતો છોડી દેવી જોઈએ. બંનેએ પરસ્પર દ્વેષ અને ભાગલાવાદી પ્રવૃત્તિ અને વૃત્તિ છોડી દેવાં જોઈએ. કજિયા, કંકાસ, મિથ્યાભિમાન છોડી દેવાં જોઈએ. ગેરસમજો છોડવી જોઈએ. આવો ત્યાગ ખુદાને ખૂબ ગમશે.’
