કાશ્મીરમાં ભારત અને પાકિસ્તાનની સેના વચ્ચે લડાઈ ચાલતી હોય અને એનાથી ત્રણ જ માઈલના અંતરે આવેલા ભારતીયો માટેના પ્રતિબંધિત વિસ્તાર સિયાલકોટમાં કમળાબહેન પટેલ કોઈ પાકિસ્તાની પોલીસ અધિકારી સાથે જરાય ગભરાયા વિના પોતાના સ્ત્રીઓને પુનઃ પ્રાપ્ત કરવાના મિશન પર જાય ત્યારે ખરી ચરોતરી વીરાંગનાનાં દર્શન એમનામાં થાય એ સ્વાભાવિક છે.
વિવિધા
Block: Site: Subtree Block
નેઇલ પોલિશ અને નેઇલ આર્ટમાં આમ તો વિવિધ ટ્રેન્ડ આવતાં જ રહે છે. ક્લિયર, ક્રિસ્ટલ, એક્રિલિક – ટ્રાન્સપરન્ટ વગેરે વગેરે. જોકે જેલી નેઈલ આર્ટ માનુનીઓમાં વિશેષ પ્રિય છે. નેઇલ પોલિશ અને નેઇલ આર્ટ માટે જોકે તમારા નખની સંભાળ રાખવી ખૂબ મહત્ત્વની બની જાય છે. નેવુંના દાયકાથી જેલી નેઈલ આર્ટનો ક્રેઝ વધ્યો છે. નેઈલ આર્ટ જેમને ગમે છે તે યુવતીઓ અને મહિલાઓ જેલી ટ્રાન્સપરન્ટ નેઈલ આર્ટ પસંદ કરે છે. એ જ ફેશન જેલી નેઇલ આર્ટ અત્યારે પણ ટ્રેન્ડી છે. જેલી નેઇલ લુક માટે રેઇનબો જેલી, ઓમ્બ્રે બેઝ અને વિવિધ ભૌમિતિક આકારના પ્રયોગ થાય છે. જેલી નેઇલ આર્ટ ઓફિસ જતી માનુનીઓ કે પાર્ટીમાં મહાલતી મહિલાઓમાં ઘણી વિખ્યાત છે.
ઝવેરભાઈ ૧૮૯૮માં લીમડીના દીવાન બન્યા. ૧૯૨૮ સુધી દીવાન રહ્યા. બરાબર ૩૦ વર્ષ દીવાન તરીકે નિષ્ઠાપૂર્વક રાજ્યની સેવા કરી. તેઓ નોકરીમાંથી ૭૯ વર્ષની વયે નિવૃત્ત થતાં તેમને પેન્શન મળતું હતું. તેમની નિવૃત્તિ પછી રાજ્યની નીતિરીતિ બદલાઈ. ઝવેરભાઈને ન ગમે તે રીતે રાજ્યનો વહીવટ ચાલવા લાગ્યો. આના વિરોધમાં તેમણે એવા રાજ્યના પૈસા લેવાનું સામે ચાલીને લેવાનું બંધ કર્યું. ત્યારે કંઈ દેશી રાજ્યોમાં લોકશાહી ન હતી. રાજા અને દીવાન મળીને પોતાને ગમતી રીતે વહીવટ કરે, એમાં નિવૃત્ત દીવાનને માથું મારવાનું ના જ હોય. દીવાન નિવૃત્ત હોય પછી રાજાએ તેમને પૂછવાનું પણ ના જ હોય. છતાં ઝવેરભાઈની નીતિમત્તાનાં ધોરણ ઊંચા હતાં. એ પૈસાના પૂજારી ન હતા. ન ગમતા વહીવટવાળા રાજ્યના પૈસા લેવાનું એમને ના ગમ્યું અને સ્વેચ્છાએ પેન્શન છોડ્યું.
‘નીલે ગગન કે તલે....’ ગીત માટે માટે મહેન્દ્ર કપૂરને ફિલ્મફેર પુરસ્કાર મળ્યો તો એક સિનિયર ગાયકે એમના ઘરે જઈને અભિનંદન આપ્યા હતા. લતા મંગેશકર કરતાં એ ઉંમરમાં અને કારકિર્દીમાં મોટા હતા તો પણ કાયમ લતા દીદી જ કહેતા. મહાન ક્રિકેટર એમ. એસ. ધોની જ્યારે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી વિદાય લે છે ત્યારે એક વીડિયો બનાવીને સોશીયલ મીડિયામાં મુકે છે, એમાં સ્વર છે એ ગાયકનો. હા... વાત છે મુકેશજીની. મૂળ નામ મુકેશચંદ્ર માથુર, પણ પુરી દુનિયા એમને મુકેશના નામે ઓળખે છે. ત્રણેક દાયકા શ્રોતાઓના હૃદય પર છવાયેલા રહ્યા જ્યારે જીવીત હતા. ડેટ્રોઈટમાં અવસાન થયું એ પછી પણ એ એટલા જ છવાયેલા છે શ્રોતાઓના હૃદયમાં.
માણસ જાય ત્યાં એના પરસેવાની ગંધ અને પડછાયો સાથે જાય છે. આવી જ રીતે માનવીની સાથે સાથે અજ્ઞાત રીતે એના સંસ્કાર અને માન્યતા જાય છે. આ સંસ્કાર અને માન્યતાનું બીજ વખત આવ્યે નવી પરિસ્થિતિમાં પણ ફૂલેફાલે છે. આવું જ થયું નડિયાદમાં વસેલા વીરસદના અશોકભાઈ અમીનને.
ભાઈ-ભાંડુ અને સગાવહાલા સાથે પરિવારમાં રહો કે હજારો લોકોના ટોળામાં રહો, પરંતુ અંદરથી તમે હંમેશા એકલા જ રહેવાના છો એ બાબત યાદ રાખજો. આ વાત ચેતવણી, ધમકી, શિખામણ કે દુઃખદ ભાવનાથી કહી નથી, પરંતુ જીવનના એક ઉમદા સત્ય તરીકે રજુ કરી છે. એકલા હોવું, પોતાની સાથે હોવું એ કઈ સજા નથી. આખરે તો માણસ આવે છે અને જાય છે એકલો જ ને?
કાશ્મીરમાં પ્રજાએ તો રાહતનો શ્વાસ લીધો અને ૩૭૦મી કલમની નાબુદીને વધાવી લીધી. ભ્રષ્ટ અને કાશ્મીરના ભલા માટે નેતૃત્વ કરવાનું નાટક કરી રહેલા પ્રાદેશિક રાજકીય પક્ષો અને નેતાઓથી મુક્તિ મેળવી છે. કોઈને ય હવે આઝાદ કાશ્મીર જોઈતું નથી, આતંકવાદીઓ પાકિસ્તાન પ્રેરિત છે અને યુવાન પેઢીને ગલત રસ્તા પર લઇ જાય છે એવું સમજુ કાશ્મીરી સમજી ગયો છે.
કોણ કમળાબહેન શંકરલાલ પટેલ? કોઈ પૂછે તો શક્ય છે કે આજે તો ચરોતરમાં જ નહીં, પણ એમના વતન સોજિત્રામાં કે સાસરી નડિયાદમાં કે પછી મહાત્મા ગાંધીના જે ગાંધી આશ્રમમાં એ પિતા શંકરલાલની સાથે રાષ્ટ્રપિતાની છાયામાં સંસ્કારિત થયાં ત્યાં પણ કોઈ જાણતું હોવાની શક્યતા નથી.
યુકેસ્થિત લંડન ખાતેનાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર - નીસડનનું રજતજયંતી વર્ષ ચાલી રહ્યું છે. ગત ૨૦મી ઓગસ્ટના રોજ આ ‘નીસડન મંદિર’ની રજતજયંતી નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ મંદિરની મુલાકાતના પોતાની વર્ષ-૨૦૦૩ની મુલાકાતના સંસ્મરણોને ટ્વિટના માધ્યમે વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ‘આ મંદિરે સૌને સાથે જોડ્યા, માનવતા માટે કાર્ય કરવા પ્રેરિત કર્યા છે.’ જ્યારે યુકેના વડા પ્રધાન બોરિસ જ્હોન્સને પણ ઈન્સ્ટાગ્રામ તથા ટ્વિટર પર નીસડન મંદિરને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે ‘નીસડન મંદિર ગૌરવપૂર્ણ બ્રિટિશ સીમાચિહ્ન છે અને હિન્દુ સમુદાય દ્વારા યુકેને અપાયેલી મહાનતમ ભેટમાંથી એક છે.’
NHS દ્વારા સાઉથ એશિયન લોકોને તેમને ટાઈપ-૨ ડાયાબિટીસ થવાનું જોખમ છે કે કેમ તે જાણવા પ્રોત્સાહિત કરાઈ રહ્યા છે. આ માટે ડાયાબિટીસ યુકે દ્વારા આયોજિત ‘Know Your Risk’ ટુલનો ઉપયોગ કરવાનો રહે છે. ડેટા મુજબ કોરોના વાઈરસના કારણે મોતનો શિકાર બનેલા લોકોમાં આશરે એક તૃતીઆંશ લોકોને ડાયાબિટીસ હોવાનું જણાયાના પગલે આ પ્રોત્સાહન અપાઈ રહ્યું છે.
