આ વ્યક્તિત્વ - આ કલાકાર આજે ૭૮ વર્ષની ઊંમરે પણ અનેક શારીરિક મર્યાદાઓ સાથે રોજ ૧૫ કલાક કામ કરે છે. ૫૧ વર્ષની એમની ફિલ્મ કારકિર્દીમાં છ જનરેશનની હીરોઈન સાથે ફિલ્મોમાં રોલ કર્યા છે. અંગદાન માટેનો સંકલ્પ તેમણે હમણાં જ લીધો છે. હિન્દી સિનેમા માટેની તેમની પહેલી સફળ ફિલ્મ ‘ઝંઝીર’ ટર્નિંગ પોઈન્ટ બની રહી છે. હિન્દી સિનેમાને એંગ્રી યંગમેનની હીરોની ભેટ આપનાર એ કલાકાર એટલે અમિતાભ બચ્ચન, જેમનો ૧૧ ઓક્ટોબરે જન્મદિવસ છે. અમિતાભ બચ્ચન એક વ્યક્તિ માત્ર નહીં, બલ્કે એક સંસ્થા છે. ગુજરાતના સંદર્ભે વાત કરીએ તો ગુજરાત ટુરિઝમ માટે ‘કુછ દિન તો ગુજારો ગુજરાત મેં’ પંક્તિ સાથે તેઓ ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર રહી ચૂક્યા છે.
વિવિધા
Block: Site: Subtree Block
કેટલાય લોકો જીવનભર મહેનત કરે છતાંય કઈ ખાસ સફળતા ન મળે તેવું બનતું હોય છે. મોટા ભાગના લોકો તો આખું જીવન વૈતરું કરીને જ કાઢી નાખતા હોય છે. તેમને ખબર જ નથી હોતી કે તેમની નિપુણતા ક્યાં ક્ષેત્રમાં છે અને તેમની પ્રતિભા ક્યાં ક્ષેત્રમાં સારી વિકસી શકે તેમ છે. એટલા માટે તેઓ જ્યાં સારા પૈસા મળે અને ઘર ચાલે તે ક્ષેત્રમાં મહેનત કર્યા કરે છે. તેની સામે કોઈ કોઈ એ દિશામાં પણ રચ્યાપચ્યા રહે છે જ્યાં પ્રસિદ્ધિ વધારે હોય અને નામના મેળવવાની શક્યતા હોય. ઉપરાંત તેવા લોકોની તો કોઈ કમી જ નથી ને કે જેઓ સ્પોર્ટ્સ, ફિલ્મ કે એવી બીજી કોઈ ગ્લેમરસ દુનિયામાં જઈને પોતાનું નામ બનાવવા માંગતા હોય.
આપણે ગુજરાતીઓ જ્યાં ગયા ત્યાં આપણી જીવનશૈલી, પરંપરા અને આહાર-વ્યવહારને સાથે લઇને ગયા છીએ. ગુજરાતી તરીકેની આપણી આગવી ખાસિયત, નીતિ-રીતિ, સ્વભાવ આપણી રગેરગમાં વણાઇ ગયેલો હોય છે. એ સ્વભાવ કે ખાસિયત એવી કોઠે પડી ગઇ હોય છે કે વર્ષો સુધી, અરે… પેઢીઓ સુધી માદરે વતન ગુજરાત સાથે કોઇ નાતો એટલે કે કનેક્શન જ ના રહ્યું હોય તેમ છતાં ગુજરાતીપણું કોઠે પડી જ ગયું હોય. અમને પણ આ વાતમાં દમ નહોતો લાગતો પણ હમણાં હમણાં ઘરે બેઠાં કામ કરતા હોઇએ એટલે કયારેક કિંગ્સબરી, વેમ્બલી અને હેરોની શાકભાજીની દુકાનોમાં શોપીંગ કરવા જવાનું થાય છે એ વખતે આપણી અસ્સલ ગુજરાતી ખાસિયતો અમારી બાજ નજરે ઝડપી લીધી.
લાડકોડમાં ઉછરેલ નાચતા-કૂદતાં ઝરણા જેવી અલ્હડ દિકરી યુવાનીના ઉંબરે પગ મૂકતાં સરિતા જેવી ઠરેલ બની સાસરવાસની વાટ પકડી પ્રતિકૂળ વાતાવરણને અનુકૂળ બનાવી પોતાના જીવનની ગાડી હાંકતી, કપરાં સંજોગોનો હિંમતભેર સામનો કરી સંસાર સાગર પાર કરી રહેલ અનેક યુવતીઓને આ કહાનીમાં પોતાની વીતક હોવાનો અહેસાસ થવાની સંભાવના ખરી. આજે હું પ્રીતિ પટેલ નામની યુવતીની વાત કરી રહી છું. મૂળ ધર્મજના શ્રી શાંતિભાઇ પટેલ અને વિરબાળાબહેનની દિકરી પ્રીતિ. મોહમયી મુંબઇ નગરીમાં જન્મ-ઉછેર, કુટુંબમાં ચાર દિકરીઓ અને એક દિકરો, એમાં સૌથી નાની પ્રીતિ એટલે ઘરમાં જવાબદારીનો બોજ પ્રમાણમાં જૂજ. જોકે દિકરીને ઘરકામ અને રસોઇની તાલીમ તો ઓછેવત્તે અંશે અપાય જ!
Most families have experienced upheaval in their daily lives during the pandemic. With children and young people now back at school or college, PHE’s new mental health campaign provides NHS-endorsed tips and advice to help children and young people’s mental wellbeing and equip parents and carers with the knowledge to support them.
‘અરે, એક વર્ષ ગ્રાઉન્ડમાં ગરબા ન રમ્યા તો શું થયું? આવતા વર્ષે બમણા જોરથી રમીશું...’ ચાહત બોલી. ‘મારા ડેડી ટોપ એફએમ રેડિયોમાં આરજે છે, તેમના રેડિયો દ્વારા ટેક-તાલી ૨૦૨૦નું આયોજન કરાયું છે. ઘરમાં ગરબા રમશું. વીડિયો મોકલશું ને મળે તો ઇનામોની મૌજ પણ લઈશું...’ સ્તુતિએ કહ્યું. ‘મને તો થાય છે કે ગાયત્રી મંત્રનું અનુષ્ઠાન કરવાનો અવસર મળ્યો છે આપણને...’ રૂદ્રીએ કહ્યું. વાત એમ છે કે, આ વર્ષે ૨૦૨૦માં કોરોના વાઇરસના સંક્રમણને રોકવા ગુજરાત સરકારે નવરાત્રીમાં પાર્ટી પ્લોટના ને શેરી ગરબા, એમ બધા પર પ્રતિબંધ ફરમાવ્યો એની ચર્ચા સખીઓ-યુવતીઓ કરતી હતી. માત્ર માતાજીની મૂર્તિ કે ગરબીની સ્થાપના કરીને આરતી કરી શકાશે, એ પણ તમામ નિયમોનું પાલન કરીને.
• જેલમુક્ત થતાંની સાથે જ શશીકલાઅમ્મા હવે સલામતી કાજે નવાં સમાધાનો શોધશે • પરણીસામી આવતા વર્ષની ચૂંટણીમાં ભાજપના અઘોષિત ટેકે ફરી સત્તારૂઢ થઇ શકે • ૧૯૬૭થી દ્રવિડ શાસિત પ્રદેશમાં કરુણાનિધિ એમજીઆર અને જયાઅમ્માનો ખાલીપો • લોકસભા કે ધારાસભામાં ભાજપના એક પણ સભ્ય નથી એ મહેણું ભાંગવાના ઉધામા
વર્તમાન સમયનો ગુજરાતી સાહિત્યરસિક કૂપમંડુક નથી. એ તો સમય અને સ્થળની સરહદોને પાર જઈ સાહિત્યના વિવિધ રસનો આસ્વાદ કરવા માંગે છે. તેથી જ વિશ્વભરની ભાષાઓનું શ્રેષ્ઠ સાહિત્ય ગુજરાતીમાં અસરકારક રીતે ઝીલાતું આવ્યું છે.
૨૦૨૦ ‘ફોર્બ્સ’ ઇન્ડિયા રિચ લિસ્ટ તાજેતરમાં જાહેર થયું. તેમાં કોરોનાના સમયમાં પણ ટોચના ૧૦૦ ધનવાન લોકોની કુલ સંપત્તિ ૧૪% વધી હોવાનું સામે આવ્યું છે. ભારતમાં કોરોનાને કારણે આર્થિક સંકોચન આવેલું પરંતુ આ ૧૦૦ પૈકી ૫૦ ઉદ્યોગપતિઓની સંપત્તિમાં વધારો થયાનું નોંધાયું છે. મુકેશ અંબાણી, રિલાયન્સના ચેરમેન છેલ્લા ૧૩ વર્ષથી પ્રથમ ક્રમાંકે રહ્યા છે અને તેની સંપત્તિમાં ૨૦૨૦ દરમિયાન ૭૩%નો વધારો થઈને, $૩૭.૩ બિલિયન વધીને, $૮૮.૭ બિલિયન સુધી પહોંચી. તેના માટે રિલાયન્સ જીઓમાં થયેલું રોકાણ એક મુખ્ય કારણ છે.
૭ ઓક્ટોબર... આમ સાધારણ જણાતી આ તારીખ ભારતના રાજકીય ઇતિહાસમાં ખૂબ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આ તારીખના રોજ ૨૦૦૧માં નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે પ્રથમ વખત શપથ લીધા હતા. તે ઘડીથી લઈને આજ દિવસ સુધી નરેન્દ્ર મોદી સરકારના વડા તરીકેની દરેક ચૂંટણી જીતી આજે દેશના વડા પ્રધાન તરીકે ભૂમિકા સક્ષમતાથી નિભાવી રહ્યા છે. આજે તેઓની સરકારના વડા તરીકેની સેવા બજાવવાના ૨૦ વર્ષ થઈ રહ્યા છે ત્યારે તેમનામાં રહેલો લોકોનો વિશ્વાસ આદર્શ આગેવાન તરીકેના ગુણની સાક્ષી પૂરે છે.
