સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    કુમકુમ ‘આનંદધામ’માં સાકાર થય

    અમદાવાદ શહેરના મણિનગર સ્થિત કુમકુમ સ્વામિનારાયણ મંદિર દ્વારા હીરાપુર સ્થિત આનંદધામ ખાતે શનિવારના રોજ ‘પ્રસાદી સ્થાન’ ખુલ્લું મૂકાશે. અહીં હરિભક્તો સ્વામિનારાયણ સંપ્રદાયની 200 વર્ષ જૂની પ્રસાદીની વસ્તુઓના દર્શન કરી શકશે. 

    BAPS સ્વામિનારાયણ સંસ્થાને ડાંગુર એવોર્ડ્સ 2025માં ‘હેલ્થ એન્ડ વેલ-બીઈંગ’ એવોર્ડ એનાયત

    BAPS સ્વામિનારાયણ સંસ્થાને BAPS wellNESS પ્રોજેક્ટ મારફત ગ્રેટર લંડનની કોમ્યુનિટીઓની અદ્ભૂત સેવા કરવા બદલ મંગળવાર 25 નવેમ્બર 2025ના રોજ લંડન ડાંગુર એવોર્ડ્ઝ 2025સમારંભમાં ‘હેલ્થ એન્ડ વેલ-બીઈંગ’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. BAPS wellNESS ઈનિશિયેટિવ ડાયાબિટીસ, હૃદયરોગ અને માનસિક આરોગ્ય સમસ્યાઓનો સામનો કરતા બ્રિટિશ સાઉથ એશિયનોમાં આરોગ્ય અસમાનતાઓનું નિવારણ કરવામાં મદદ કરે છે.

    નોર્થ અમેરિકાના કિશોર-કિશોરીઓની ભારતયાત્રા

    ઉનાળા પછી નોર્થ અમેરિકાના કુલ 110 કિશોર-કિશોરીઓએ ભારત યાત્રા 2025 સાથે તેમના જીવનની મહત્ત્વપૂર્ણ યાત્રા કરી હતી. આ પ્રવાસનો વિષય ‘સંપ’ હતો, જે માત્ર વડીલો નહિ, પરંતુ સમગ્ર સત્સંગ કોમ્યુનિટીને આવરી લેતો હતો. કિશોર-કિશોરીઓ અબુ ધાબીના રણથી માંડી દક્ષિણ ભારતના ચોમાસાની વર્ષા અને ગુજરાતની સમૃદ્ધ હિન્દુ સંસ્કૃતિના પ્રવાસમાં મહિમા, મિલન, મદદ અને માફીના મૂલ્યો વિશે શીખ્યાં હતાં.

    શ્રી કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી યુકે SKLPC દ્વારા રવિવાર તા. ૪ અોક્ટોબરના રોજ નોર્થોલ્ટ સ્થિત SKLPCસેન્ટર ખાતે કચ્છી સમાજના ૮ હજાર કરતા વધુ જ્ઞાતિજનોની ઉપસ્થિતીમાં વાર્ષિક સ્નેહમિલન અને મેળો યોજાયો હતો. જેમાં સૌ જ્ઞાતિ બંધુઅોએ બિઝનેસ પ્રદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમો, રમતગમત સંકુલ, સ્મૃતિ ગ્રંથ વિમોચન તેમજ સમુહભોજનની મોજ માણી હતી. આ પ્રસંગે £૮૫,૦૦૦ પાઉન્ડના ખર્ચે તૈયાર કરાયેલ બાળ સંકુલ ખુલ્લુ મૂકાયું હતું. મુખ્ય મહેમાન તરીકે ઇલિંગ નોર્થના એમપી સ્ટીફન પાઉન્ડ, ભુજ મંદિરના કોઠારી ભગવદપ્રિયદાસજી સ્વામી, બાર્નેટના મેયર કાઉન્સિલર માર્ક શૂટર, યુકેમાં જન્મેલા શાસ્ત્રી ઘનશ્યામપ્રસાદજી, 'ગુજરાત સમાચાર - એશિયન વોઇસ'ના તંત્રી શ્રી સીબી પટેલ તેમજ અન્ય સંતો અને રાજકારણીઅો ઉપસ્થિત રહ્યા હતા.

    વિશ્વ ઉમિયાધામ ખાતે ભારતની 108 ન...

    વિશ્વ ઉમિયાધામ જાસપુર ખાતે જગત જનની મા ઉમિયાનું વિશ્વનું સૌથી ઊંચું (504 ફૂટ) દિવ્ય અને ભવ્ય મંદિરનું નિર્માણ મા ઉમિયાના અખંડ આશીર્વાદથી ગતિપૂર્વક ચાલી રહ્યું છે. ત્યારે એશિયાના સૌથી મોટા કોંક્રિટ રાફ્ટનું કાર્ય 54 કલાકનાં ઐતિહાસિક રીતે પૂર્ણ થયું અને હવે ગર્ભગૃહ સહિત સમગ્ર પરિસરનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. 2020 વિશ્વ ઉમિયાધામ મંદિરના શિલાન્યાસ વખતે ભાગીરથી મા ગંગાના પવિત્ર જળથી ભરેલા 108 કળશનું પૂજન કરાયું હતું. જે કળશનું આજે ફરી વખતે પૂજન કરી વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયાના મંદિરના ગર્ભગૃહમાં 108 દંપતી-યજમાનો દ્વારા સ્થાપિત કરાયા હતા.

    જે પિતાએ ખભો આપ્યો, માતાએ ખોળો

    સદ્ગુરુ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર દ્વારા શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવના ભાગરૂપે આજના સંતાનોને જીવનમાં સાચા અર્થમાં માતા-પિતાના ઋણનું મહત્ત્વ સમજાવતા પુસ્તક ‘માતાપિતાની સેવા’ પુસ્તકનું વિમોચન કરાયું હતું. સાધુ પ્રેમવત્સલદાસજી લિખિત આ પુસ્તક મોતીભાઈ ઠક્કર પરિવાર દ્વારા પ્રકાશિત કરાયું છે.

    સંસ્થા સમાચાર (અંક 20 ડિસેમ્બર 202...

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    ગો ધાર્મિક દ્વારા ગાંધીજીની વીરાસત અને ક્લાઈમેટ એક્શન માટે દાંડીકૂચ

    ગો ધાર્મિક દ્વારા ગાંધીજીની ઐતિહાસિક દાંડીકૂચ વીરાસતના સાદર સંસ્મરણ અને ક્લાઈમેટ એક્શનના સપોર્ટ માટે યોજાએલી વાર્ષિક સોલ્ટ રાઈડ (નમકયાત્રા)ની પૂર્ણાહૂતિ દાંડી પૂલ ખાતે  20 ડિસેમ્બર  2025ના દિવસે સવારના 5.15 કલાકે થશે.

    કેન્સરગ્રસ્ત સ્ત્રીઓ માટે કાર્યરત એશિયન વિમેન કેન્સર ગ્રૂપ દ્વારા વર્ષાંત ઊજવણી

    કેન્સરગ્રસ્ત સ્ત્રીઓ, પરિવારો, સારસંભાળ લેનારાઓ તેમજ મિત્રોને પણ તેમની યાત્રામાં સંપૂર્ણ સપોર્ટ ઓફર કરતી રજિસ્ટર્ડ ચેરિટી એશિયન વિમેન કેન્સર ગ્રૂપ (AWCG) દ્વારા તાજેતરમાં સભ્યો, મિત્રો અને પરિવારો સાથે વર્ષના અંત નિમિત્તે ઊજવણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ ચેરિટી ગ્રૂપની સ્થાપના 2006માં કરાઈ હતી અને તાજેતરમાં જ તેને ચેરિટી તરીકે રજિસ્ટર્ડ કરવામાં આવી છે. હાલ તેના 170થી વધુ સભ્ય છે.

    સંસ્કૃતિ સેન્ટર ફોર કલ્ચરલ એક્સેલન્સ દ્વારા ભવ્ય ગીતા મહોત્સવ

    સંસ્કૃતિ સેન્ટર ફોર કલ્ચરલ એક્સેલન્સ દ્વારા લંડનના નેહરુ સેન્ટર ખાતે ઈન્ટરનેશનલ ગીતા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. દોઢ કલાકના આ કાર્યક્રમમાં ભગવદ્ ગીતાના શાશ્વત જ્ઞાનની ઊજવણી કરતા નૃત્ય, ઉપદેશ અને નાટ્ય પરફોર્મન્સીસનો સમાવેશ થયો હતો.