કિંગ્સબરીમાં શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે વિક્રમ સંવત 2079ના પ્રારંભની 26 ઓક્ટોબરે ધામધૂમથી ઉજવણી કરાઇ હતી. દર્શનીય અન્નકૂટ સમક્ષ બિરાજમાન ભગવાનના દર્શન માટે 10 હજાર જેટલા ભાવિકો ઉમટી પડ્યાં હતાં. લંડનના મેયર સાદિક ખાને પણ મંદિરની મુલાકાત લીધી હતી.
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
સ્ટેનમોર ખાતે આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે દીપોત્સવી પર્વની ઉમંગ-ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.
દિપાવલીના સપરમા દિવસો દરમિયાન ગત ૧૫ ઓકટોબર, શનિવારે આણંદ ઓવરસીજ બ્રધરહુડ-યુ.કે.ના ઉપક્રમે શ્રી સત્તાવીશ પાટીદાર સેન્ટરમાં દિવાળી આનંદ-મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૪૦૦થી વધુ આણંદના ભાઇ-બહેનો સહિત શ્રી સત્તાવીશ ગામ પાટીદાર સમાજના કેટલાક ગામોના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદમાં સાબરમતી નદીકિનારે ભાટ ગામે તૈયાર થનારા દેશના પ્રથમ ગૌમાતાના મંદિર સુરભિ શક્તિપીઠ ખાતે ભગવાન કૃષ્ણના અવતરણને 5252 વર્ષ નિમિત્તે કારતક સુદ પૂનમ - ચોથી નવેમ્બરે 5252 તુલસી વિવાહ યોજાયા હતા.
વિલ્સડન સ્વામિનારાયણ મંદિરે કારતક સુદ એકાદશીના રોજ તુલસી વિવાહ યોજાયા હતા.
કારતક સુદ એકાદશી - ચોથી નવેમ્બરના રોજ શહેરના શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ મણિનગર ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનના 221મા પટ્ટાભિષેક દિનની ઉજવણી કરાઇ હતી.
સંગત સેન્ટર હેરોના સેનક્રોફ્ટ રોડ ખાતે આવેલ રજિસ્ટર્ડ ચેરિટી છે, જે હેરો અને આસપારના બરોમાં વસવાટ કરતા એશિયન અને અન્ય લઘુમતી સમુદાયોને મદદ કરે છે. તેઓ સરકારી વિભાગો, હાઉસિંગ એસોસિએશન, બેનિફિટ એજન્સીઓ અને સંખ્યાબંધ સ્વયંસેવી સંસ્થાઓ સાથે મળીને કામ કરે છે.
અબુ ધાબી સ્થિત બીએપીએસ હિન્દુ મંદિરમાં 10,000થી વધુ મુલાકાતી, ભાવિકોની ઉપસ્થિતિમાં સતત ત્રીજા વર્ષે દિવાળીની ભવ્ય ઉજવણ કરાઇ હતી.
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
યુવાન, ચિંતક, વિદ્વાન, સામાજિક સુધારક, સર્વધર્મ આદરવાદી અને સૂફીવાદની પ્રેમજ્યોતિ ભારતથી માંડીને દેશ-વિદેશમાં પ્રગટાવનાર ડો. મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી સાહેબ – પાલેજ ગાદીનશીનનો બ્રિટન પ્રવાસ ખૂબ જ સફળ અને પ્રેરણાદાયક રહ્યો.
