માધવપુર ઘેડનો મેળોઃ સોરઠી સુવાસને માણવાનો અવસર

એક પ્રાર્થનાના શ્લોકમાં લખાયું છે કે હે કૃષ્ણ, હે રૂકમણીના પતિ, હે ગોપીઓના મનને હરનારા, હું જન્મ-મરણના દરિયામાં ડુબી રહ્યો છું, હે જગતગુરુ મારો ઉદ્ધાર કરો. કૃષ્ણ મહિમાના આ શબ્દોનું સહજ સ્મરણ થયું છે કારણ કે પોરબંદર જિલ્લાના માધવપુરમાં માધવપુરના...

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી...

અરદેશર ખબરદારે લખ્યું છે, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. ગુજરાતીઓ ગુજરાતના નાના ગામડામાં રહેતા હોય કે વિશ્વના આધુનિક મહાનગરોમાં રહેતા હોય, એમણે આ પંક્તિના ભાવને સાચ્ચે જ આત્મસાત કર્યો છે. ભલે એકાદ બે ગુજરાતી હોય, પણ એ...

‘અરે આપણા ગામની આટલી જાણીતી સેલીબ્રીટી અહીં છે અને અવાજ એની ઓળખ છે, તો એમને તો બોલવાનું કહો.’ એક અધિકારીએ કાર્યક્રમ સંચાલકને કહ્યું. તુરંત જ કાર્યક્રમના આયોજકોને વાત પહોંચાડી અને તુરંત એને નિમંત્રણ અપાયું અને એ કલાકારે એક સુંદર વાર્તા કરી.

‘અરે, ટેક્સી લઈને આવવાની ક્યાં જરૂર હતી? આપણે બસમાં પણ જઈ શકતા હતા.’ રેલવે સ્ટેશને મુંબઈથી અમદાવાદ આવેલા જગતે ઉત્પલને કહ્યું. ‘તું બેસ તો ખરો, તને મારા જીવનમાં આર્થિક સમૃદ્ધિ લાવવાની પ્રેરણા આપનારનો પરિચય કરાવું. આ છે દિનેશ, મારો મિત્ર અને આ...

‘શું વાત છે? બેસણામાં ડસ્ટબીન આપ્યા..?’ ‘કેટલો ઉમદા વિચાર છે આ પરિવારનો...’ ‘આ વિચાર તમને આવ્યો એ જ અભિનંદનને પાત્ર છે...’ આ અને આવા અનેક વાક્યો બોલાયા કે સંભળાયા હતા તાજતેરમાં એક બેસણામાં. પોતાના જીવનકાળ દરમિયાન કર્મ અને ધર્મના માર્ગે ચાલનારા, મહાગુજરાતની...

‘માની લો કે તમારા બા જઈ રહ્યા છે અને એકલા જઈ રહ્યા છે તો તમે એમને જે સીટ આપો તે આપજો મારા ભાઈ’ જ્યોતિબહેનના દીકરાએ ખાનગી બસ સંચાલકના ડેપો પર ફોનથી બુકિંગ કરાવતી વખતે કહ્યું. સામેથી પેલા ભાઈએ પણ વિવેકપૂર્વક જવાબ આપ્યો કે ‘મા કોઈની પણ હોય એ મા...

પ્રસંગ હતો ગાંધીનગરની જાણીતી કલાસંસ્થા પનઘટ કલા કેન્દ્ર દ્વારા તેના કલાકારોના સન્માનનો. આ અવસરે જાણીતા ગાયકો ગાર્ગી વોરા અને હિમાલી વ્યાસ તથા સંચાલક ડો. માર્ગી હાથીએ સૂર-શબ્દથી પ્રસ્તુતિ કરી હતી. દોઢ દાયકા કરતાં વધુ સમયથી ગાંધીનગરથી લઈને અનેક...

‘અમારા પાસે સખત મહેનત સિવાય બીજું કાંઈ નથી... અમારે કામ જોઈએ. બહાનામાં અમને રસ નથી.’ આવું કોઈ કલાકાર કે સ્કીલ્ડ પર્સન કહે તો નવાઈ લાગે, પણ આ મુરબ્બી કલાકારે તો એમના બ્રોશમાં આ વાક્યો લખ્યા છે. મળવા જેવા એ માણસનું નામ છે ડાહ્યાભાઈ નકુમ. હવે દેવભૂમિ...

‘મારે કંઈ સાંભળવું નથી, મારે તો હવે આ જમીન તમને જ વેચવાની છે.’ રક્ષાબહેને સતીષભાઈ અને તેમની પત્નીને કહ્યું. વાત છે ૧૯૭૦ના દાયકાના અમદાવાદની. લોકો હજી ગામના ઘર છોડીને નદી પાર બંગલા બનાવીને રહેવા જવાનું ઓછું પસંદ કરતા હતા. બધાને કદાચ એ પરવડે એવું...

‘આપ અગર ગાડી સે ઉતરેંગે, ઔર મેરે સાથ ચાય પિયેંગે તો હી મેં આપકે પ્રશ્ન કા સહી ઉત્તર દુંગા’ આશિષે ટેમ્પો ટ્રાવેલરમાંથી સરનામું પુછી રહેલા માણસને કહ્યું. વાચકને થશે કે આવો સંવાદ વળી ક્યાં? ક્યારે? કોની વચ્ચે થયો હશે? અને એમાં વળી મહત્ત્વનું શું...

‘અરે જો, જો, સામે જો...’ અમૃતે કહ્યું. ‘હવે એ પતંગ કપાયો નથી. હજી ઊડી રહ્યો છે’ મિત્ર અશ્વિને જવાબ આપ્યો. ‘અરે પતંગ નહીં, પેલા છોકરાનું ગળું પતંગની દોરીથી...

‘પપ્પા, સરહદ પર જવા માટેના કાર પાસ ક્યારે મળશે?’... અમદાવાદના ઉદ્યોગપતિ કેતન પારેખ એમના પત્ની સાથે અને પારિવારિક મિત્ર ગુંજન મિરાણી સાથે બનાસકાંઠા જિલ્લાના નડાબેટ પાસે શરૂ થયેલા જલોયા પ્રવાસી માહિતી કેન્દ્ર પર આવ્યા થોડો વધુ સમય પસાર થયો ત્યારે...



to the free, weekly Gujarat Samachar email newsletter