ઇથિયોપિયામાં પૂર અને ભૂસ્ખલનના કારણે 30નાં મોત

દક્ષિણ ઇથિયોપિયાના ગામો ઝોનમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે ઓછામાં ઓછા 30 લોકોના મોત થયાં હતાં. સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે, મોટાભાગના મોત પર્વતીય વિસ્તારોમાં થયાં હતાં. 

રોસ્તમ અઝિઝીનું તારીફા ગ્રુપ નેશન મીડિયા ગ્રુપમાં 54 ટકા હિસ્સો ખરીદશે

રોસ્તમ અઝિઝીના તારીફા ગ્રુપે તાન્ઝાનિયા, કેન્યા અને યુગાન્ડામાં અગ્રણી અખબારોની માલિકી ધરાવતા નેશન મીડિયા ગ્રુપમાં 54 ટકા હિસ્સો ખરીદવાની જાહેરાત કરી છે.

તાજેતરમાં ભૂતપૂર્વ પ્રમુખ જેકબ ઝૂમાની ધરપકડને પગલે દક્ષિણ આફ્રિકામાં ફાટી નીકળેલા તોફાનોમાં લગભગ ૪૦,૦૦૦ જેટલા નાના મોટા વેપાર રોજગારને નુકસાન થયું હતું....

કોરોના વાઈરસની વધી રહેલી ત્રીજી લહેરનો સામનો કરવા માટે આફ્રિકાને તાત્કાલિક સેંકડો મિલિયન વેક્સિનની જરૂર હોવાનું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ જણાવ્યું છે. તે સમયે યુગાન્ડા સરકારના પ્રધાન ક્રિસ બેરિઓમુન્સીએ તેમનો દેશ વધુ કોવિડ – ૧૯ વેક્સિનનો...

દુનિયાભરમાં કોવિડ – ૧૯ની સારવાર મેળવ્યા બાદ બચી ગયેલા લોકોની સંખ્યા વધી રહી છે તેમ ઘણાં કિસ્સાઓમાં કોવિડ – ૧૯ પછી ઘણાં કિસ્સામાં એવી સ્વાસ્થ્ય સમસ્યાઓ...

ઝિમ્બાબ્વેમાં નાગરિકત્વ વિનાના ૩૦૦,૦૦૦ લોકોની હાલત કરુણ છે. તેઓ યોગ્ય ડોક્યુમેન્ટ્સ વિના વોટ પણ આપી શકતા નથી અને જોબ પણ મેળવી શકતા નથી.

DRCના ભૂતપૂર્વ વડા પ્રધાન ઓગસ્ટીન મટાટા પોન્યોને નાણાંકીય ઉચાપત બદલ  કામચલાઉ ધોરણે નજર કેદ રખાયા છે. ભૂતપૂર્વ વડાપ્રધાન પર ઝૈરીયાનાઈઝેશનના પીડિતોને વળતર આપવા માટેના નાણાંની ઉચાપત કરવાનો આક્ષેપ છે.

છેલ્લા ત્રણ વર્ષમાં મીડલ ઈસ્ટમાં ૯૩ કેન્યનનું મૃત્યુ થયું હોવાનું લેબર કેબિનેટ સેક્રેટરી સાયમન ચેલુગુઈએ સાંસદોને જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે મોટાભાગે સાઉદી અરેબિયા, કતાર અને યુ.એ.ઇમાં થયેલા કેન્યનોના મૃત્યુ અંગેની પૂરી વિગતો મિનિસ્ટ્રી...



to the free, weekly Gujarat Samachar email newsletter