વ્યસની યુવકો સાથે સગપણ નહીં કરવા પાટીદાર મહિલાઓનો સંકલ્પ

નિર્વ્યસની સમાજના નિર્માણ માટે પાટીદાર સમાજની બહેનો આગળ આવી છે. જે યુવકો વ્યસનના બંધાણી હશે તેમની સાથે દીકરીનું સગપણ નહીં કરાય અથવા આવા ઘરમાં દીકરી નહીં આપવાનો નિર્ણય કરાયો છે.

સ્મશાનમાં જાનને ઉતારો! ભૂતપ્રેતના સ્વાંગમાં જાનૈયાનું સ્વાગત

રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાનાં રામોદ ગામમાં રામનવમી પર્વે અનોખા લગ્ન યોજાયા હતા. ગામનાં સ્મશાનમાં જાનને ઉતારો અપાયો હતો. કન્યાએ લાલને બદલે કાળા વસ્ત્રો ધારણ કર્યા હતા. જ્યારે અન્ય યુવતીઓએ ભૂત-પ્રેતનાં વેશ ધારણ કરી જાનનું સ્વાગત કર્યું...

અભિનેતા વિકી કૌશલે તાજેતરમાં નવોદિત દિગ્દર્શક ભાનુ પ્રતાપ સિંઘની આગામી હોરર ફિલ્મ માટે શૂટિંગ કર્યું છે. આ ફિલ્મમાં કેન્દ્રસ્થાને બીચ પરનું એક જહાજ છે....

નયનરમ્ય દરિયાકાંઠા ઘેડમાં માધવપુરનો પ્રખ્યાત મેળો ૧૪મીથી ૧૮મી એપ્રિલ સુધી યોજાયો હતો. મેળાની સાથે ભગવાન કૃષ્ણ અને રૂકમણિજીનાં લગ્ન પણ ભક્તો માટે આકર્ષણનું...

વનવિભાગ દ્વારા તાજેતરમાં કરાયેલી સિંહોની પ્રાથમિક ગણતરીમાં અમરેલી જિલ્લામાં  સિંહોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો નોંધાયો છે. એક અંદાજ મુજબ હાલ ૬૦૦ જેટલા...

સૌરાષ્ટ્રમાં આવેલા અને રાજકોટ તાલુકા વિસ્તારમાં વિકાસશીલ ગણાતા રાજસમઢિયાળા ગામમાં વર્ષ ૧૯૮૩થી કોઇપણ પક્ષ માટે અથવા તો કોઈ પણ જાતની ચૂંટણી માટે કોઈ પણ જાતનો ચૂંટણી પ્રચાર કરવામાં આવતો નથી કે કોઈ જાતની સભા-સરઘસ યોજવાની મંજૂરી નથી. ૩૬ વર્ષ પહેલાં...

લોકસભાની ચૂંટણીના મતદાનના ૩૯ કલાક પહેલાં જ ૨૧મી એપ્રિલે હાર્દિક પટેલ સાથે આંદોલનમાં રહેલા દિલીપ શબવાએ રાજકોટમાં પાસના આગેવાનો કેવા રંગીન મિજાજના છે તેનો ખુલાસા કર્યો હતો. શાબવાએ જણાવ્યું હતું કે, પાસના કન્વીનરો શરાબ અને શબાબમાં ડૂબેલા છે. લલિત...

અમરેલી નગરપાલિકામાં ચૂંટણી સમયે જ કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું છે. ૪૪માંથી ૩૪ બેઠકો મેળવવા છતાં પણ કોંગ્રેસના સભ્યોમાં આંતરિક વિખવાદના કારણે બળવો થયા બાદ ૧૨ એપ્રિલે પ્રમુખ સહિત ૧૦ સભ્યો ભાજપમાં ભળી જતાં હવે પાલિકામાં પક્ષ પલટો થયો છે અને વિધિવત...

ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની ભાજપમાં જોડાયા બાદ તેના મોટા બહેન નયનાબા અને તેમના પિતાએ સોમવારે કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત કરી છે. એક જ પરિવારના બે...

સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા જગતમંદિરની ૨૦૧૮-૧૯ની આવક જાહેર કરાઈ છે. જગત મંદિરમાં ૨૦૧૮-૧૯માં રૂ. ૧૨ કરોડ ૧૮ લાખનું દાન મળ્યું છે. આ ઉપરાંત ૮૧૨ ગ્રામ સોનું...

પૂ. મોરારિબાપુના સૌથી નાના ભાઈ જાનકીદાસ પ્રભુદાસ હરિયાણી (ટીકાબાપુ)નું ૧૩ એપ્રિલે ટૂંકી બીમારી બાદ અમદાવાદમાં અવસાન થયું છે. ૫૪ વર્ષના ટીકાબાપુના પાર્થિવ દેહને ચિત્રકૂટધામ - તલગાજરડા ખાતે રવિવારે સમાધિ આપવામાં આવી હતી. 

પોરબંદર શહેરના ક્રિએટિવ ગ્રુપ તથા મહેર આર્ટ પરિવાર દ્વારા બે દિવસીય સાંસ્કૃતિક વારસાનું પ્રદર્શન યોજાયું હતું, જેમાં મહેર સંસ્કૃતિનું પ્રદર્શન અને ચિત્રકારોનું ચિત્રો પ્રદર્શન થયાં હતાં. 



to the free, weekly Gujarat Samachar email newsletter