સદાબહાર સ્વાસ્થ્ય

No

Block: Site: Subtree Block

    હેલ્થ બુલેટિન...

    સ્મોક્ડ સાલમોન અથવા ટ્રાઉટ માછલીનાં પૂરણ સાથેની સેન્ડવિચીઝ ભારે લોકપ્રિય છે અને લાખો લોકો તે ખાવાનો આનંદ માણે છે પરતુ, આવી સેન્ડવિચ જીવલેણ નીવડી શકે તેવી ચેતવણી અપાઈ છે.

    ભોજનમાં તેલ બદલતા રહો, ન્યુટ્ર...

    તેલ ભારતીય ભોજનશૈલીનો મહત્ત્વનો ભાગ છે, પરંતુ આપણા સ્વાસ્થ્યના જતન-સંવર્ધનમાં પણ તેનું એટલું જ યોગદાન છે. આથી જ તંદુરસ્તીનો મુદ્દો ચર્ચામાં આવે છે ત્યારે તેલના પ્રકાર અને તેલનો કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઇએ તેની ચર્ચા અવશ્ય થાય છે. 

    હેલ્થ ટિપ્સઃ ગુસ્સો ચઢ્યો છે?  9...

    ક્યારેકને ક્યારેક આપણને બધાને ગુસ્સો આવતો હોય છે. ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીમાં કોમ્યુનિકેશનના પ્રોફેસર બ્રેડ બુશમેન કહે છે કે જેમને પણ ગુસ્સે આવે છે એ તેનાથી છૂટકારો મેળવવા માગે છે. 

    કેન્સરની ગાંઠનો નાશ કરતી કેમો

    કેન્સરના લાખો પેશન્ટ્સ માટે આશાસ્પદ સમાચાર છે કે તમામ પ્રકારના સોલિડ કેન્સર ટ્યૂમર્સનો નાશ કરતી નવી કેમોથેરાપી પિલ AOH1996ને લેબોરેટરીમાં ભારે સફળતા સાંપડી છે.

    આ છ સંકેત છે સાવચેતીના......

    યુકેમાં આશરે 4.5 મિલિયન લોકો ડાયાબિટિક છે જ્યારે ભારતમાં લગભગ 10 કરોડ લોકો ડાયાબિટિક છે અને 13 કરોડ લોકો પ્રી-ડાયાબિટિક છે. આઇસીએમઆર અને મદ્રાસ ડાયાબિટીસ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા જૂન 2022માં જારી સંશોધનમાં આ ખુલાસો થયેલો છે. રિસર્ચ અનુસાર પ્રી-ડાયાબિટિકમાંથી અડધા આગામી પાંચ વર્ષમાં ડાયાબિટીસનો શિકાર થઇ શકે છે. વાસ્તવમાં આપણા શરીરના કોષો એનર્જી માટે શુગર પર નિર્ભર હોય છે. અને કોષોમાં શુગર ત્યારે જ પહોંચી શકે છે જ્યારે ઇન્સ્યુલિન હોર્મોન યોગ્ય રીતે કામ કરતા હોય. 

    હેલ્થ ટિપ્સઃ ઘરે બીપી ચેક કરતી...

    દુનિયાભરમાં હાઇ બ્લડપ્રેશરની બીમારી ભરડો લઇ રહી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો રિપોર્ટ કહે છે કે હાઇ બ્લડપ્રેશરનો ભોગ બનેલામાંથી માત્ર 12 ટકા લોકો જ તેને નિયંત્રણમાં રાખી શકે છે. હૃદયરોગ, સ્ટ્રોક અને કિડનીથી જોડાયેલી સમસ્યાઓ માટે હાઇ બીપી મુખ્ય કારણ છે. તેને અંકુશમાં રાખવાનું પહેલું પગલું તેની યોગ્ય તપાસ છે.

    આ છ સંકેત છે સાવચેતીના......

    યુકેમાં આશરે 4.5 મિલિયન લોકો ડાયાબિટિક છે જ્યારે ભારતમાં લગભગ 10 કરોડ લોકો ડાયાબિટિક છે અને 13 કરોડ લોકો પ્રી-ડાયાબિટિક છે. આઇસીએમઆર અને મદ્રાસ ડાયાબિટીસ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા જૂન 2022માં જારી સંશોધનમાં આ ખુલાસો થયેલો છે. 

    હેલ્થ ટિપ્સઃ બ્લડ પ્રેશરઃ ઘરે...

    દુનિયાભરમાં હાઇ બ્લડપ્રેશરની બીમારી ભરડો લઇ રહી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો રિપોર્ટ કહે છે કે હાઇ બ્લડપ્રેશરનો ભોગ બનેલામાંથી માત્ર 12 ટકા લોકો જ તેને નિયંત્રણમાં રાખી શકે છે.

    શું ગળ્યું ખાવાથી તરસ વધુ લાગે...

    તમે કદાચ ધ્યાન આપ્યું હશે કે તમે કશું ગળ્યું ખાધું હોય તેના પછી તમને કશું પીવાની ઈચ્છા થાય છે. આ એક સામાન્ય રીએક્શન છે પરંતુ, આમ શા માટે થતું હશે? 

    કોરોનાની સાઇડઇફેક્ટઃ મગજનો આ

    કોરોનાથી પીડિત રહી ચુકેલા અનેક લોકોને આજે પણ શ્વાસ લેવામાં મુશ્કેલી, તણાવ, મગજનું અનિયંત્રિત રીતે ચાલવું જેવી અનેક સમસ્યાઓ જોવા મળી રહી છે.