ડાયાબિટીસ એ લાઇફસ્ટાઇલ સાથે જોડાયેલી એવી શારીરિક સમસ્યા છે, જેની ઉપેક્ષા શરીરમાં અન્ય ગંભીર બીમારીઓને નોતરી શકે છે. વધતી ઉંમર સાથે ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવો અઘરું જરૂર બની જાય છે, પરંતુ આમ નહીં કરો તો ઈન્ફેક્શનનો ભય વધી જશે તે પણ હકીકત છે. સાથે સાથે જ તે હૃદય, કિડની, સ્નાયુઓ અને આંખો માટે પણ નુકસાનકારક પુરવાર થશે. આ ઉપરાંત તેનાથી ડિમેન્શિઆ જેવી સમસ્યા પણ ઉદ્ભવી શકે છે. આવી સ્થિતિ ટાળવા અને ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે વડીલોએ દવાઓથી માંડીને તેમની જીવનશૈલી સુધીની દરેક બાબતમાં વિશેષ ધ્યાન રાખવું જરૂરી બની જાય છે. આ માટે આટલું અવશ્ય કરો...
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
સામાન્ય રીતે રાત્રે પેશાબ કરવા નિયમિત ઉઠવું પડતું નથી પરંતુ, જો એકથી વધારે વખત પેશાબ કરવા જવાની ઈચ્છા થાય તેને નોક્ટુરીઆ કહે છે. ચીનના વેન્ઝોઉ મેડિકલ યુનિવર્સિટીના સંશોધકોએ યુએસમાં 2011થી 2016ના ગાળામાં વાર્ષિક નેશનલ હેલ્થ એન્ડ ન્યૂટ્રિશન એક્ઝામિનેશન સર્વેના ડેટાના અભ્યાસથી જણાવ્યું હતું કે લગભગ ત્રીજા ભાગના લોકોએ નોક્ટુરીઆની ફરિયાદ કરી હતી. ન્યૂરોયુરોલોજી એન્ડ યુરોડાયનેમિક્સ જર્નલમાં પ્રસિદ્ધ સંશોધન અનુસાર દિવસમાં એક કલાકથી ઓછો સમય ટેલિવિઝન અથવા વીડિયોઝ નિહાળતા હોય તેવા લોકોની સરખામણીએ પાંચ કલાકથી વધુ વખત ટીવી કે વીડિયોઝ જોનારાને લોકોને રાત્રે લેવેટરીનો ઉપયોગ કરવા ઉઠવું પડે તેવી શક્યતા 48 ટકા વધુ રહે છે.
ફળ અને પૌષ્ટિક આહારથી લોકો સ્વસ્થ રહે છે એ તો સહુ કોઇ જાણે છે, પરંતુ તમારા કામના સ્થળે આસપાસના લોકો આ જ સલાહ માનીને ફળ અને શાકભાજી ખાય છે તો પૂરી શક્યતા છે કે તમે પણ તેને અનુસરશો. જર્મનીની કોલોન યુનિવર્સિટીના રિસર્ચમાં જાણવા મળ્યું છે કે જે સ્થળે વ્યક્તિ કામ કરે છે અને ત્યાં તેમના સહકર્મીઓ ફળ અથવા ઘરનું ભોજન લે છે તો અન્ય કર્મચારીઓ પણ જંકફૂડ છોડીને ઘરનો જ આહાર લેવાનું પસંદ કરે છે.
વિશ્વભરમાં બાળકોમાં ઓબેસિટી (મેદસ્વિતા) વિકરાળ સમસ્યા તરીકે ઉભરી રહી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (‘હૂ’)ના તાજેતરમાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર, 2022માં 5 થી 19 વર્ષની વયના લગભગ 39 કરોડ બાળકો અને ટિનેજર્સનું વજન વધારે હતું. તેમાંથી 16 કરોડ લોકો ઓબેસિટીનો શિકાર છે. મેદસ્વિતા એક એવી સમસ્યા છે જે શરીરના લગભગ દરેક અંગને નુકસાન પહોંચાડે છે. સ્થૂળ બાળકોમાં સ્યુડોટ્યુમર સેરેબ્રી થવાનું જોખમ વધારે હોય છે. આમાં, મગજમાં જોવા મળતા પ્રવાહી પર દબાણ વધે છે, જેના કારણે તેમને અસ્પષ્ટ દૃષ્ટિ અને નબળા આઇક્યુની સંભાવના વધારે છે. વિશ્વ સામે મોં ફાડીને ઉભરી રહેલી આ સમસ્યા સામે જાગ્રતિ લાવવા માટે વર્લ્ડ ઓબેસિટી ડે ઉજવાય છે. આજે આપણે બાળકોમાં સ્થૂળતા સાથે આવતી બીજી શારીરિક સમસ્યા વિશે જાણીએ.
અંજીરમાં ભરપૂર માત્રામાં કોપર, સલ્ફર, કલોરીન વિટામિન એ, બી અને સી વગેરે પોષક તત્ત્વો હોય છે, જેના અનેક ફાયદા છે. આ ફળ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. અંજીરમાં ખનિજ અને વિટામિન ભરપૂર માત્રામાં મળી આવે છે. આ ફળનો ઉપયોગ ઘણા રોગોના ઉપચારમાં પણ કરાય છે.
તમને કદાચ નવાઈ લાગે કે હીઅરિંગ એઈડ લગાવાય તો લાંબુ કેમ જીવાય? પરંતુ, આ હકીકત છે કે સાંભળવાની ક્ષમતા સુધારીને 4 મિલિયનથી વધુ બ્રિટિશર લાંબુ જીવી શકે છે.
જો તમને પથારીમાં પહોંચ્યા પછી ઊંઘ આવવામાં 20 મિનિટ કરતાં વધુ સમય લાગે છે તો તે અપૂરતી ઊંઘ, સ્લીપ ડિસ્ટર્બન્સ કે ખરાબ ઊંઘનો સંકેત હોઈ શકે છે. પથારીમાં પડતાંની સાથે જ જો તમે સુઈ જાઓ છો તો આ ઊંઘ પૂરી ન થયાનો સંકેત છે. પથારીમાં ગયા પછી ઊંઘ આવવામાં લાગતા સમયને સ્લીપ લેટેન્સી કહે છે.
રોજિંદા ભોજનમાં ફાઈબર અથવા રેષાના પ્રમાણ વધુ લેવા બાબતે કાયમ ભાર મુકાય છે. સામાન્ય માન્યતા એવી છે કે, ભોજનમાં પૂરતું ફાઈબર લેવાથી કબજિયાતની સમસ્યા થતી નથી. જોકે, રેષાંનું વધુ પ્રમાણ કબજિયાતથી બચાવવાની સાથોસાથ સ્થૂળતા, ડાયાબિટીસ, હૃદયરોગ અને કેટલીક હદે કેન્સરથી પણ બચાવે છે.
વિશ્વમાં પહેલી વખત જીન એડિટિંગવાળા કોઈ સૂવરની કિડનીનું માનવીમાં સૌપ્રથમ વખત પ્રત્યારોપણ કરાયું છે. અમેરિકાની મેસેચ્યુસેટ્સ હોસ્પિટલના ડોક્ટરોએ આ સિદ્ધિ મેળવી છે. ગત 16 તારીખે બોસ્ટન શહેરમાં ડોક્ટરોએ 62 વર્ષના રિચાર્ડ સ્લાયમેન નામની વ્યક્તિમાં સૂવરની કિડનીનું સફળ પ્રત્યારોપણ કર્યું. આ તબીબી સિદ્ધિથી કિડનીના દર્દીઓ માટે આશાનું કિરણ દેખાયું છે.
બ્રાઝિલના વિજ્ઞાનીઓએ ઈતિહાસ સર્જ્યો છે. જિનેટિક એન્જિનિઅરીંગ ટેકનોલોજીની મદદથી જિનેટિકલી મોડીફાઈડ ટ્રાન્સજેનિક ગાયના દૂધમાંથી માનવ ઈન્સ્યુલિન મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. જોકે મંઝિલ હજી ઘણી દૂર હોવા છતાં, આ સંશોધન ઈન્સ્યુલિનના નોંધપાત્ર ઉત્પાદનના દ્વાર ખોલી નાખશે અને વિશ્વમાં ઈન્સ્યુલિનના પુરવઠાની સમસ્યા ભૂતકાળ બની જશે. હાલમાં જિનેટિકલી મોડીફાઈડ યીસ્ટ અને બેક્ટેરિયામાંથી હ્યુમન ઈન્સ્યુલિનનું ઉત્પાદન થાય છે.
