તમારા બાળકોને મનાવવા અને શાંત કરવા તમે એમને હાથમાં સ્માર્ટફોન પકડાવી દેતા હોવ તો સાવધ થઈ જાઓ. સ્માર્ટ ફોનથી બેથી ત્રણ વર્ષના બાળકો પર પડતી અસર વિશે અમેરિકી વિજ્ઞાનીઓએ કરેલા સંશોધન ચોંકાવનારા છે.
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
પોટેશિયમ વિટામિન-બી૬, વિટામિન-સી, મેગ્નેશિયમ, કોપર, ફાઈબરથી ભરપૂર કેળા આરોગ્ય માટે અત્યંત ફાયદાકારક છે. કેળાંથી પાચનતંત્ર સારું થાય છે તથા હાર્ટ પણ તંદુરસ્ત રહે છે. હવે એક નવા સંશોધનાં એવું માલૂમ પડ્યું છે કે રાતના સમયે કેળાં ખાવાના અનેક લાભ છે.
દુનિયામાં હાહાકાર મચાવનાર કોરોના મહામારીનો ટૂંકમાં અંત આવશે તેવી આશા કસમયની, અવાસ્તવિક અને ઠગારી છે તેમ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (‘હૂ’)ના ઈમરજન્સી પ્રોગ્રામ ડિરેકટર ડો. માઈકલ રયાનનું કહેવું છે.
આપણે રાત્રે સૂઈને સવારે ઊઠીએ છીએ ત્યારે મોઢામાંથી કોઈક પ્રકારની વિચિત્ર ગંધ આવે છે. રાત્રે સૂતી વખતે તો આવું ન હતું તો પછી સવારે ઊઠીને કેમ? વાત એમ છે કે આપણા મોઢામાં હંમેશાં કોઈ બેક્ટેરિયા હોય છે. રાત્રે જ્યારે આપણી લાળવાળી ગ્રંથિઓ ઓછી માત્રામાં લાળ કાઢે છે તેને કારણે મોઢું થોડું સુકાઈ જાય છે. આ સંજોગોમાં મોઢાના કેટલાક બેક્ટેરિયા ખૂબ વધી જાય છે. આ ખાસ બેક્ટેરિયા સલ્ફર ધરાવતાં પદાર્થોનું ઉત્સર્જન કરે છે અને તેના કારણે મોઢામાંથી દુર્ગંધ આવે છે. વાસ્તવમાં બેક્ટેરિયાને એમિનો એસિડ અને પ્રોટિનના પાચનમાંથી ઊર્જા મળે છે. કેટલાક એમિનો એસિડમાં સલ્ફર જોવા મળે છે, જે બેક્ટેરિયા દ્વારા ઉપયોગ કરાયા બાદ મુક્ત થઇ જાય છે.
સુધરેલા સુખી સમાજમાં છેલ્લા થોડાક વર્ષોથી હૃદયરોગ, મધુપ્રમેહ, મેદવૃદ્ધિ જેવા રોગોએ સ્થાન જમાવ્યું છે. એમાંથી બચવા માટે આધુનિકોએ કેટલીક ચેતવણીઓ આપી છે. જેમાંથી એક છે ચરબી ઓછી ખાવ એટલે કે, ચરબી-સ્નેહવાળા પદાર્થો ખોરાકમાં ઓછા લેવાં અને એટલે સૌની નજર પડી ઘી પર. આધુનિક આરોગ્ય શાસ્ત્રીઓને ઘીમાં વિટામીન્સ અને ઔષધીય ગુણો કરતાં ચરબી વિશેષ નજરે ચડ્યાં. આથી એના ભયસ્થાનો મોટા કરીને બતાવ્યા, જેથી સુધરેલા લોકો સાચવીને તેનો ઉપયોગ કરે છે. કોઇ વખત અમૃત જેવા ઘીથી દૂર રહેવા પ્રયત્ન કરે છે. કે, સાવ જ તેને ખાવાનું છોડી દે છે.
શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો ઊલટીની તકલીફ અંગે.
જરૂરી નથી કે દાંતની સમસ્યા અમુક ઉંમર બાદ જ થાય, નાની ઉંમરે પણ દાંતની અને પેઢાની સમસ્યા થવા લાગતી હોય છે. જો તમે દાંતની યોગ્ય સફાઇ નહીં કરો તો તેની સમસ્યાનો સામનો કરવો જ પડશે. મોઢાની યોગ્ય સફાઇને અભાવે દાંત ખરાબ થઇ જવા, પેઢામાંથી લોહી નીકળવું, દાંતનો દુખાવો થવો, દાંતમાં સડો થવો તેમજ મોઢામાંથી વાસ આવવાની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. તમારા પેઢામાંથી લોહી નીકળતું હોય તો તમારે દિવસમાં બે વાર બ્રશ કરવું જોઈએ કારણ કે તે જિંજિવાઇટિસનું પ્રારંભિક લક્ષણ હોઈ શકે છે. જોકે શરીરમાં વિટામિન સીની ઊણપ થવાથી પણ ઘણી વખત પેઢામાંથી લોહી નીકળતું હોય છે.
અમદાવાદ શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ૬૨ વર્ષીય સ્પેનિશ મહિલાએ અન્ય બીમારી છતાં ૧૦ દિવસની સારવારમાં કોરોનાને માત આપી છે. મોરબીની હોસ્પિટલમાંથી ગંભીર હાલતમાં ટ્રાન્સફર કરાયેલી મહિલાનું ઓક્સિજન લેવલ ૮૫ ટકાથી નીચું જતાં બાયપેપ રાખવા પડ્યા હતા. જોકે, હોસ્પિટલના ચારથી પાંચ ડોક્ટરોની ટીમની સઘન સારવારથી મહિલાએ કોરોનાને માત આપી છે.
The Hindu Council UK, South Asian Health Action, South Asian Health Foundation and British Sikh Nurses are supporting the Act F.A.S.T campaign to raise awareness of stroke within South Asian communities. This Public Health England campaign is also supported by the Stroke Association.
તમને ક્યારેય ઈર્ષ્યા આવે છે? ડર લાગે છે? ગુનાહિત લાગણી અનુભવો છો? ગુસ્સો આવે છે? માણસમાત્રને આ પ્રકારની લાગણીઓ જીવનમાં કયારેકને ક્યારેક થતી જ હોય છે. આ બધી નકારાત્મક લાગણીઓ છે અને એ માત્ર આપણા મનને જ નહીં, શરીરને પણ માઠી અસર કરે છે.
