અજવાળું અજવાળું

No

Block: Site: Subtree Block

    આંખ શરીરની એક એવી ઇન્દ્રિય છે, જે કામ કરતી હોય ત્યારે આખુંય જગત સોહામણું લાગે છે અને કોઈ કારણસર એમાં રુકાવટ આવે ત્યારે અપાર મુશ્કેલીઓ સર્જાય છે. આંખમાં મોતીયો, નેત્રમણિ, વેલ, ઝામર, ફૂલું, ચક્ષુ પ્રત્યારોપણ જેવા રોગો અને સારવાર તથા તેની સાથે જોડાયેલા ખર્ચાઓ ગરીબ વર્ગના લોકો માટે મોટી મુશ્કેલીરૂપ બનતા હોય છે. આવા સંજોગોમાં સખાવતી દાતાઓ દ્વારા ચલાવાતી અને વિનામૂલ્યે કે સાવ ટોકન દરે સારવાર આપતી હોસ્પિટલો દર્દીઓ માટે આશીર્વાદરૂપ બને છે. આવી જ એક દાયકાઓ જૂની હોસ્પિટલ છે વીરનગરની શિવાનંદ મિશનની હોસ્પિટલ, જેની સાથે જોડાયું છે એક નામ.

    ‘હવે કોરોના ઈફેક્ટને કારણે કોલેજ બંધ છે તો ઘરમાં રહેલા અને બાકીના ઓનલાઈન મળી રહેલાં પુસ્તકો વાંચું છું.’ દીકરીએ ડેડીને કહ્યું અને પછી બંને સાથે મળીને ૨૧ માર્ચે ઊજવાનાર વિશ્વ કવિતા દિવસ તથા કાવ્યો અને તેના દ્વારા ચિત્તને-મનને પ્રાપ્ત થતી સંવેદનાઓની વાતોમાં વળગ્યા.

    ‘ભલે આજે મોટા ભાઈ-ભાભી બધાને બોલાવે, સહુ સાથે આનંદ કરે એ વાતો સાચી, પરંતુ એમણે બા-બાપુને એ સમયે બહુ દુઃખ પહોંચાડ્યું હતું. એમણે એવું નહોતું કરવું જોઈતું.’ અનિકેત જે પરિવાર માટે પારિવારિક સભ્ય જેવો હતો એ પરિવારના એક મુરબ્બી સભ્ય એમના પરિવારજનો સાથે બેઠાં હતાં ત્યારે એ પરિવારના જ એક ભાઈએ કહ્યું... 

    ‘ભલે આજે મોટા ભાઈ-ભાભી બધાને બોલાવે, સહુ સાથે આનંદ કરે એ વાતો સાચી, પરંતુ એમણે બા-બાપુને એ સમયે બહુ દુઃખ પહોંચાડ્યું હતું. એમણે એવું નહોતું કરવું જોઈતું.’ અનિકેત જે પરિવાર માટે પારિવારિક સભ્ય જેવો હતો એ પરિવારના એક મુરબ્બી સભ્ય એમના પરિવારજનો સાથે બેઠાં હતાં ત્યારે એ પરિવારના જ એક ભાઈએ કહ્યું...

    ‘ભલે આજે મોટા ભાઈ-ભાભી બધાને બોલાવે, સહુ સાથે આનંદ કરે એ વાતો સાચી, પરંતુ એમણે બા-બાપુને એ સમયે બહુ દુઃખ પહોંચાડ્યું હતું. એમણે એવું નહોતું કરવું જોઈતું.’ અનિકેત જે પરિવાર માટે પારિવારિક સભ્ય જેવો હતો એ પરિવારના મુરબ્બી સભ્ય એમના પરિવારજનો સાથે બેઠાં હતાં ત્યારે એ પરિવારના જ એક ભાઈએ કહ્યું... વાત એમ હતી કે અનિકેત એક મિત્રને ત્યાં લગ્ન નિમિત્તે બે દિવસ ગયો હતો. લગ્નના માહોલમાં બધા ધમાલ-મસ્તી કરતા હતા. મોડી રાત્રે બધા ચા-નાસ્તો કરતાં બેઠાં હતા ત્યારે એ પરિવારના ભાઈઓ-બહેનો પૈકીના એકે લેખના આરંભે લખેલી વાત કરી.

    મુશ્કેલ સમયમાં જ માણસાઇ બળૂકી...

    ‘પપ્પા, જ્યારે જ્યારે મન વિચલિત થાય, ડર લાગે, બીક લાગે ત્યારે ત્યારે હનુમાન ચાલીસ ગાવા એવું તમે જ તો અમને શીખવ્યું છે. ચાલો ગાઈએ...’ કોઈ એક પ્રસંગે દીકરીએ આવું કહ્યું ત્યારે બાળપણ સ્મૃતિમાં આવી ગયું. નાનીમા હીરાબાએ કહ્યું હતું, ‘બેટા, જ્યારે જ્યારે ડર લાગે, સંકટ આવે ત્યારે ત્યારે હનુમાનદાદાને યાદ કરવા...’ બસ ત્યારથી એ સ્વરૂપ સાથે સાહજિક અને સતત ભાવ થયો. સાળંગપુર હનુમાનજી મંદિરે જતા થયા કિશોરવયે. યુવા અવસ્થાથી પૂજ્ય મોરારિબાપુનું અને તલગાજરડા હનુમાનજીનું સાનિધ્ય મળ્યું. આમને આમ હનુમંત ચરિત્રમાં શ્રદ્ધા વધતી ગઈ.

    લોકડાઉન ભલેને રહ્યું, તમે સમયન...

    મોટા ભાગના લોકો અત્યારે ઘરેથી કામ કરે છે. જેમને અનિવાર્ય સેવાઓ સાથે સંકળાયેલા હોવાને કારણે ઘરની બહાર જવું પડતું હોય તેમને બાકાત રાખતા બાકી કોઈએ જ ઘરથી બહાર નીકળવું જોઈએ નહિ. લોકડાઉન એટલે લોકડાઉન. તેનો ચુસ્તપણે અમલ કરવો આપણા સૌના, સમાજના અને માનવજીવનના હિતમાં છે. આ સમયે ઘરમાં રહીને લોકો કંટાળી ગયા હોય તેવું બને. ઓફિસનું વાતાવરણ ન હોવાથી ક્યારેક ઘરેથી કામ કરીને પણ થાકી જવાય. આ સમયે કેટલીક એવી બાબતો જે આપણે સૌએ ધ્યાનમાં રાખવી જોઈએ તેની એક યાદી આપની સામે પ્રસ્તુત કરું છું. તમે તેમાં ઉમેરો કરીને પોતાનો ઘરે રહેવાનો સમય વધારે રચનાત્મક અને પ્રોડક્ટિવ બનાવી શકો છો.

    ‘અરે યાર, કોલેજ અને કોલેજના ફ્રેન્ડઝ બહુ યાદ આવે છે. અગાઉ ક્યારેય આટલી તીવ્ર રીતે કોલેજને મીસ નહોતી કરી.’ પરિવારમાં એક કોલેજીયન યુવતી આમ જ વાત કરતી હતી. આ એ છોકરી હતી જેને ગુજરાતની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં એડમિશન મળ્યા બાદ, ત્યાંની કડકાઈ અને હાજર રહેવાની પળોજણ ગમતી ન હતી. એ એવું ક્યારેક મસ્તીમાં કહેતી કે આટલી પ્રતિષ્ઠિત કોલેજમાં જ્યારે એડમિશન મળ્યું ત્યારે ખબર હોત કે અહીં આટલું કડક હશે તો હું જાત જ નહીં. હવે એ યુવતીને પોતાની કોલેજને યુનિવર્સિટીમાં જલ્દી ભણવા જવું છે. જશે થોડા સમયમાં ફરી બધું તંત્ર ગોઠવાશે એટલે જશે ને ત્યારે કોલેજના દિવસોને એ નવી રીતે જોશે. આખરે પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે. પરિવર્તન પંચતત્વમાં પણ હોય અને વિચારમાં - દૃષ્ટિકોણમાં પણ હોય.

    કુંદનિકાબહેન કાપડિયાઃ પ્રેમ -...

    વાત છે ૧૯૯૦ના એપ્રિલ મહિનાની. એ સમયે જન્મભૂમિ ભાવનગરમાં રહેતો હતો. સાહિત્ય અને સંગીત સાથે પ્રીતિના કારણે સ્ટેજ આર્ટીસ્ટ કુંદન ગઢવી સાથે પારિવારિક મિત્રતા હતી. મારા પત્ની મનીષા અને કુંદન તથા એના પત્ની સાગરબા સાથે અમે પ્રવાસ માટે પહોંચ્યા તીથલ. કોઈ પરિચય વિના બંધુત્રિપુટી નામે જાણીતા જૈન મુનિઓના આશ્રમ ‘શાંતિનિકેતન’માં ગયા. રહેવા-જમવાની સુવિધા થઈ. મોટા ભાગનો સમય દરિયાકિનારે - સત્સંગ અને સાહિત્યચર્ચા તથા કવિતાના આનંદમાં પસાર થતો. એમના જ સૂચનથી ધરમપુર નજીકના ‘નંદીગ્રામ’ પહોંચ્યા. મકરંદભાઈ અને કુન્દનિકાબહેને પ્રેમપૂર્ણ સ્વાગત કર્યું. અડધો દિવસ રોકાયા. ખૂબ વાતો કરી. કુન્દનિકાબહેન સાથે એ પ્રથમ મુલાકાત. એ પછી તો વલસાડસ્થિત પારિવારિક સ્વજન શ્રી હિંમતભાઈ શાહના ઘરે અને તીથલ નિયમિત જવાનું થતું રહ્યું અને એ સાથે બે-ચાર વાર નંદીગ્રામ પણ ગયો.

    ભાવનગરમાં રહેતા હરમીતના મમ્મી ખુશ છે, કારણ કે દીકરો માત્ર રસોઈ બનાવવામાં જ નહીં ઘરમાં કચરા-પોતાં કરવામાં પણ રાજી થઈને મદદ કરતો થયો છે. વલસાડમાં રહેતા ૮૪ વર્ષના હિંમતભાઈ શાહ કહે છે ક્યારેય કલ્પના કરી ન હતી એમ અમે ઘરના તમામ સભ્યો આટલો સમય ઘરમાં જ રહીએ છીએ અને વળી સહુ સતત, કોઈને કોઈ સર્જનાત્મક પ્રવૃત્તિમાં રહીએ છીએ.