‘માની કૃપા થઈ તે ફરી આપણે સહુ ગરબે ઘૂમતા થયા...’ હમણાં આ વાક્ય આપણે રોજ સાંભળીએ છીએ. ગત વર્ષે નવરાત્રિમાં કોરોનાની જેટલી તીવ્ર અસર હતી એટલે આ વર્ષે નથી અને એટલે કોરોના ગાઈડલાઈન્સના પાલન સાથે પણ આદ્યશક્તિના પવિત્ર યાત્રાધામોમાં ભક્તો દર્શને જાય છે અને પોળ-સોસાયટી-શેરીમાં ગરબા પણ રમાય છે. ગુજરાતની ઓળખ ગરબો છે અને નવરાત્રિ હવે વિશ્વના સૌથી લાંબા નૃત્ય મહોત્સવ પ્રસંગે જાણીતો ઉત્સવ છે.
અજવાળું અજવાળું
Block: Site: Subtree Block
‘આહાહા... કેવા મજાના એ દિવસો હતા... ને આજે પણ છે કારણ કે મારી સાથે આજે ફરી વાર તું છે.’ અભિષેકે આશાને વ્હાલથી વળગીને કહ્યું... આશાએ કહ્યું, ‘હું તારી આવી વાતોમાં ત્યારે પણ નહોતી આવીને આજે પણ નહીં આવું, તું તારી આ પત્નીને જ આવી વાતોમાં ફસાવ...’ ને ત્રણેય હસી પડ્યા. એ દિવસ હતો શરદપૂર્ણિમાનો.
‘હમણાં હમણાં તો એની આત્માની ગોફણમાંથી છૂટે છે - શબ્દ નહીં, પણ તાતી સંકલ્પશક્તિ. એના શબ્દો શબ્દો નથી, કાર્યો છે.’ મૂળ અંગ્રેજીનો ઉમાશંકર જોષીએ કરેલો આ અનુવાદ લખાયો છે કરમસદ ગુજરાતના ધરતીપુત્ર અને રાષ્ટ્રના એક સમયના નાયબ વડા પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ માટે.
નવું વરસ આપણને નવો આનંદ આપે છે. નવા સંકલ્પો, નવા સપના, નવો પરિચય, નવા કાર્યો, નવા ક્ષેત્રો, અને નવા લક્ષ્ય... નવું વર્ષ શરૂ થાય એટલે જાણે નવો દિવસ ઊગે, નવો સૂરજ નવા અજવાળા લાવે એવી અનુભૂતિ થાય. તન-મનમાં અને માનવીય સંબંધોમાં પ્રેમ-પ્રસન્નતા અને ઊર્જા-ઉલ્લાસ પ્રસરાવે છે નવીનતા.
‘એમનો વર્ગ અમે વિદ્યાર્થીકાળમાં ક્યારેય છોડ્યો નથી...’ ‘એમણે સાહિત્ય ક્ષેત્રે ભગીરથ કામ કર્યું છે...’ ‘એમના દીકરા-દીકરીને આપ્યો એટલો જ પ્રેમ અને વાત્સલ્ય વિદ્યાર્થીઓને આપ્યા છે.’ આ અને આવા અનેક વાક્યોમાં જે સંવેદના વ્યક્ત થઈ એના કેન્દ્રમાં હતા ગૂજરાત વિદ્યાપીઠમાં ગુજરાતી વિભાગમાં સુદીર્ઘ સેવા આપીને નિવૃત્ત થયેલા સાહિત્યકાર અને કેળવણીકાર, કવયિત્રી ડો. ઉષા ઉપાધ્યાય.
‘એક દીવો જવાનોના ત્યાગ, પરાક્રમ અને વીરતાના નામે પ્રગટાવીએ’ રાષ્ટ્રના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ વર્ષે સૈનિકો સાથે જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં દીપોત્સવ પર્વ ઊજવ્યું ત્યારે કહ્યું હતું. પ્રત્યેક ભારતીયના હૃદયમાં દેશની રક્ષા સરહદ પર કરી રહેલા અને આંતરિક સુરક્ષા કરી રહેલા જવાનો માટે અનહદ આદર અને વંદનનો ભાવ શ્વસે છે. ગુજરાતની સરહદો પર ફરજ બજાવતા જવાનો પણ બારે મહિના પ્રાકૃતિક અને ઋતુગત વિષમતાઓ સહન કરીને ખડેપગે દેશની સુરક્ષા માટે સમર્પિત રહે છે. આવા સૈનિકો અને જવાનો માટે અમદાવાદના એક તબીબ અને તેમના ટ્રસ્ટ દ્વારા થઈ રહેલી સેવા ભાવનાની આછેરી ઝલક મેળવીએ.
‘અહીંનું સમગ્ર વાતાવરણ જ આપણને આહલાદક લાગે એવું છે.’ સાહિત્યપ્રેમી જીવ કુમારીલ ડાંગોદરાએ કહ્યું. ‘આ ભૂમિમાં સત્સંગ અને સેવાના ધબકારા ઝીલાયા છે...’ અધ્યાત્મ-ધર્મ ને શિક્ષણ જગતના મુકેશભાઈ પટેલે ઉમેર્યું. ‘અહીંથી આયુર્વેદ ઉપચાર પદ્ધતિનું ઉત્તમ કાર્ય થશે.’ મોટાભાગના મહેમાનોએ કહ્યું. અવસર હતો મહેસાણા જિલ્લાના કલોલ તાલુકામાં આવેલા વડસ્મા ગામના શ્રી સત્સંગી સાકેત ધામ, ‘રામ આશ્રમ’ના સંકુલમાં યોજાયેલા પંચમુખાત્મક ત્રિદિન સાધ્ય સૂર્યયાગ સહિતના પાંચ દિવસીય સમારોહનો.
‘પુત્રવધૂને દીકરી જેટલો જ પ્રેમ આપનાર પરિવાર સાચ્ચે જ અભિનંદનને પાત્ર છે.’ જાણીતા લોકગાયક શ્રી અભેસિંહ રાઠોડે કાર્યક્રમ દરમિયાન મંચ પરથી કહ્યું. ‘અભિવાદન સમારોહ અને લોકડાયરાના કાર્યક્રમના નિમંત્રણમાં પણ પરિવારની લાડકી એવો જ શબ્દ પ્રયોજાયો છે એ જ બતાવે છે કે આ પરિવાર પુત્રવધૂને દીકરી જ ગણે છે.’ ઉપસ્થિત મહેમાનો પૈકીના કોઈએ કહ્યું. હમણાં કલાકાર - વક્તારૂપે એક સામાજિક સમારોહમાં ભાગ લેવાનું થયું, આનંદનો અવસર હતો એમાં આપણા શાસ્ત્રો - સત્સંગ અને સંસ્કારોનો સમન્વય હતો.
‘લગ્નજીવનના ત્રણ દાયકા પુરા કર્યા એ માટે તમને બંનેને અભિનંદન...’ એક દંપતીના ઘરે મેરેજ એનિવર્સરી નિમિત્તે યોજાયેલા મિલન સમારોહમાં બીજા મિત્રે શુભેચ્છા પાઠવતાં કહ્યું.
‘શરીરથી નાના કદનો, કોઈ પણ પદ વિનાનો મનુભાઈ સદ માટે, સદકાર્ય માટે, મોટા ગજાનું કામ કરી રહ્યો છે અને એમની સમગ્ર પ્રવૃત્તિમાં માનવ અને માનવતા કેન્દ્રસ્થાને છે.’ આ શબ્દ મોરારિબાપુએ ચિત્રકૂટ ધામ-તલગાજરડા ખાતે લેખક કિન્તુ ગઢવી લિખિત અને નવજીવન મુદ્રણાલય દ્વારા પ્રકાશિત માનવ સેવા ટ્રસ્ટની પ્રવૃત્તિઓ અને તેના ચેરમેન સાણંદ સ્થિત શ્રી મનુભાઈ બારોટના જીવનસંઘર્ષની કથાના પુસ્તક ‘પ્રેરણા પંથનો પ્રવાસી’નું વિમોચન કરતા કહ્યા હતા.
