થોડા સમય પહેલાંની ઘટના છે. મારી સામે રહેતા પાડોશીએ મને ૨૦૨૦ના વર્ષની બે સાવ નવી અને કોરી ડાયરી આપી. એમણે કહ્યું, ‘તમારે લખવાનું બહુ હોય છે તો ભલે જૂની છે, પણ તમે લખી શકો એવી છે.’ મેં આભાર માની એનો સ્વીકાર કર્યો ને એમાં લખવાનું પણ શરૂ કર્યું. પછી મારા મનમાં સંવેદનો અનુભવાયા કે જૂની ડાયરીના પાનાં પર કાંઈક લખી શકાય, કબૂલ, પણ જૂના-વીતેલા સમયને જીવી ના શકાય. સમય તો સતત વહેતું ઝરણું છે એના પ્રવાહમાં ભળીને પળપળ માણી શકીએ તો જ જીવન છે અને એટલું જ જીવન છે.
અજવાળું અજવાળું
Block: Site: Subtree Block
તમે ક્યારેય નદીકિનારે જઈને એમાં ધુબાકા માર્યા છે? સ્નાન કરીને એના જળનું આચમન લીધું છે? એમાંથી જાણે બહાર આવતો કે ડૂબતો સૂરજ જોયો છે. ઉપર આકાશમાં ચાંદની કે તારા હોય અને નીચે ધરતી પર સાથે મિત્ર કે પ્રિયજન હોય એવી ક્ષણો માણી છે? ક્યારેય એકલા એકલા નદીકિનારે અશ્રુધારા વહાવી છે? ક્યારેક રેતીમાં કોઈનું નામ લખ્યું છે? ક્યારેક આપણા જ પગલાંની છાપને પાણીના પ્રવાહમાં ભૂંસાતી જોઈ છે?
‘સાયબો મારો ગુલાબનો છોડ, વેલી હું તો લવંગની, ઊડશું જીવનમાં જોડાજોડ, પાંખો જાણે પતંગની...’ એકાએક અભિષેકને આ ગીત યાદ આવ્યું. ગેલેરીમાં બેઠો હતો, કોફી પીતો હતો. ૧૨મા માળેથી દેખાતા ખુલ્લા આકાશમાં એની સામે ઊડતા હતા રંગબેરંગી પતંગો અને એને વીતેલી અનેક ઉતરાણોનું સ્મરણ થઈ આવ્યું. પ્રેમપર્વ - પ્રકાશપર્વ - ધર્મપર્વ - અધ્યાત્મ પર્વ ઉતરાણ - મકરસંક્રાંતિ.
તમે ક્યારેય નદીકિનારે જઈને એમાં ધુબાકા માર્યા છે? સ્નાન કરીને એના જળનું આચમન લીધું છે? એમાંથી જાણે બહાર આવતો કે ડૂબતો સૂરજ જોયો છે. ઉપર આકાશમાં ચાંદની કે તારા હોય અને નીચે ધરતી પર સાથે મિત્ર કે પ્રિયજન હોય એવી ક્ષણો માણી છે? ક્યારેય એકલા એકલા નદીકિનારે અશ્રુધારા વહાવી છે? ક્યારેક રેતીમાં કોઈનું નામ લખ્યું છે? ક્યારેક આપણા જ પગલાંની છાપને પાણીના પ્રવાહમાં ભૂંસાતી જોઈ છે?
સમગ્ર વિશ્વમાં જેની અનુભૂતિ એકસરખી સંવેદનાથી થાય એવો આ એકાક્ષરી મંત્ર છે. મા, માતા, મમ્મી કે મોમ, સંબોધન જે પણ કરાય, સામેની વ્યક્તિના હૃદયમાં માતૃત્વનો જે સાગર છલકાય એની ભીનાશ એના સંતાનોને સતત ભીંજવતી જ રહે.
આજે કેટલામો દિવસ છે...? હેં!! ત્રીજી વાર..? એને તમારા વિના ન ચાલે એટલો બધો ઘરોબો?
કેવા કેવા પ્રશ્નો! પ્રશ્ન પુછનાર અને ઉત્તર આપનાર બન્ને હસતા હતા એનો અર્થ એ હતો કે ટેન્શન જેવું નહતું, ડર ન હતો, પરંતુ ત્રીજી વારની ઘટના તો હતી જ. વલસાડ સ્થિત સ્વજન સોનલે તો કહી દીધું કે હવે એને કહો આ છેલ્લા જીવ્યા-મર્યાના જૂહાર, આવતા ભવે નહિ ને એકે ભવે પણ ના મળતા એમ કહી દયો હવે.
તુમ્હે ઔર ક્યા દું
મેં દિલ કે સિવાય
તુમકો હમારી ઉંમર લગ જાય
આ ગીતના શબ્દો કેટલાય સંગીતપ્રેમીઓએ એમના પુનઃ સ્વાસ્થ્યની પ્રાર્થનારૂપે આત્મસાત્ કર્યા હશે, પણ એમ ક્યાં કોઈ રોકાય છે? લતાજી પણ ના રોકાયા. વસંતપંચમીના દિવસે મા સરસ્વતીનું પૂજન થયું અને છઠ્ઠના દિવસે જ જાણે મા સરસ્વતીના સાક્ષાત સ્વરૂપ લતા મંગેશકરના દૈહિક સ્વરૂપનું પંચમહાભૂતમાં વિસર્જન થયું.
‘તમે ક્યારેય કોઈનું સન્માન કર્યું છે?’ ‘તમે ક્યારેય કોઈના દ્વારા સન્માન પામ્યા છો?’ મોટા ભાગે આ સવાલોના જવાબ હા અને ના બંનેમાં આવશે. અનુભવ અને અવલોકન એવા રહ્યા છે કે સન્માન એક એવી ઘટના છે, એક એવો પ્રસંગ છે, જેમાં આપનાર-લેનાર અને સાક્ષી બનનાર સહુને આનંદ હોય છે.
‘આ માણસ એક મિત્ર તરીકે આખી જિંદગી સાચવવાનું મન થાય અને એની દોસ્તીનો અહેસાસ અનુભવીએ એવું અમૂલ્ય ઘરેણું છે.’ ગાંધીનગરસ્થિત સ્વજન મનોજ શુક્લે આ વાક્ય જેમના માટે કહ્યું એ વ્યક્તિ એટલે વાસુદેવસિંહ સરવૈયા. ભાવનગરમાં રહીને એમણે આખાયે દેશના ખૂણેખૂણે દોસ્તીનો સેતુ બાંધ્યો છે. મૂળ ગામ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાનું સાંગાણા. માતા હીરાબા અને પિતા જીતુભાનું સંતાન વાસુદેવસિંહ સરવૈયા એટલે પળ પળ પ્રકૃતિનો અને મૈત્રીનો માણસ. સાહસ અને સંવેદનાનો માણસ. કસરત અને કલાપ્રેમી માણસ, વોકિંગ અને વહાલનો માણસ.
‘ધર્મ અને રોજિંદા જીવનનું કોમ્બિનેશન થાય તો આપણી પરંપરા અને પ્રતિકો નવી પેઢીને ઝડપથી સમજાય. હવે આજે એ સમજાવો કે જીવને શિવ તરફ ગતિ કરાવવામાં આ શિવમંદિરના પ્રતિકો કેવી રીતે ઉપયોગી છે?’ દીકરાએ મમ્મી અને નાના-નાની ત્રણેને જાણે એક જ સવાલમાં અનેક સવાલો કરીને પોતાનું કુતુહલ અને ધર્મને જીવનની ફીલોસોફીને સમજવાની પોતાની લાગણી અભિવ્યક્ત કરી દીધી.
