‘બધે એવું જ હોય, દર વર્ષે ભાડા કરાર મુજબ 5 - 7 ટકા ભાડું વધારી જ આપવાનું હોય તો આપણી દુકાનના ભાડૂતે પણ આપવું જ પડે...’ રમાએ એના કાકાને કહ્યું, જેમની દુકાન ભાડે આપેલી હતી અને નવો ભાડા કરાર કરવાનો હતો. હવે આ જ રમાનો એક બીજો સંવાદ પણ સાંભળો, જે તેણે એની બહેનપણીને કહ્યો હતો. ‘અરે એવું થોડું ચાલે? તું તારા મકાનમાલિકને કહે કે આમ દર વર્ષે થોડું અમે વધારી આપીએ?’
અજવાળું અજવાળું
Block: Site: Subtree Block
જીવનના પાંચ દાયકા વટાવી ચૂકેલો એક માણસ એક આદતથી મજબૂર હતો. એ તમાકુવાળા માવા ખાવાનો બંધાણી હતો. જમવાનું ના મળે તો ચાલે, પણ માવો તો ખાવો જ પડે! એમના પત્નીનું કેન્સરની બીમારીમાં અવસાન થયું અને પછી તેમને સમજાવ્યા તો તમાકુના વ્યસનમાંથી છૂટવાનો સંકલ્પ લીધો.
એક ભાઈને દારૂ પીવાની ટેવ, રોજ રાતે ઘરે આવે, દારૂ પીવે. ઈન્કમટેક્સના કામે વકીલ પાસે વર્ષમાં ત્રણ-ચાર વાર જાય. એ વકીલ વ્યસનમુક્તિનું કામ કરે. બધાને વ્યસનોથી છોડાવે. પેલા ભાઈને થયું આમની ઓફિસે જવું હોય તો વ્યસન છોડવું પડે... આખરે ચમત્કાર થયો, વ્યસન છૂટ્યું અને એમણે પરિવાર ઊગરી ગયો એમ જણાવ્યું.
અત્યાર બજારમાં જ્યાં જૂઓ ત્યાં કેરી જોવા મળે. હમણાં ગાંધીનગરમાં યોજાયેલા મેંગો ફેસ્ટિવલમાં ભારતના કેટલાક રાજ્યોમાંથી પણ કેરીના ઉત્પાદકો કેરીના વેચાણ અર્થે આવ્યા હતા અને અપ્રતિમ પ્રતિસાદ સાંપડ્યો હતો. સંસ્કૃતમાં આમ્રફળ, હિન્દીમાં આમ, ગુજરાતીમાં કેરી અને અંગ્રેજીમાં મેંગો તરીકે ઓળખાતી કેરીની વિશ્વમાં 500થી પણ વધુ જાત છે. કુલ ઉત્પાદનમાં ભારતનો હિસ્સો 40 ટકાથી વધુ છે.
‘આ જુઓને આખોયે દિવસ કાનમાં ઈયરફોન ભરાવીને કાં તો વીડિયો જોતો હોય અથવા તો ગીતો સાંભળતો હોય, આપણે કાંઈ કહીએ તો સાંભળે જ નહીં..!’ એક માતાએ એના દીકરા માટેની એક લાગણી થોડા ગુસ્સા સાથે રજૂ કરી ત્યારે દીકરો તો કાંઈ ના બોલ્યો પરંતુ એ મહિલાના પતિએ તરત ઉમેર્યું, ‘હવે આ બાબતે તું કાંઈ વધુ બોલે એટલે સારું નહીં લાગે કારણ કે ઘર-પરિવારમાં જ્યારે જ્યારે તારે કોઈ સાથે વિચારભેદ થાય છે, તારી વાત ખોટી હોય અને કોઈ માને નહીં તો તું સવારે સાત વાગ્યે ભજનના બદલે ગઝલ ને રાત્રે શાંતિપૂર્ણ સંગીતના બદલે દુનિયાભરની ટીવી સીરીયલો ઘર આખાને સંભળાય એમ જુએ જ છે ને..!!
એક ભાઈ હમણાં એમના અનુભવોના નીચોડરૂપે કહેતા હતા કે ‘ઘણી વાર થાય છે કે જીવનમાં અતિ લાગણીશીલ થવાના અનેક નુકસાન છે, ક્યારેક થાય કે સહજ લાગણીની સાથે નહીં, પરંતુ કેલ્યુલેટેડ બુદ્ધિ સાથે વર્તન કરું, પણ વળી મારામાં રહેલો માણસ જાણે પ્રગટ થાય ને ફરી સહજ લાગણીથી જ જીવું.’
‘ડેડી, જુઓ તો ખરા, એ અમારા બેઉની વાતો જાણે આદર્શ શ્રોતા હોય એમ કેવી ધ્યાનથી સાંભળે છે...’ દીકરીએ પરિવારની ભાણેજ અનન્યા માટે કહ્યું. અનન્યાની ઉંમર થઈ સાડા નવ મહિનાની. એક દિવસ બધા એને કેન્દ્રમાં રાખીને એની સાથે ધમાલ-મસ્તી કરતા હતા. એમાં દીકરી સ્તુતિ અને અનન્યાની મમ્મી બંને અનાયાસ કોઈ વાત ધીમે ધીમે કરતા હતા.
ગુરુપૂર્ણિમાના ઉત્સવની સંવેદના અભિવ્યક્ત કોઈ કરતું હતું ને એમણે કહ્યું, ‘જે ઘડે છે તે ગુરુ છે. આશીર્વાદ માંગવા ન પડે પણ સહજપણે જેમની કૃપાની અનુભૂતિ સતત થયા કરે તે ગુરુ છે. ગુરુકૃપાની અનુભૂતિ થાય ત્યારે સમજાય નહીં પમાય. ગુરુકૃપાની અનુભૂતિ થાય ત્યારે સફળતાનો નહિ, સાર્થકતાનો અનુભવ થાય. ગુરુકૃપાની અનુભૂતિ થાય ત્યારે કારણ વિના પ્રસન્ન પણ થવાય અને કારણ વિના અશ્રુ પણ આવી જાય.
‘તમે રસ્તામાં હવે કાંઈ નાસ્તો કરતાં નહીં, બપોરે બે-ત્રણ વાગ્યે વાંસદા પહોંચશો, ત્યાં એક સરસ ઓર્ગેનિક રેસ્ટોરાં શરૂ થઈ છે, તમે ત્યાં જમજો, તમને જે તે પ્રદેશનું અસ્સલ સ્વાદનું ભોજન ગમે છે, તો અહીં ડાંગનું ભોજન પણ ભાવશે જ...’ આ શબ્દો વલસાડમાં હિંમતદાદાના ઘરે હેવી બ્રન્ચ જમાડ્યા પછી અમને એમના પુત્ર અને દોસ્ત નીલેશે કહ્યા. સહજતાથી પુછાઈ ગયું કે ‘તમે જમી આવ્યા છો? તો કહે ના અમે નથી ગયા, પણ જેઓ ગયા છે તેમને બહુ ભાવ્યું છે.’
ચોમાસાની ઋતુ છે, ચારેતરફ શ્રીકાર વર્ષા થઈ રહી છે, નદી-નાળાં, તળાવ ને સાગર છલકાઈ રહ્યા છે. સમગ્ર વાતાવરણમાં મસ્તી ને મદહોશી છે. પ્રેમીઓના હૃદયની સંવેદનાને અભિવ્યક્ત કરતા ગીતો-ગઝલો-કવિતાઓ, લોકગીતો કેટકેટલાનું સ્મરણ થાય, જેમાં વરસાદ અને વરસાદી વાતાવરણ શબ્દ-સંગીતમાં અભિવ્યક્ત થયા હોય.
એમની સાથેની પ્રથમ રૂબરૂ મુલાકાતનું સ્મરણ લઈ જાય છે વર્ષ 1994ના ઓગસ્ટ મહિનામાં. ભાવનગરના ‘માધુરી ગ્રુપ’ને પુરુષોત્તમ ઉપાધ્યાય, નિરંજન મહેતા, કાંતિભાઈ મહેતાની સ્વરગુર્જરી સંસ્થાએ મુંબઈના તેજપાલ સભાગૃહમાં કાર્યક્રમ માટે નિમંત્રણ આપ્યું હતું. કાર્યક્રમ આરંભે સાવ નવોદિત કલાકારો - ભાવનગરની ભૂમિ અને સુગમ સંગીતને વધાવતા મુંબઈના સંગીતપ્રેમીઓની વાત સાથે એમણે અમારો પરિચય કરાવ્યો હતો.
