તાજેતરમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીથી હુગલી જળમાર્ગ રાષ્ટ્રને અર્પણ કર્યો હતો, જે આંતરમાળખાકીય સુવિધામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. કોલકાતાના હાલ્ડીઆથી વારાણસી સુધી ગંગા નદી પરના આંતરિક જળમાર્ગ પર વિશાળ કન્ટેઈનર સેવા પ્રથમ વખત શરુ કરાઈ છે. વડા પ્રધાન મોદીએ ગંગા નદી પરના નવનિર્મિત વારાણસી ઈન્લેન્ડ પોર્ટ પર વિશાળ માલવાહક જહાજ ‘એમવી રબિન્દ્રનાથ ટાગોર’ને આવકાર્યું હતું. નોંધપાત્ર બાબત એ કહેવાય કે કોલકાતાથી આ જહાજમાં ૧૬ કન્ટેઈનર્સ આવ્યાં હતા, જે અનેક ટ્રક ભરીને લવાતા ખાદ્યપદાર્થોની સમકક્ષ હતા. વળતી મુસાફરીમાં તેમાં ઈફ્કોનું ખાતર રવાના કરાયું હતું. ભારતની આઝાદી પછી આંતરિક જળમાર્ગ પર કન્ટેઈનર સેવાની આ પ્રથમ અને મહત્ત્વાકાંક્ષી ઘટના છે.
તંત્રીલેખ
Block: Site: Subtree Block
ચૂંટણીઓના માહોલમાં નક્સલવાદી હિંસાનો મુદ્દો પુનઃ ચર્ચાની એરણે ચડ્યો છે. નક્સલવાદી હિંસાથી પ્રભાવિત છત્તીસગઢ રાજ્યમાં ૯૦ વિધાનસભા બેઠકો માટેની ચૂંટણીના પ્રથમ તબક્કાની ૧૮ બેઠક માટે સોમવારે મતદાન યોજાયું હતું. નક્સલવાદી હિંસા અને મતદાનના કારણે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાયાં છતાં દંતેવાડામાં મતદાન મથકની નજીક જ IED બ્લાસ્ટ કરાતા ભયનું વાતાવરણ છવાઈ ગયું છે. માઓવાદીઓ માટે હતાશાજનક બાબત એ છે કે તેઓની વારંવારની ધાકધમકી છતાં સ્થાનિક પ્રજા નીડર બનીને મતદાન કરવા નીકળી પડે છે. પ્રથમ તબક્કામાં પણ ૭૦ ટકા મતદાન સાાથે પ્રજાએ જડબાતોડ ઉત્તર વાળ્યો છેે.મતદાનના ૨૪ કલાક પહેલા નક્સલીઓએ છ સીરિયલ બ્લાસ્ટ કર્યા હતા. ‘બેલેટ વિરુદ્ધ બૂલેટ’ના આ જંગમાં નક્સલીઓએ ઘણાં વિસ્તારોમાં જનતાને ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચેતવણીઓ આપતા પોસ્ટર પણ લગાવ્યા છે. છત્તીસગઢમાં નક્સલીઓ દ્વારા ગત ૧૫ દિવસમાં ટનલમાં વિસ્ફોટ કરી યાત્રી બસને ઉડાવવા, પોલીસ દળ પર હુમલો, પોલીસના બુલેટપ્રૂફ બંકર વાહનને ઉડાવી દેવા સહિત હુમલાની મોટી ઘટનાઓને અંજામ અપાયો છે. માઓવાદ તરીકે પણ ઓળખાતા નક્સલવાદનું મૂળ તો કોમ્યુનિસ્ટ વિચારધારા છે. પશ્ચિમ બંગાળની ઉત્તરે દાર્જીલિંગ જિલ્લાના નક્સલબારી ખાતે આદિવાસીઓ દ્વારા જમીનદારોની જમીન પર સશસ્ત્ર હુમલા સાથે નક્સલાઈટ્સ કે નક્સલવાદ શબ્દ અસ્તિત્વમાં આવ્યો હતો. ભૂમિવિહીન મજૂરો અને આદિવાસી લોકો વતી જમીનદારો અને અન્યો સામે હિંસક સંઘર્ષ કરવાનો દાવો નક્સલવાદના પુરસ્કર્તાઓ કરી રહ્યા છે. જોકે, નક્સલવાદીઓની ઓળખ વર્ગસંઘર્ષના નામે લોકો પર દમન કે અત્યાચાર કરનારા આતંકવાદીઓ તરીકે વધુ છે.
વિક્રમ સંવતનાં વિદાય લેનારાં વર્ષમાં કેન્દ્રીય રિઝર્વ બેંક અને નાણા મંત્રાલય વચ્ચે ચાલી રહેલ વિવાદ વચ્ચે ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ ઈન્ડેક્સમાં ભારતના રેન્કિંગમાં સુધારાના ગૌરવપૂર્ણ સમાચાર જાણવા મળ્યાં છે. વર્તમાન યુગ વેપારનો છે તેમજ સરળતાથી કરાતો સારો વેપાર સમૃદ્ધિ તાણી લાવે છે. કોઈ પણ અર્થતંત્રમાં સરળ વેપારનું મહત્ત્વ રહેલું છે. વિશ્વના દેશો ભારત સાથે વેપાર કરવા તલપાપડ રહે છે. ‘ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ’ એટલે કે વેપાર કરવાની સરળતાના રેન્કીંગમાં ભારતે બીજા વર્ષે પણ મોટી છલાંગ લગાવી છે. વિશ્વ બેન્ક તરફથી જાહેર કરાયેલીી યાદીમાં વધુ ૨૩ પોઈન્ટ આગળ સરકી ભારતે ૭૭મું સ્થાન મેળવ્યુ છે. વિશ્વ બેન્કે ગયા વર્ષે કારોબારમાં સરળતા રેન્કીંગમાં ભારતને ૩૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૦૦મા સ્થાન પર પહોંચાડ્યું હતું. ગત બે વર્ષોમાં ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ ઈન્ડેક્સની રેન્કિંગમાં સુધારો કરનારા ટોપ ૧૦ દેશોમાં ભારત સામેલ છે. જ્યારે દક્ષિણ એશિયન દેશોમાં ભારતનો ક્રમ પ્રથમ છે. આમ, બે વર્ષના ગાળામાં ભારતના રેન્કીંગમાં કુલ ૫૩ પોઈન્ટનો સુધારો જોવા મળી રહ્યો છે.
ભારતના નિકટના પાડોશી શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ મૈત્રીપાલા સિરિસેનાએ વડા પ્રધાન રાનિલ વિક્રમાસિંઘેને પદભ્રષ્ટ કરીને પૂર્વ રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષેને દેશના નવા વડા પ્રધાન જાહેર કરી દેતાં મોટી રાજકીય ઉથલપાથલ સર્જાઈ છે. શ્રીલંકા સાથે ગાઢ સંબંધ ધરાવતા ભારત માટે આ ભારે ચિંતાનો વિષય છે કારણ કે રાજપક્ષે ભારતવિરોધી અને તેનાથી પણ વધુ તો ચીનતરફી ગણાય છે. રાજપક્ષેને નવા વડા પ્રધાન જાહેર કરાયાની સાથે જ ચીને તેમને અભિનંદન પાઠવી દીધા છે. સ્વાભાવિક રીતે વિક્રમાસિંઘેએ સંસદમાં બહુમતી હોવાથી વડા પ્રધાનપદ ઉપર દાવો જાળવી રાખ્યો છે, જેને સ્પીકર કારુ જયસૂર્યાએ સમર્થન આપ્યું છે અને બંધારણ અનુસાર નિર્ણય સંસદમાં લેવા સૂચન કર્યું છે. બીજી તરફ, સિરિસેનાએ ૧૬ નવેમ્બર સુધી સંસદને જ બરખાસ્ત કરી ન રહે બાંસ, ન બજેગી બાંસુરી જેવી સ્થિતિની પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. આ સ્થિતિમાં ભારત, યુરોપિયન યુનિયન અને અમેરિકાએ પ્રમુખ સિરિસેનાને બંધારણનું માન જાળવવા અનુરોધ કર્યો છે.
ભારતની મુખ્ય તપાસકર્તા એજન્સી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)નો વિવાદ ચર્ચાના ચગડોળે ચડ્યો છે. એજન્સીની આબરૂના લીરેલીરાં ઉડી રહ્યાં છે, જેના છાંટા નરેન્દ્ર મોદી સરકાર પર પણ પડે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. સંસ્થાના બે સર્વોચ્ચ અધિકારીઓ, ડાયરેક્ટર આલોક વર્મા અને જોઈન્ટ ડાયરેક્ટર રાકેશ અસ્થાના, વચ્ચે વર્ચસ અને અહમની લડાઈ હદ વળોટી જતાં મોદી સરકારને બન્નેને તાત્કાલિક રજા પર ઉતારી દેવાનું પગલું ભરવું પડ્યું છે. જોકે, હવે બન્ને અધિકારીઓએ સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકાર અમારી સામે કિન્નાખોરી દર્શાવી રહી છે જેવી રજૂઆતો કરી સરકારને જ આરોપીના પીંજરામાં ખડી કરી દીધી છે.
‘નેશન ઓફ ડ્રીમ્સ’ કહેવાતા યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા જઈ સુખી અને સમૃદ્ધ થવાના લોકશમણાં અધૂરાં રહે તેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. ‘અમેરિકા ફર્સ્ટ’ની નીતિ ધરાવતા પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વિદેશીઓ માટે અમેરિકામાં વસવાટ દુર્ગમ બની રહે તેવા પગલા લઈ રહ્યા છે. ટ્રમ્પ વહીવટીતંત્ર દેશના નાગરિકોને નોકરીઓમાં વધુ લાભ મળે તે માટે જાન્યુઆરી ૨૦૧૯થી ઈમિગ્રેશન નીતિમાં નોંધપાત્ર બદલાવ લાવી રહ્યું છે. વિદેશીઓના હાથે દેશના નાગરિકોની નોકરીઓ તેમજ વેપાર છીનવાઈ રહ્યાં છે તેમ માનતા પ્રમુખ ટ્રમ્પે ચીન સહિતના દેશો સાથે વેપારયુદ્ધ પણ છેડી દીધું છે. ટ્રમ્પતંત્ર એચ-૪ વિઝાધારકોને વર્ક પરમિટ બંધ કરવા માગે છે, જેની અસર મુખ્યત્વે ભારતીયો સહિત ૭૦,૦૦૦થી વધુ વિદેશીઓને થવાની છે. એક રીતે જોઈએ તો આ મુદ્દો રક્ષણવાદનો જ છે. યુએસ હોય, યુકે હોય કે ભારત, એક અથવા બીજી રીતે પોતાના નાગરિકોને ફાયદેમંદ રહે તે રીતે જ નીતિઓ ઘડતા હોય છે.
મહાભારતનો જંગ છેડાઈ રહ્યો હોય તેમ ગગનભેદી બ્યૂગલો વાગી રહ્યાં છે. એક તરફ, ૨૯ ઓક્ટોબરથી સુપ્રીમ કોર્ટમાં ત્રણ ન્યાયમૂર્તિની ખંડપીઠ દ્વારા અયોધ્યા રામમંદિર ભૂમિવિવાદ મુદ્દે સુનાવણી શરૂ થવાની છે અને બીજી તરફ, લોકસભાની ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીને ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે. આ અગાઉ, નવેમ્બર-ડિસેમ્બરમાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં મિની સામાન્ય ચૂંટણીઓનો જંગ પણ જોવા મળવાનો છે. આ સંદર્ભમાં રામમંદિર નિર્માણની તરફેણ અને વિરુદ્ધમાં વિધવિધ શંખો ફૂંકાઈ રહ્યા છે તેમાં કોઈ નવાઈ લાગતી નથી.
ભારતનો સૌથી જૂનો રાજકીય પક્ષ કોંગ્રેસ નેતાગીરીના મુદ્દે અવઢવમાં અટવાઇ રહ્યો છે. પક્ષમાં નેતૃત્વના મુદ્દે જે માહોલ પ્રવર્તે છે તે જોતાં તો એવું લાગે છે કે લોકસભાની છેલ્લી ચૂંટણીઓ અને તેની આગળ-પાછળ યોજાયેલી વિવિધ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં લગાતાર પરાજય છતાં પક્ષે જાણે હમ નહીં સુધરેંગેના શપથ લીધા છે.
અમેરિકા સહિત વિશ્વના છ દેશો (ચીન, ફ્રાન્સ, રશિયા, બ્રિટન તથા જર્મની) અને ઇરાને ઐતિહાસિક સમજૂતીની દિશામાં ડગલું માંડ્યું છે. વચગાળાની આ સમજૂતી અનુસાર ઇરાન તેના અણુકાર્યક્રમો સીમિત રાખશે અને બદલામાં તેની વિરુદ્ધ લાદવામાં આવેલા પ્રતિબંધો દૂર થશે. અલબત્ત, અંતિમ સમજૂતીની રૂપરેખા ભલે જૂન સુધીમાં સ્પષ્ટ થવાની હોય, પણ બન્ને પક્ષકારો આ માટે સંમત થયા છે તેના પગલે લાંબા સમયથી પ્રવર્તતો સંશય અને ભયનો માહોલ ટાઢો પડશે તેમાં બેમત નથી.
લગભગ ૧૮ વર્ષ અગાઉ ફેબ્રુઆરી ૨૦૦૨ના ગોધરાકાંડના પગલે ગુજરાતમાં ફાટી નીકળેલા કોમી રમખાણો માટે વડા પ્રધાન અને તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના પ્રધાનમંડળના સભ્યો કોઈ રીતે જવાબદાર નહિ હોવાની ક્લીનચિટ જસ્ટિસ નાણાવટી - જસ્ટિસ મહેતા તપાસ પંચે આપી છે. પંચના આ બીજા અને આખરી અહેવાલમાં સ્પષ્ટ કરાયું છે કે ગોધરાકાંડ પછીના રમખાણો પૂર્વ આયોજિત નહિ પરંતુ, તે હિંસાચારની પ્રતિક્રિયા હતા. જોકે, તેમાં પોલીસ અધિકારીઓની બિનકાર્યક્ષમતા, ધાર્મિક નેતાઓ દ્વારા નિરક્ષર અને ગરીબ લોકોની ઉશ્કેરણી તેમજ મીડિયાની ભૂમિકા સામે પણ આંગળી ચીંધાઇ છે.
