એશિયામાં અને વિશ્વભરમાં ભારતના વધતા પ્રભાવને ખાળવા ચીને અનેક મોરચા માંડ્યા છે તેમાં હવે સાઇબર વોરફેરનો પણ સમાવેશ થયો છે. ભરત માટે આ બાબત ગંભીર એટલા માટે કહી શકાય કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતે ચીન સાઇબર એટેક કરીને ભારતની ઘણી સિસ્ટમ ખોરવી શકે તેવો અંદેશો વ્યક્ત કર્યો છે.
તંત્રીલેખ
Block: Site: Subtree Block
બ્રિટિશ રોયલ ફેમિલી અને વિશેષતઃ ક્વીન એલિઝાબેથ અને યુકેના તમામ પ્રજાજનોને પ્રિન્સ ફિલિપ, ડ્યૂક ઓફ એડિનબરાએ ભારે આઘાત આપ્યો જ્યારે ૯ એપ્રિલે તેઓ અનંતની યાત્રાએ ચાલી નીકળ્યા. ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મેરિસને યોગ્ય શ્રદ્ધાંજલિ અર્પી છે કે પ્રિન્સ ફિલિપ એવી પેઢીનું પ્રતીક હતા જેમને આપણે ફરી કદી જોઈ શકીશું નહિ.
આખરે હીરા-ઝવેરાતના કૌભાંડી બિઝનેસમેન નિરવ મોદીને ભારત મોકલી આપવાના આદેશ પર હોમ સેક્રેટરી પ્રીતિ પટેલના હસ્તાક્ષર કરાવા સાથે જાણે જંગ જિતાયો હોય તેવો માહોલ રચાઈ ગયો છે. ભારતની પંજાબ નેશનલ બેન્ક સાથે આશરે ૧૪,૦૦૦ કરોડ રુપિયા અથવા ૧૩૬,૨૨૫, ૯૦૭ પાઉન્ડની છેતરપિંડી આચરીને નિરવ મોદી બ્રિટન નાસી આવ્યો ત્યાં સુધી ભારતીય બેન્ક અને સરકારી એજન્સીઓ ઉંઘતી રહી હતી. ઘોડા નાસી છૂટ્યા પછી જ તબેલાને તાળા મારવાનો ઉપક્રમ બેન્ક અને સરકારી એજન્સીઓએ જાળવી રાખ્યો હતો એટલે કે આ બાબતમાં તો એકસૂત્રતા રાખી હતી.
ડ્યૂક ઓફ એડિનબરાની અંતિમવિધિ થતી હતી ત્યારે સેન્ટ જ્યોર્જ ચેપલમાં ક્વીન એલિઝાબેથ દ્વિતીય એકલા અટુલા અને નિસ્તેજ ચહેરે બેસી રહેલા દેખાયા. તદ્દન સ્વાભાવિક પ્રતિક્રિયા હતી. જીવનસાથીની વિદાય સાથે તેમણે ૭૪ વર્ષનો સાથસંગાથ ગુમાવ્યો હતો પરંતુ, એટલી દાદ આપતા કહેવું પડે કે પ્રિન્સ ફિલિપના મૃત્યુ પછી ક્વીને ‘તાકાત અને સ્થિરતા’ ગુમાવી હોવાં છતાં, પોતાની જાત, પરિવાર અને દેશને બરાબર જાળવી લીધો છે. પ્રિન્સ ફિલિપના અવસાન પછી દેશને એ વાતની બરાબર જાણ થઈ કે દેશમાં હજુ રાજાશાહી લોકપ્રિય અને જીવંત છે.
ભારત કોરોના વાઈરસના મ્યુટન્ટ વેરિએન્ટની ત્રીજી લહેર સામે ઝઝૂમી રહ્યું છે. ભારત માટે ૧૪મી એપ્રિલ વિશિષ્ટ દિવસ બની રહ્યો. હિન્દુ અને શીખ લોકોએ સાથે મળીને નવા વર્ષની ઉજવણી કરી. ઘણા મુસ્લિમોએ પણ રમઝાનના પ્રથમ દિવસે મિત્રો અને પરિવારો સાથે મોડી રાતની મિજબાનીઓ માણી. પવિત્ર ગંગાતટે હરિદ્વારમાં આયોજિત કુંભમેળામાં પણ લાખો ભાવિકો ઉમટ્યા હતા. આ બધા પછી, સૌપ્રથમ વખત કોવિડ પોઝિટીવ લોકોની સંખ્યા ૨૦૦,૦૦૦ને પાર થઈ અને જોત જોતામાં સંક્રમિતોનો આંકડો ૩૫૦,૦૦૦ને પણ આંબી ગયો છે.
ભારતના મૂળ લોકો સનાતન ધર્મમાં માનનારા લોકો છે અને ધર્મની વ્યાખ્યા જડ કે સંકુચિત જરા પણ નથી. ભારતીય સંસ્કૃતિ અનુસાર ધર્મનો અર્થ કર્તવ્ય પણ થાય છે.જ્યારે કોઈ વ્યક્તિ ધર્મથી વિમુખ થાય એટલે તેણે પોતાનું કર્તવ્ય નિભાવ્યું નહિ તેમ અવશ્ય કહી શકાય. આજકાલ ધર્મના ધતિંગનું પ્રમાણ ઘણું વધી ગયું છે ત્યારે લોકો પોતાને નહિ પરંતુ, ધર્મને દોષ આપતા જરા પણ અચકાતા નથી.
કોરોના મહામારી વચ્ચે ભારતના પાંચ રાજ્યો- પશ્ચિમ બંગાળ, આસામ, તામિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીજંગ ખેલાઈ ગયો પરંતુ, તમામની નજર ફક્ત પશ્ચિમ બંગાળના રસપ્રદ ચૂંટણીજંગ પર જ હતી. જોકે, ૨૦૦થી વધુ બેઠક હાંસલ કરવાના ધાર્યા પરિણામો હાંસલ નહિ થવાથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ સહિત ભાજપના નેતાગણની ઊંઘ હરામ થઈ છે. મમતા બેનરજીએ ૨૧૪ બેઠકની જંગી બહુમતી હાંસલ કરી ત્રીજી વખત શાસન સંભાળી લીધું છે. રાજકીય નેતાઓ કરતા નાગરિકો વધુ શાણા પૂરવાર થયા છે. નેતાઓની સભાઓમાં લાખો લોકોની હાજરી મત અને વિજયમાં રુપાંતરિત થતી નથી તે હવે નેતાઓએ સમજી લેવાની જરુર છે. ભાજપને વધુ પડતો આત્મવિશ્વાસ ભારે પડયો છે. મમતા બેનરજીએ તેમના ‘મા, માટી ઔર માનુષ’ના સ્લોગનને સાર્થક કરી બતાવ્યું છે. કેરળમાં પી.વિજયન અને તામિલનાડુમાં ડીએમકેના એમ. કે. સ્ટાલિન સત્તા પર આવ્યા છે.
૨૦૨૦ના વર્ષમાં વિશ્વભરના ભ્રષ્ટાચારી દેશોની સૂચિમાં યુકે ૧૧મા નંબરે છે. આ નામાવલિના ચાર દેશો : કેનેડા, ઓસ્ટ્રેલિયા અને હોંગકોંગ સાથે યુકેની સરખામણી કરીએ તો એનો ક્રમ ઉતરતો છે. એકાદ દાયકા અગાઉ યુકે ૧૬મા ક્રમાંકે હતું. તે એ વર્ષ હતું કે, જ્યારે યુકેના જાહેર ક્ષેત્રોમાં ફોન હેકિંગ જેવાં કૌભાંડ સિવાય હજી ઘણા બધાં વિસ્તારો સંવેદનશીલ હતા. પાછળ એક દ્રષ્ટિપાત કરીએ તો ભ્રષ્ટાચાર અંગે વ્યક્તિગત કે સંસ્થાકીય નાણાકીય હેરાફેરીના કોઇ મજબૂત પુરાવા સાંપડતા નથી.
વડા પ્રધાન બોરિસ જ્હોન્સને યુકેમાં મધ્યવર્તી ચૂંટણીમાં ફરી એક વખત કન્ઝર્વેટિવ પાર્ટીને વિજય અપાવ્યો છે.
બ્રિટનના ક્વીન એલિઝાબેથ દ્વિતીય અને શાહી પરિવારના સભ્યો તરફ લોકો આદર અને સન્માનની દૃષ્ટિ ધરાવે છે તેમાં કોઈ શંકા નથી. પ્રિન્સ હેરી અને મેગન મર્કલના સનસનીખેજ ઈન્ટરવ્યૂ પછી પણ આદરમાં ઘટાડો જણાયો નથી પરંતુ, ‘એક મછલી સારે તાલાવ કો ગંદા કર દેતી હૈ’ની કહેવત પણ ખોટી નથી.
