અત્યારે અધિક (પુરુષોત્તમ) માસ ચાલે છે. દોઢસો વર્ષે આ પ્રકારનો અધિક મહિનો આવ્યો તે બીજા અધિક માસથી અલગ છે. શ્રાદ્ધ પક્ષ શરૂ થયો, તેની અંતિમ તિથિ - સર્વ પિતૃ અમાસે સૌ પોતાના વિદાય લઇ ચુકેલા સ્વજનોનું શ્રાદ્ધ કરશે. આમ તો સિદ્ધપુરની નદીનો કિનારો તેના માટે જાણીતો છે, પણ શ્રાદ્ધ કરાવનારા ભૂદેવો વધુ લોકોને એકસાથે કર્મકાંડ કરાવે તેવું બનશે નહીં. કારણ છે કોરોના.
તસવીર-એ-ગુજરાત
Block: Site: Subtree Block
સુશાંતસિંહ રાજપૂત નામે મુંબઈ વસવાટ કરનારા બિહારના યુવક અભિનેતાએ આપઘાત કર્યો કે પછી તેને મારી નાખવામાં આવ્યો તેની રોજેરોજની ચર્ચા હજુ અટકી નથી. પણ તેની પાછળ માત્ર પોલીસ તપાસ જ નહીં, દેશના ત્રણ રાજ્યો અને તેનું રાજકારણ આટલી હદે ઉત્પાતમાં સામસામે આવી જશે તેનો અંદાજ બિચારા સુશાંતને ય નહી હોય.
ઇતિહાસ માત્ર પાઠ્યપુસ્તકો પુરતો મર્યાદિત હોતો નથી, આપણા દિલ અને દિમાગને દેશ, સમાજ અને સંસ્કૃતિ તરફ પ્રેરિત કરનારી સંજીવની છે. લંડનમાં બેઠેલા ગુજરાતીઓએ હાઈ ગેટ પર આવેલું ‘ઇન્ડિયા હાઉસ’ જોયું છે? ના જોયું હોય તો બાળકો અને યુવા પેઢીને સાથે લઈને જજો અને કહેજો કે અહીં, માંડવી કચ્છમાં જન્મેલા એક વિદ્વાન ભણશાળીએ હિન્દુસ્તાનની આઝાદી માટે આ જગ્યાએ, આ ઈમારતમાં બેસીને દુનિયા આખીને જાગતી કરી હતી!
બળાત્કાર આપણા શારીરિક અને માનસિક ભોગવટાનો સૌથી ખરાબ પ્રકાર છે અને દુનિયાનો કોઈ દેશ બાકી નથી કે જ્યાં બળાત્કારો ન થયા હોય. પશ્ચિમમાં તો આવો અનુભવ કરી ચૂકેલી મહિલાઓની આપવીતી પુસ્તક સ્વરૂપે આવી છે. માનસશાસ્ત્રીઓનાં વિશ્લેષણ કરતાં પુસ્તકોનો પાર નથી. એક વાર કોઈકે કહ્યું હતું કે દરેક સરકારે માત્ર બળાત્કાર નિવારણનો એક વિભાગ કે ખાતું ઊભા કરવાં જોઈએ. મહિલા ઉત્પીડન પર દરેક સભ્ય સરકાર પગલાં લેતી જ હોય છે અને તેનો અલગ વિભાગ પણ હોય છે.
ચીન સાથેની મંત્રણાનો સાતમો દોર પૂરો થયો. હવે શું? આમ તો ‘સબ ભૂમિ ગોપાલ કી’ અને ‘જય જગત’ આદર્શ સૂત્રો છે પણ વાસ્તવિકતા એ છે કે દુનિયાનો દરેક દેશ, બીજા દેશ સાથે સરહદથી વિભાજિત થાય છે અને સરહદ પરનાં યુદ્ધો ચાલ્યા જ કરે છે. બધે નહીં પણ ઘણા દેશોમાં ‘સળગતી સરહદો’ અસ્તિત્વમાં છે.
પ્રવાસનનું પ્રથમ કામ સહેલાણીઓ આવી જગ્યાએ જાય તે માની લેવામાં આવ્યું છે, પણ તેનો મુખ્ય હેતુ તો સમાજ, દેશ, ધર્મ, સંસ્કૃતિને ઉજાગર કરતાં જાણીતાં સ્થાનોના વિકાસનો તો છે જ, સાથે અજાણ ઈતિહાસને સાચવીને બેઠેલાં નગર, ઉપનગર, ગામડાં સુધી પ્રવાસનને સ્થાપિત કરવાનો છે.
ઓક્ટોબરના આતશમાં આપણા કેટલાક વીરલા નાયકોની સ્મૃતિ સ્વાભાવિક છે. આ મહિનો ગાંધી અને લાલબહાદુર શાસ્ત્રી-જન્મનો છે. જયપ્રકાશ નારાયણ ઓક્ટોબરનું સંતાન અને ડો. રામમનોહર લોહિયાની વિદાય પણ ખરી. આપણા પોતાના ક્રાંતિવીર પંડિત શ્યામજી કૃષ્ણવર્મા ચોથી ઓક્ટોબરે જન્મ્યા હતા.
ગુજરાતની આઠ બેઠકોની પેટા-ચૂંટણીના પ્રચારનો શોરબકોર છેલ્લી ઘડી સુધી ચાલ્યો. મંગળવારે મતદાન પણ થઇ ગયું. આ આઠે બેઠકો કોંગ્રેસ પાસે હતી પણ ‘પક્ષની અંદરની અવગણના’ને લીધે ધારાસભ્યોએ પક્ષ છોડ્યો અને ભાજપમાં ગયા એટલે તેમના માટે આબરુનો સવાલ છે. અધૂરામાં પૂરું આઠમાંથી પાંચ બેઠકો તો પક્ષમાંથી ગયેલા જ ભાજપના ઉમેદવાર તરીકે મેદાનમાં છે. કોંગ્રેસે તેને ‘પક્ષપલટુ’ તરીકે ઓળખાવીને પ્રચાર તો કર્યો છે પણ પક્ષે કરાવેલા પક્ષપલટાઓનો ભૂતકાળ ઘણો લાંબો છે એટલે લોકોને બ્રિજેશ મેરજા જેવા કોઈ પણ પક્ષમાં હોય તેનો વાંધો નથી.
માલેગાંવ પ્રકરણમાં ગુજરાતના સાધ્વી પ્રજ્ઞાને ૭-૮ વર્ષથી કોઈ જ આરોપ મૂકાયા વિના જેલમાં રાખ્યાં. તેમની પોતાની ફરિયાદ પ્રમાણે જેલમાં તેના પર ત્રાસ ગૂજારવામાં આવ્યો, ફરજિયાત ‘નોન-વેજીટેબલ’ ખાણું અપાયું, બિબીમારીમાં સારવાર ન કરાઈ અને હવે તો કેન્સરના રોગમાં પીડાઈ રહી છે... આજે પણ તે જીવન-મૃત્યુની વચ્ચે ઝોલાં ખાઈ રહ્યાં છે. એક કોર્ટથી બીજી કોર્ટ સુનાવણી ચાલે છે.
ગુજરાત અને દેશ, તેમજ વિદેશવાસીઓ ગુજરાતીઓ - ભારતીયો પણ દીપોત્સવી પર્વ મનાવી રહ્યાં છે. થોડાક દિવસોમાં જ વાક્બારસ, ધનતેરસ, રૂપચૌદસ, દિવાળીના તહેવારો ઝમગમશે. અને પછી વિક્રમ સંવતનું નૂતન વર્ષ ૨૦૭૬.
