વિવિધા

No

Block: Site: Subtree Block

    ‘આ કાગળ ધમકીરૂપે નહીં પરંતુ સત...

    રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ ૧૨મી માર્ચે દાંડી માર્ચનો પ્રારંભ કર્યો એ પૂર્વે, ૧૯૩૦ની બીજી માર્ચે વાઈસરોયને એક વિગતવાર પત્ર લખ્યો હતો. જેમાં નવ દિવસ પછી મીઠાનો સત્યાગ્રહ કરી સવિનય કાનુન ભંગ કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું. આજ સુધી સરકારમાં કોઈ અધિકારીને અહિંસક આંદોલન પાછળ રહેલી સત્યાગ્રહની વિભાવના દર્શાવતો આવો પત્ર ભાગ્યે જ મળ્યો હશે. બાપુએ પત્રમાં લખ્યું હતું:

    બદલાતા યુગની સાથે માનવી પણ બદલાઇ રહ્યો છે, સાથે એની વિચારધારા, એની સાંસ્કૃતિક પરંપરા, માન્યતાઓ, નીતિરીતિઓમાં પણ ભારે બદલાવ થતો દેખાય છે. પહેલાં પરિવારનું કોઇ સ્વજન તમારા મૃત્યુ પછીની અંતિમક્રિયાની ઇચ્છાઓ વિષે પૂછવાની હિંમત કરતો નહીં જ્યારે આજે તમારા સંતાનો તમને સહજભાવથી પૂછી શકે છે કે તમારા અસ્થિ વિસર્જન કયાં કરવાં?તમારી અંતિમવિધિ કેવી રીતે કરવી? જો કે આવા સવાલ સામે કેટલાક વડીલોને સંતાનોનો "સ્વાર્થ" હોવાની ગેરસમજ ઉભી થતી હોય છે પણ આધુનિક યુગની વિચારધારા ધરાવનાર સંતાનનો આશય એવો નથી હોતો. પશ્ચિમી પરંપરામાં તો તમારી અંતિમવિધિ કેવી રીતે કયાં કરવી, કબરની જગ્યા ક્યાં રાખવી એ તમામ વિગતો જે તે વ્યક્તિ એના વીલમાં લખી દેતો હોય છે એટલે કદાચ આપણી યુવાપેઢી આપણી ઇચ્છા વિષે પૂછે તો મનદુ:ખ આણવું નહિ, સહજભાવે જ લેવું જોઇએ.

    ઓક્સફર્ડ યુનિવર્સિટી ધાર્મિક...

    એ દિવસ એવો હતો જેને ભારતીયો ઈતિહાસ સર્જન તરીકે ગણાવી શકે. હા એ દિવસ કર્ણાટકના ઉડુપી નજીકના ટાઉન મનિપાલથી આવેલી મહત્ત્વાકાંક્ષી યુવતી રશ્મિ સામંત માટે મહાન દિવસ હતો જ્યારે તેણે ઓક્સફર્ડ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયનના પ્રમુખપદે ચૂંટાયેલી પ્રથમ ભારતીય મહિલા બનવાનું બહુમાન હાંસલ કર્યું હતું. વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં પણ અગ્રસ્થાન ધરાવતી સંસ્થામાં વિદ્યાર્થીઓ દ્વારા ચૂંટાઈ આવવું તે વાસ્તવમાં અપ્રતિમ સિદ્ધિ ગણાવી શકાય. જોકે, હું એવા તારણ-નિર્ણય પર આવ્યો છું કે ઓક્સફર્ડ યુનિવર્સિટી ભારતવિરોધી અને હિન્દુવિરોધી સંસ્થા બની ગઈ છે. આ યુનિવર્સિટીમાં કશુંક અનુચિત-ખરાબ થઈ રહ્યું હોવાનું માનવા પ્રેરે તેવું તત્વ શું હોઈ શકે?

    કિંગ ઝ્વેલિથિનીઃ ઝુલુ અને ભારતીય સમુદાય વચ્ચે સાંસ્કૃતિક સહકારના પ્રખર હિમાયતી

    સાઉથ આફ્રિકાના ઝુલુ રાષ્ટ્રને ૧૨ માર્ચ ૨૦૨૧ના દિવસે તેના આઠમા રાજવીના નિધનથી ભારે આઘાત સહન કરવો પડ્યો છે. દિવંગત ઝુલુ કિંગ ગૂડવિલ ઝ્વેલિથિની કાભેકુઝુલુએ પાંચ દાયકા રાજ કર્યું અને ૭૨ વર્ષની વયે ડાયાબિટીસના કોમ્પ્લિકેશન્સના લીધે ડર્બનની હોસ્પિટલમાં આખરી શ્વાસ લીધા હતા. તેમનો જન્મ જુલાઈ ૧૯૪૮માં નોનગોમા, નાતાલ (હવે સાઉથ આફ્રિકાના ક્વાઝુલુ-નાતાલ- KZN પ્રાંત, જેની રાજધાની ડર્બન છે.) કિંગ સીપ્રીઆન બેકુઝુલુ કાસેલોમોનના આ પુત્રે બેકેઝૂલુ કોલેજ ઓફ ચીફ્સમાં અભ્યાસ પછી ખાનગી શિક્ષણ મેળવ્યું હતું. ઝુલુઓના આઠમા રાજવી તરીકે તેમનું રાજ્યારોહણ ૧૯૭૧ની ૩ ડિસેમ્બરે પરંપરાગત સમારોહમાં થયું હતું જેમાં, ૨૦,૦૦૦ લોકોએ હાજરી આપી હતી. રંગભેદકાળ પછીના સાઉથ આફ્રિકન બંધારણમાં કિંગની વિશિષ્ટ શિષ્ટાચારી-ઔપચારિક ભૂમિકા છે. બંધારણમાં પરંપરાગત શાસક તરીકેની  માન્યતાનો અર્થ એ હતો કે તેમને સરકારી સહાય પ્રાપ્ત થતી હતી.

    ઓક્સફર્ડ યુનિવર્સિટી ધાર્મિક પક્ષપાતનો અડ્ડો?

    એ દિવસ એવો હતો જેને ભારતીયો ઈતિહાસ સર્જન તરીકે ગણાવી શકે. હા એ દિવસ કર્ણાટકના ઉડુપી નજીકના ટાઉન મનિપાલથી આવેલી મહત્ત્વાકાંક્ષી યુવતી રશ્મિ સામંત માટે મહાન દિવસ હતો જ્યારે તેણે ઓક્સફર્ડ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયનના પ્રમુખપદે ચૂંટાયેલી પ્રથમ ભારતીય મહિલા બનવાનું બહુમાન હાંસલ કર્યું હતું. વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં પણ અગ્રસ્થાન ધરાવતી સંસ્થામાં વિદ્યાર્થીઓ દ્વારા ચૂંટાઈ આવવું તે વાસ્તવમાં અપ્રતિમ સિદ્ધિ ગણાવી શકાય. જોકે, હું એવા તારણ-નિર્ણય પર આવ્યો છું કે ઓક્સફર્ડ યુનિવર્સિટી ભારતવિરોધી અને હિન્દુવિરોધી સંસ્થા બની ગઈ છે. આ યુનિવર્સિટીમાં કશુંક અનુચિત-ખરાબ થઈ રહ્યું હોવાનું માનવા પ્રેરે તેવું તત્વ શું હોઈ શકે?

    ભગવાન રામ સાસરી જનકપુરીમાં હો

    નેપાળના જનકપુરીમાં આવેલા જનકપુર મંદિરેથી નીકળેલી શ્રીરામ અને જાનકીની ડોળી શનિવારે બપોરે કંચનવન પહોંચતા રંગ-ગુલાલની વર્ષા થઇ. આ સાથે જ ત્રેતાયુગથી ચાલી આવતી પરંપરા હેઠળ મિથિલામાં હોળી મહોત્સવની શરૂઆત થઇ. શ્રીરામ લગ્ન બાદ સીતા માતા સાથે મિથિલા દર્શન માટે નીકળ્યા હતા. ૧૫ દિવસની આ પરિક્રમાના સાતમા દિવસે તેઓ કંચનવન પહોંચ્યા તે દિવસે હોળી હતી. નવદંપતી કંચનવનમાં જ હોળી રમ્યાં. આ ફાગોત્સવમાં રામ-જાનકી સાથે મિથિલાના લોકો પણ જોડાયા હતા. ત્યારથી અત્યાર સુધી દર વર્ષે હજારો સાધુ-સંતો, સ્ત્રી-પુરુષો કંચનવન પહોંચીને ફગુઆ (હોળી)ની શરૂઆત કરે છે.

    ધૂળેટીઃ રંગો સ્પર્શે ને જાણે આ...

    હોલિયા મૈં ઊડે રે ગુલાલ કહીયો રે મંગેતર સે... ખુબ જાણીતું આ રાજસ્થાની ગીત ગાતા ગાતા દીકરી આવી... અને કહે કે ‘ડેડી, તમે નાના હતા ત્યારથી હોળી-ધૂળેટીને કેવી રીતે ઉજવતા હતા..? ચાલો આજે તો એની વાતો કરો...’

    ભારત તો છે જ ઉત્સવોનો દેશ. આ દેશમાં લગભગ દર સપ્તાહે નહિ તો પખવાડિયે એક - બે મોટા ઉત્સવો ઉજવાય છે. ૨૦મી માર્ચે પારસીઓનો તહેવાર નૌરુઝ હતો. નૌરુઝનો તહેવાર ઈરાનમાં લગભગ ૩૦૦૦ વર્ષથી ઉજવાય છે. આ તહેવારની ખાસિયત એ છે કે તે પ્રકૃતિ સાથે સંકળાયેલો છે. આ સમયે દિવસ અને રાત એકસરખા થઇ જાય છે. બંને બાર બાર કલાક. શિયાળાનો અંત આવીને બહાર, વસંતની શરૂઆત થાય છે. ઠંડા દિવસોને બદલે ઉષ્માભર્યા દિવસો આવે છે. લોકોમાં ઉત્સાહ અને તાજગી આવે છે. ભારતમાં પણ પારસીઓ ગુજરાતના સંજાણ બંદરે આવ્યા અને ત્યારબાદ સ્થાયી થયા ત્યારથી આ તહેવારનું મહત્ત્વ વધ્યું છે. પારસીઓનો આ મુખ્ય તહેવાર પરંતુ ઈરાન અને તેની આસપાસના બધા જ વિસ્તારના લોકો આ તહેવાર ધામધૂમથી ઉજવે છે. આ દિવસ ઇરાનના કેલેન્ડરનો પ્રથમ દિવસ છે અને તેનાથી નવું વર્ષ શરૂ થાય છે. સામાન્ય રીતે આ તહેવાર ૨૧ માર્ચના રોજ આવે છે.

    પાકિસ્તાનના ઉભા ફાડિયા કરીને

    બંગાળ ભારતીય ભૂમિનું એવું સરનામું છે જ્યાં સ્વતંત્રતાનાં નરબંકાઓ, ધર્મ અને સમાજ સુધારકોની ઉજ્જવળ પરંપરા રહી છે. બંગાળનું નામ પડતાં જ સ્વામી વિવેકાનંદ, ગુરુ રામકૃષ્ણ પરમહંસ, રાજા રામમોહનરાય, જગદીશચંદ્ર બોઝ, નેતાજી સુભાષચંદ્ર બોઝ, રવિન્દ્રનાથ ઠાકુર જેવા મહાનુભાવોની છબી નજર સમક્ષ તરવરી ઉઠે. એક તરફ બંગાળની આ ઓળખ છે ત્યારે બીજી તરફ એક બીજી પણ ઓળખ છે અને તે લોહિયાળ છે. ભારત ભૂમિનાં ટુકડા કરવા હઠે ચઢેલા મહંમદઅલી ઝીણાએ આપેલાં ડાયરેક્ટ એક્શનનાં એલાનનો પડ્યો બોલ બંગાળી મુસ્લિમોએ ઝીલ્યો હતો અને બંગાળની ધરતી ભારતીયોનાં લોહીથી લથબથ થઈ ગઈ હતી. આ એ જ બંગાળ છે જેના અંગ્રેજોએ એક વખત ભાગલા કરવા કોશિશ કરી તો સમગ્ર દેશમાં સ્વતંત્રતાની હેલી ઉઠી હતી અને આ એ જ બંગાળ હતું જે ભારતનાં ભાગલાનો ત્રીજો હિસ્સો બન્યું હતું.

    ફૂલો કે મોસમમેં મિલને આતે હૈ, વાદા કરકે ફિર વાપસ નહીં આતે હૈ.

    ઓકટોબરથી ફેબ્રુઆરી-માર્ચ સુધી બ્રિટનની ગાત્રો થીજાવતી ઠંડી અને અંધકારમય દિવસોથી કંટાળી જઇ આપણા મોટાભાગના બ્રિટીશ ભારતીયો લગભગ દર વર્ષે ભારતમાં પોતાના માદરે વતનને ખોળે જઇ આનંદની પળો માણતા હોય છે. છેલ્લા ૨૦-૨૫ વર્ષથી બ્રિટીશ ઇન્ડિયનની દર વર્ષે આ ભારત જવાની ઘટમાળને ગત વર્ષથી જીવલેણ કોરોનાએ બ્રેક મારી દીધી છે.