વિવિધા

No

Block: Site: Subtree Block

    મહાશિવરાત્રિઃ શિવઆરાધનાની જ

    હિન્દુ ધર્મ પરંપરાના મોટા ભાગના પર્વો-તહેવારો મહિનાના શુક્લ પક્ષમાં ઊજવાય છે, પણ મહા મહિનાના કૃષ્ણપક્ષમાં આવતી શિવરાત્રિનું આગવું મહત્ત્વ છે. કારણ? મહાશિવરાત્રિએ શિવજીની ચાર પ્રહરની પૂજા થાય છે અને એ દિવસે ઉપવાસ કરવાનું મહત્ત્વ છે. શા માટે?

    તાજેતરમાં એક અભ્યાસ કરવામાં આવ્યો જેમાં એવું તારણ નીકળ્યું છે કે આપણે વાસ્તવિક ચહેરા કરતા વધારે કૃત્રિમ બુદ્ધિ એટલે કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા ચહેરાને સાચા માની લઈએ છીએ. આ અભ્યાસમાં કેટલાક વાસ્તવિક વ્યક્તિના ચહેરાના ફોટો અને બીજા કેટલાક કોમ્પ્યુટરના પ્રોગ્રામનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવેલા ચહેરાના ફોટો એકસાથે મૂકવામાં આવેલા અને પછી અભ્યાસાર્થીઓને જણાવાયું હતું કે તેઓ વાસ્તવિક ચહેરા અને કૃત્રિમ બુદ્ધિના ઉપયોગથી તૈયાર થયેલા ચહેરાને અલગ ઓળખી બતાવે. આ અભ્યાસમાં અડધાથી વધારે લોકો વાસ્તવિક ચહેરા ઓળખવામાં થાપ ખાઈ ગયા હતા.

    અવિરત ચાલતો એક અભિનવ યજ્ઞ ગીતા...

    બ્રિટનમાં વર્ષોથી ગીતા ફાઉન્ડેશનના નામે એક અભિનવ યજ્ઞ ચાલુ છે. વ્યવસાયે શિક્ષક પણ આજન્મ સમાજસેવક પરમપૂજ્ય સ્વ. બાલમુકુંદ પરીખ એટલે કે પરીખ સાહેબ દ્વારા આ સંસ્થાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અત્યારે આ સંસ્થાનો કાર્યભાર શ્રી શરદભાઇ પરીખ અને પરિવારજન ઉઠાવીને સમાજ જાગરણનું કાર્ય કરી રહ્યા છે.

    હમણાં એક મિત્રે વ્યથાના ભાવ સાથે કહ્યું કે, ‘આપણને ગમે નહિ, પણ ક્યારેક ના પાડવી પડે છે ને પછી ના પાડ્યાનું દુઃખ પણ થાય છે.’ સ્વાભાવિક રીતે પૂછ્યું કે, ‘કેમ એવું તે શું થયું?’ તો એમણે આખી ઘટના વર્ણવી તે કંઇક આવી હતી.

    ડાકોરના ઠાકોરને સંગ રંગોત્સવ

    ફાગણી પૂનમ અર્થાત્ હોળી-ધુળેટીના પર્વ ટાણે ડાકોરમાં ભક્તોનો દેશ-વિદેશમાંથી લાખોનો મહેરામણ ઊમટે છે. ફાગણ સુદ અગિયારસથી (આ વર્ષે 14 માર્ચથી) અમદાવાદથી ડાકોર તરફ જતાં તમામ માર્ગો પદયાત્રિકોથી ઊભરાવા માંડે છે. ડાકોરના કાળિયા ઠાકોર સાથે રંગોત્સવ મનાવવા માટે ઉત્સાહી શ્રદ્ધાળુઓના પદસંચારથી ધરતી ધબકી ઊઠે છે. નજર નાખો ત્યાં ધજાપતાકા અને નિશાન સાથે ઢોલ, નગારાં, ત્રાંસા, બેન્ડવાજાં સાથે ગુલાલના ગુબ્બારા ઉડાવતી ભજનમંડળીઓ રમઝટ બોલાવે છે. પદયાત્રાનો પથ ને આકાશમાં ગુલાલની છોળો એક અવિસ્મરણીય દૃશ્ય નિર્માણ કરે છે.

    આંતરરાષ્ટ્રીય મહિલા દિનઃ નાર

    વર્ષ 1984માં એક ફિલ્મ આવી હતી, Where Others Keep Silent. આ ફિલ્મની વાર્તા એક એવી સ્ત્રીના જીવનની સત્યઘટનાઓને દર્શાવતી હતી, જેમના કારણે આજે વિશ્વભરમાં ગર્વભેર મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ ફિલ્મનું મુખ્ય પાત્ર એટલે ક્લેરા ઝેટકિન. જર્મનીમાં જન્મેલી અને ક્રાંતિકારી વિચારધારા ધરાવતી આ સ્ત્રીએ જિંદગી આખી મહિલાઓ, મજૂરો તેમજ રાજકીય ચળવળો લડી. પોતાના જીવની પરવા ના કરતા તેમણે વિશ્વભરમાં સ્ત્રીઓ માટેના સમાન વેતન તેમજ મતાધિકારો જેવા અનેક કાયદાઓ અમલમાં લાવવા માટે ક્રાંતિનો જુવાળ ફેલાવ્યો. ‘આ બધા જમેલામાં પડીને મારે શું?’ તેવું વિચારીને બેસી રહેનારામાંના તેઓ નહોતાં. ક્લેરા ઝેટકિન તો હંમેશા અન્યો માટે કંઇક કરી છૂટવાની ભાવના ધરાવતા લોકોમાંના એક હતાં.

    હમણાં પારિવારિક સ્વજન નીલેશ શાહ સાથે વાતો કરતો હતો, એમણે વાતવાતમાં કહ્યું કે ‘અમારા એક ડોક્ટર મિત્ર છે. અહીં વલસાડમાં, એક વાર તેમની સાથે પ્રાકૃતિક વાતાવરણમાં ટ્રેકિંગ કરતો હતો અને એમણે સુખના સરનામાની બહુ સરસ વાત કરી.’ નીલેશે જે વાત કહી એના સુધી જતાં પહેલાં સુખની અનુભૂતિ પણ અનુભવીએ (અહીં વાત કરીએ એવું મેં સમજીને નથી લખ્યું કારણ કે સુખ એ વાતોનો નહીં અનુભવનો પ્રદેશ છે.)

    જનનીની જોડ સખી નહિ જડે રે લોલ...

    બ્રિટનમાંથી શિયાળો ધીમે પગલે વિદાય થાય ત્યાં સર્વત્ર વસંતના આગમન સાથે વૃક્ષો-વેલીઓ પૂરબહારમાં ખીલી ઉઠે છે, ડેફાડિલનાં પીળાં પુષ્પો પણ જાણે માર્ચમાં આવનારા માતૃદિને સમગ્ર માતૃશક્તિને ઝૂકી ઝૂકીને વંદન કરતા હોય એવું લાગે. આ વર્ષે બ્રિટનમાં ૨૭ માર્ચ, રવિવારે મધર્સ ડે ઉજવાશે. જન્મદાતા મારી મા પરમ વંદનીય પૂજ્ય કાશીબાને ચરણે નતમસ્તકે અંજલિ આપું છું ત્યારે મને પહેલા ધોરણમાં શિક્ષિકાએ શીખવાડેલી કવિતા યાદ આવી. “બોલું હું તો અક્ષર પહેલો બા.. બા..બા, હસતાં બોલું રડતાં બોલું બા.. બા..બા, ખાતાં બોલું પીતાં બોલું બા..બા..બા.” મારી વાત્સલ્યની વિરડી, સમી માને દિવંગત થયાને ૧૫ વર્ષ વીતી ગયાં પણ હજુ હૈયે એનું મમત્વ, અપાર સ્નેહ હજુ તાજાં થાય છે ને આંખે અશ્રુધારા વહેવા લાગે છે.

    માતા સ્વર્ગથી પણ સુંદર છે......

    સમગ્ર બ્રિટન 27 માર્ચના રોજ માતૃદિન ઉજવશે. એક ચોક્કસ દિવસ માતૃશક્તિને સમર્પિત કરવાનો વિચાર મૂળે તો પશ્ચિમી દેશોનો. ભારતમાં તો પૌરાણિક કાળથી કહેવાતું રહ્યું છે માતૃદેવો ભવઃ પિતૃદેવો ભવઃ ભારતીય સંસ્કૃતિમાં માતા-પિતાને સદૈવ મુઠ્ઠીઉંચેરું સ્થાન અપાયું છે. આ પુણ્યભૂમિ પર એવા કેટલાંય સંત-મહાત્મા થઈ ગયા છે, જેમની માતૃભક્તિ અનન્ય છે. અહીં પ્રસ્તુત છે માતૃઋણનો આદર કરી માતાનો મહિમા વધારનાર માતૃભક્ત સંતોની માતૃવંદનાની વાતો.
    ભારતની ભૂમિ બહુરત્ના વસુંધરા છે. આ ભૂમિનાં સંતાનોએ દેશ-વિદેશોમાં ભારતીય સંસ્કૃતિને જીવંત રાખી છે. તેમાંયે સ્ત્રીશક્તિની મહાનતા તો અદભુત, અવર્ણનીય છે. સંસ્કૃતિમાં કહ્યું છે કે ‘જનની જન્મભૂમિ સ્વર્ગાદપિ ગરિયસી’ અર્થાત્ મા અને માતૃભૂમિ તો સ્વર્ગથી પણ મહાન છે.

    ચૈત્રી નવરાત્રીઃ આદ્ય શક્તિન

    હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં ઉજવાતા પર્વોમાં નવરાત્રીનું અનેરું મહત્ત્વ છે. આખા વર્ષમાં બે નવરાત્રી આવે છે. એક ચૈત્ર મહિનામાં અને બીજી આસો મહિનામાં. આસો નવરાત્રી ઉત્સવ તરીકે વધારે પ્રચલિત છે જ્યારે ચૈત્રી નવરાત્રી ઉપાસનાની દૃષ્ટિએ વધુ મહત્ત્વ ધરાવે છે. ચૈત્રી નવરાત્રી (આ વર્ષે 2થી 11 એપ્રિલ)થી ઉત્તર ભારતના હિમાચલ દેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્ય પ્રદેશમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ સિવાય પણ ભારતભરના લોકો આ નવરાત્રી પર્વે વિશેષ શક્તિ આરાધના કરે છે.