129 વર્ષના યોગગુરુ શિવાનંદ બાબાનું નિધન

કાશીનિવાસી યોગસાધક પદ્મશ્રી શિવાનંદ બાબાનું શનિવારે રાતે 8.30 વાગ્યે નિધન થયું છે. તેમણે 129 વર્ષની જૈફ વયે વારાણસીની બીએચયુ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા.

નેશનલ હેરાલ્ડ કેસઃ સોનિયા-રાહુલને નોટિસ

નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો થયો છે. દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટ દ્વારા શુક્રવારે બંનેને નોટિસ ફટકારાઇ છે. આ ઉપરાંત કોંગ્રેસનાં સેમ પિત્રોડા સહિત પાંચ લોકોને નોટિસ બજાવાઈ છે. હવે વકીલોની દલીલો સાંભળ્યા...

ઉત્તરપ્રદેશમાં જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય મત્રક્ષેત્ર વારાણસીની કુલ ૪૮ બેઠકોમાંથી ૮ બેઠકો પર જ ભાજપના ઉમેદવારો જીતી શક્યા છે. આ જ રીતે કોંગ્રેસના પરંપરાગત ગઢ અમેઠી-રાયબરેલીમાં જિલ્લા પંચાયત સ્તરની બાવીસ બેઠકમાંથી...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૯ ઓક્ટોબરે ત્રીજી ઇન્ડિયા-આફ્રિકા ફોરમ સમિટ (આઇએએફએસ)ને સંબોધતાં જણાવ્યું હતું કે, યુએનએસસીમાં સુધારા માટે ભારત, આફ્રિકાએ એક...

લંડનઃ વિશ્વભરમાં વસતાં ભારતીયોના લોકલાડીલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા ભારતીય સમુદાય જ નહીં, બ્રિટિશ પ્રજાજનો પણ થનગની રહ્યા છે. ૧૨થી ૧૪ નવેમ્બરના...

લંડનઃ વડા પ્રધાનની આ મુલાકાત તેમના રાજકીય ભાવિમાં નોંધપાત્ર અને નાટ્યાત્મક વળાંકની પ્રતિનિધિ છે. નરેન્દ્ર મોદી ૨૦૦૨માં ગુજરાતના મુખ્ય પ્રધાનપદે હતા ત્યારે ગોધરાકાંડ જેવી કોમી હિંસા રોકવામાં નિષ્ફળ ગયા હોવાના આક્ષેપો થતા રહ્યા છે. મોદીએ હંમેશાં...

લંડનઃ વડા પ્રધાન મોદી ૧૪ નવેમ્બરે લંડનમાં આંબેડકર ભવનનું પણ ઉદ્ઘાટન કરશે. નોર્થવેસ્ટ લંડનમાં કિંગ હેન્રી રોડ પરનો ૨૦૫૦ ચોરસ ફીટનો ત્રણ માળનો બંગલો મહારાષ્ટ્ર...

ઇન્ડોનેશિયાના બાલીમાં પકડાયેલા માફિયા ડોન છોટા રાજનને ભારત લાવવાની પ્રક્રિયાનો પ્રારંભ કરી દેવાયો છે. ઇન્ડોનેશિયાના ભારતીય રાજદૂત ગુરજીતસિંહે આ મામલે જણાવ્યું હતું કે, બંને દેશો વચ્ચે પ્રત્યાર્પણસંધિ અને કાયદાકીય સહકાર અંગે સમજૂતી થઇ ચૂકી છે. 

દાદરીના બિસાહડા ગામમાં ગૌમાંસ ખાવાની અફવા અંગે મોહમ્મદ અખલાકની હત્યા પછી આખા દેશમાં અંગે યુદ્ધ છેડાયું છે. આ દરમિયાન નેશનલ સેમ્પલ સર્વે ઓફિસે આંકડા જાહેર કર્યા છે, જે અનુસાર દેશમાં ૮ કરોડ લોકો બીફ ખાય છે. દેશની કુલ વસતીના હિસાબે જોઈએ તો દર ૧૩...

દિલ્હીમાં ૨૬મી ઓક્ટોબરે ભારત અને આફ્રિકા ખંડના ૫૪ દેશના વરિષ્ઠ અધિકારીઓની બેઠક સાથે ભારત-આફ્રિકા શિખર સંમેલનનો પ્રારંભ થયો હતો. સંમેલનમાં ૪૦ દેશોના પ્રમુખ સહિત ૫૪ દેશના પ્રતિનિધિ હિસ્સો લઈ રહ્યા છે.

પાકિસ્તાને ૨૪મી ઓક્ટોબરે સાંબ જિલ્લામાં ૧૪ ભારતીય ચોકીઓને નિશાન બનાવીને આખી રાત ગોળીબાર કર્યો હતો. તેમાં ત્રણ ચોકીઓ હીરાનગરનો પણ સમાવેશ થાય છે.

પૂર્વ વડા પ્રધાન સ્વ. ઈન્દિરા ગાંધીના નજીકના સહયોગી રહેલા એમ. એલ. ફોતેદારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની નેતૃત્વ ક્ષમતા પર જાહેરમાં પ્રશ્ન કર્યો છે અને કહ્યું છે કે થોડા સમયમાં જ પક્ષમાંથી રાહુલની લીડરશિપને પડકારવામાં આવશે.



to the free, weekly Gujarat Samachar email newsletter