અમેરિકામાં બોસ્ટન યુનિવર્સિટીમાં થયેલા એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે જો હૃદયની નસોમાં બ્લોકેજ હોય તો હવે બાયપાસ સર્જરી કરાવવાની કે સ્ટેન્ટ બેસાડવાની જરૂર નથી. આશરે ૫,૦૦૦ દર્દીઓ પર કરાયેલા સંશોધનના પરિણામો જણાવે છે કે માત્ર દવાઓ આપવાથી પણ બ્લોકેજ દૂર થાય છે અને દર્દીને હાર્ટ એટેકની શક્યતાઓ એકદમ ઓછી છે. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે હાર્ટની નસોમાં બ્લોકેજ હોય તો બાયપાસ સર્જરી જરૂરી છે અને એ શક્ય ન હોય તો સ્ટેન્ટ મૂકાવવું જરૂરી છે. જો આ સારવાર કરવામાં ન આવે તો દર્દીનું મૃત્યુ નિશ્ચિત છે.
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
નસકોરા બોલાવતા પાર્ટનર સાથે સૂવાથી ગમે તેવા મજબૂત સંબંધો પણ તણાવભર્યા બની જાય છે. હવે વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે પાર્ટનરના નસકોરાં તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને નુક્સાન પહોંચાડી શકે છે.
પથરી (સ્ટોન)નો દુખાવો અસહ્ય હોય છે, અને એ તો જેને થયો હોય તે જ જાણે. શરીરને આટલું દર્દ આપતી પથરી ખરેખર છે શું? અને તે શામાંથી બને છે તે વિશે આજે આપણે જાણીએ.
એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સવારનો નાસ્તો નહીં કરનારા અને રાત્રિ ભોજન મોડેથી કરનારાઓના સ્વાસ્થ્ય ઉપર જોખમ રહેલું છે. તબીબી વિજ્ઞાનીઓએ તાજા સંશોધનના આધારે તારણ કાઢ્યું છે કે જેઓ સવારે મોટા ભાગે નાસ્તો કરતા ન હોય અને રાત્રિભોજન સૂવાના બે કલાક કરતાં ઓછા સમયમાં કરતા હોય તેમને જો હાર્ટ એટેક આવે તો ભાગ્યે જ બચી શકે છે.
વિશ્વમાં વિવિધ સ્થળે કેડિંડા ઓરિસ નામની એક જીવલેણ ફૂગ (ફંગસ) ફેલાયાનું વૈજ્ઞાનિકોના ધ્યાનમાં આવ્યું છે. આ ફંગસ રક્ત પ્રવાહમાં ભળી જઇને શરીરમાં ખતરનાક ઇન્ફેશન પેદા કરે છે. આમ તો આ રહસ્યમય ફૂગ પ્રથમવાર ૨૦૦૯માં એક જાપાનીઝ દર્દીના શરીરમાંથી મળી આવી હતી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી વિશ્વમાં અનેક સ્થળે ફૂગપીડિત દર્દીઓ જોવા મળતા તબીબી જગતમાં હલચલ મચી ગઇ છે.
પથરી (સ્ટોન)નો દુખાવો અસહ્ય હોય છે, અને એ તો જેને થયો હોય તે જ જાણે. શરીરને આટલું દર્દ આપતી પથરી ખરેખર છે શું? અને તે શામાંથી બને છે તે વિશે આજે આપણે જાણીએ.
શિયાળાના કઠોર મહિનાઓમાં રહ્યુમેટાઈડ આર્થ્રાઈટિસ અને ક્રોહ્નસ ડિસીઝ જેવી ઓટોઈમ્યુન પરિસ્થિતિઓ વકરવાની વધુ શક્યતા રહે છે. NHSના જણાવ્યા અનુસાર આર્થ્રાઈટિસથી પીડાતા ઘણા લોકો કહે છે કે શિયાળામાં તેમના સાંધા વધુ પીડાદાયી બનવા સાથે જકડાઈ જાય છે. જોકે, હવામાનના કારણે સાંધામાં નુકસાન થાય છે કે તેમાં વધારો થાય છે તેમ સૂચવતા કોઈ સ્પષ્ટ પૂરાવા મળતા નથી.
છ વખત ફોર્મ્યુલા-વન વર્લ્ડ ચેમ્પિયન બની ચૂકેલા અમેરિકન કાર રેસર લુઇસ હેમિલ્ટનનું કહેવું છે કે, તે વેગન ડાયેટને અપનાવી ચૂક્યો છે. મતલબ કે સંપૂર્ણ રીતે શાકાહારી અને ઉગાડવામાં આવતા શાકભાજી પર આધારિત ડાયેટ. તે ડેરી પ્રોડક્ટ પણ સંપૂર્ણ છોડી ચૂક્યો છે. તેનું માનવું છે કે આ નવા પ્રકારની ડાયેટ ફોલો કર્યા બાદથી તેના પ્રદર્શનમાં પણ ઘણો સુધાર આવ્યો છે તથા તે અગાઉ કરતાં વધુ ફિટ હોવાનો અનુભવ કરી રહ્યો છે.
શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો...
અસ્થમા અથવા દમ ફેફસાં સંબંધિત સામાન્ય પરિસ્થિતિ છે જેનાથી શ્વાસ લેવામાં મુશ્કેલી થાય, ઉધરસ તેમજ છાતીમાં ભારેપણાનો અનુભવ થાય છે. ધૂમ્રપાનની આદતથી આ પરિસ્થિતિ વધુ વણસે છે કારણકે ધૂમાડાથી શ્વસન માર્ગોમાં જલન થવાથી તેમાં સોજા આવે છે, માર્ગ સાંકડો બને છે અને તેમાં શ્લેષ્મ (લીંટ -કફ) ભરાઈ જાય છે.
