વર્ક પ્લેસ એટલે કે ઓફિસોમાં ઘણી વાર કાર્યબોજના લીધે ધીમે ધીમે, પણ ચિંતાનું પ્રમાણ ખૂબ વધી જતું હોય છે, અને કંઇ સમજાય તે પહેલાં તો ચિંતાનું પ્રમાણ ખૂબ જ વધી જતાં વ્યક્તિનું મગજ કામ કરતું લગભગ બંધ થઇ જાય છે. જોકે, હવે એક એવી રિસ્ટ વોચ વિકસાવાઇ છે, જે વ્યક્તિને ચિંતાનું પ્રમાણ વધવા લાગતાં જ એલર્ટ કરી દેશે. એટલું જ નહીં, વ્યક્તિને સલાહ પણ આપશે કે ઊંડા શ્વાસ લો, થોડુંક વોક કરો વગેરે વગેરે.
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીના એક સ્ટડીના ડેટાના આધારે વિજ્ઞાનીઓએ જાણકારી આપી છે કે જે લોકો અઠવાડિયામાં કમસે કમ અઢી કલાક એટલે કે 150 મિનિટ કસરત કરે છે તેમનું માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે અને તેમને સ્મૃતિભ્રંશ એટલે કે ભૂલી જવાની બીમારી થતી નથી.
ખુશમિજાજ અને આનંદી વ્યક્તિત્વ ધરાવતા વડીલોના મોઢે આપણે ઘણી વખત સાંભળતા હોઇએ છીએ કે, ઉંમર ભલે થઈ ગઈ પણ દિલ તો હજી જવાન છે. સાચું કહું તો આ જ જીવનની ખરી મજા છે.
વર્ક પ્લેસ એટલે કે ઓફિસોમાં ઘણી વાર કાર્યબોજના લીધે ધીમે ધીમે, પણ ચિંતાનું પ્રમાણ ખૂબ વધી જતું હોય છે, અને કંઇ સમજાય તે પહેલાં તો ચિંતાનું પ્રમાણ ખૂબ જ વધી જતાં વ્યક્તિનું મગજ કામ કરતું લગભગ બંધ થઇ જાય છે.
આયુષ્યની અડધી સદી મતલબ કે ૫૦ વર્ષ વટાવ્યાં પછી વ્યક્તિમાં રોગપ્રતિકારક શક્તિ ઘટવા લાગે છે. જેના કારણે ધીરે ધીરે શરીર બીમારીઓનું ઘર બનતું જાય છે. ઘડપણમાં જીવનશૈલીમાં થોડું પરિવર્તન લાવીને કસરતની સાથે ડાયેટમાં પણ થોડોક બદલાવ લાવવામાં આવે તો મોટા ભાગની બીમારીઓની બચી શકાય છે. તેમાં પણ જો આયુર્વેદિક ઉપચાર અનુસરવામાં આવે તો શરીરને ઘણા ફાયદા થાય છે.
કોરોના મહામારી દરમિયાન બાળકોમાં સોશિયલ મીડિયા અને સ્ક્રીન પર સમય વિતાવવાનું ચલણ ઘણું વધી ગયું છે.
સમગ્ર યુકેમાં ‘સુપર કોલ્ડ’ અથવા સુપર ફ્લુ વાઈરસનો વાયરો ફેલાયો છે અને લાકો બ્રિટિશરો તેના ચેપનો શિકાર બની રહ્યા છે. કોવિડ મહામારી પછી લોકો હવે વાઈરસ સાથે સામાન્ય જીવવાનું શીખી રહ્યા છે અને દેશ ખુલી ગયો છે ત્યારે લોકોનો રુબરુ સંપર્ક વધવાથી અન્ય બીમારીઓએ પણ માથું ઉચક્યું છે. ‘સુપર કોલ્ડ’ સહિત વિવિધ બીમારીના કેસીસની સંખ્યા વધી રહી છે.
આજના આધુનિક યુગમાં મોટા ભાગના લોકો હૃદયના ધબકારા, નાડી કે શરીરની અન્ય બાબતો પર ધ્યાન રાખવા માટે સ્માર્ટવોચનો ઉપયોગ કરતા રહ્યા છે, પરંતુ હવે સમય બદલાય તો નવાઇ નહીં. વિજ્ઞાનીઓને હવે એવું વસ્ત્ર તૈયાર કરવામાં સફળતા મળી છે કે જેની મદદથી તમે સરળતાથી હૃદયના ધબકારા અને શ્વાસની ગતિવિધિ પર નજર રાખી શકો છો.
લંડનની ઈમ્પિરિયલ કોલેજ દ્વારા પાંચ લાખથી વધુ લોકો પર કરાયેલા રિસર્ચમાં જોવા મળ્યું કે, કોરોના સંક્રમણથી ગંભીર રીતે પીડિત લોકોમાં ચાર પ્રકારની સમસ્યાઓ હજુ પણ જોવા મળી રહી છે. આ તકલીફોમાં શ્વાસ લેવામાં મુશ્કેલી, થાક અને નબળાઈ, માથાનો દુ:ખાવો અને ગભરામણ, ધબકારા તેજ થવા, શરીરમાં સોયની જેમ ખૂંચવું, એકાગ્રતા અને યાદશક્તિ સંબંધિત સમસ્યા વગેરેનો સમાવેશ થાય છે.
આપણી કમર સમગ્ર શરીરનો સેન્ટર પોઈન્ટ છે. આપણી કરોડરજ્જુને શરીરના વજન સાથે ગતિશીલ રહેવાની સાથે જ વિવિધ દિશામાં વાંકા વળવું પડે છે અને સ્થિતિસ્થાપક થવું પડે છે. કોર મશલ્સ કરોડરજ્જુને મજબૂતી પૂરી પાડે છે. જેમાં પેટની સાથે જ પીઠમાં જોવા મળતી માંસપેશીઓ, હિપ્સ, ક્વાડ્રિસેપ્સ અને હેમસ્ટ્રિંગ ભેગા મળીને તેને મજબૂત બનાવે છે.
