જયારે કારકિર્દી પૂરી થાય ત્યારે શું બચે છે?

મોટાભાગના લોકો આખી જિંદગી કારકિર્દી - કરીઅર માટે દોડ્યા કરે છે. ભલે તે નોકરી હોય કે ધંધો હોય. સારી આવક થતી હોય. આર્થિક સ્થિતિ સારી હોય. મોભાદાર સ્થાન સમાજમાં મળી રહે અને પોતાની તથા પરિવારની જરૂરિયાત જ નહિ, પરંતુ બધી ઈચ્છાઓ પણ પૂરી થઇ શકે એટલા...

આનંદ એ જ પરમાનંદ

જીવનમાં આનંદ હોવો જરૂરી છે. તેનું મહત્ત્વ આપણા શાસ્ત્રોમાં પૌરાણિકકાળથી સ્થાપિત થયું છે. એટલા માટે જ તો કેટલાય સંતો પોતાના નામ પાછળ જ આનંદ લગાડે છે, જેમ કે: ચિન્મયાનંદ, દયાનંદ, મુક્તાનંદ, સહજાનંદ વગેરે. અમેરિકન બંધારણમાં પર્સ્યુટ ઓફ હેપિનેસને...

આ સપ્તાહ દરમિયાન દિવાળી અને નવા વર્ષના પર્વ આવ્યા. નવું વર્ષ શરૂ થાય એટલે આપણે કૈંક નવું કરવાનું પ્રણ લઈએ. કોઈક નવા સંકલ્પો કરીએ અને આવનારા વર્ષમાં વધારે...

પર્યાવરણની સુરક્ષા માટે કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ ૨૬ ગ્લાસગોમાં યોજાઈ રહી છે. વિશ્વના ઘણા દેશના નેતાઓ આ કોન્ફરન્સમાં પર્યાવરણની સુરક્ષા માટે વાટાઘાટો કરશે. ચિંતાનો વિષય છે કે પૃથ્વીનું પર્યાવરણ જો આ રીતે જ પ્રદૂષિત થતું રહેશે અને તાપમાન વધતું રહેશે...

અમિત અને સંગીતાના લગ્નને આઠેક વર્ષ થયા હતા. બંનેની જોડી સારી હતી પરંતુ સ્વભાવ તદ્દન અલગ. અમિત ઉતાવળીયો અને સંગીતા શાંત. મનમાં જે આવે તે બોલી દે, ઈચ્છા થાય તે પગલું ભરી લે અને જે વિચાર આવે તેનો તરત જ અમલ કરી દે. સંગીતા દરેક વિચારને વલોવે, ઈચ્છા...

પ્રતિષ્ઠા, સમ્માન અને યશ સફળ વ્યક્તિની આખરી નબળાઈ બની શકે છે. દરેક સફળ વ્યક્તિને જીવનમાં કીર્તિ હાંસલ કરવાની મહેચ્છા હોય છે. જીવનમાં શારીરિક, આર્થિક અને સામાજિક રીતે સારા દરજ્જે પહોંચી ગયા હોય ત્યાર પછીની છેલ્લી ઈચ્છા વ્યક્તિના મનમાં પ્રતિષ્ઠા...

યુકેમાં ગુજરાતથી આવેલા અને વસેલા લોકોની સંખ્યા ખુબ મોટી છે અને તે પૈકી કેટલાય લોકો અને તેમના બાળકો આજે પણ મુખ્ય ભાષા તરીકે ગુજરાતી બોલે છે. જે પેઢી ગુજરાતથી આવેલી તેમને ગુજરાતી વાંચતા લખતા પણ સારી રીતે આવડે છે. જે લોકો આફ્રિકા અને ત્યાંથી આવ્યા...

આમ તો આપણી ભારતીય સંસ્કૃતિમાં આખું વર્ષ જ તહેવારોથી છલોછલ ભરેલું હોય છે પરંતુ શ્રાવણ મહિનો બેસતાં જ મુખ્ય તહેવારોની શરૂઆત થઇ જાય છે. આ વર્ષના તહેવારોની પણ શુભ શરૂઆત થઇ ગઈ છે. હમણાં જ રક્ષાબંધન ગયું. જન્માષ્ટમી ગઈ. જૈનોના પર્યુષણ પુરા થયા. હવે...

તમારા નામ અને કામને લઈને કોઈ તમને ઓળખે તેવું બને છે? ક્યારેક આપણે કોઈક સ્થળે જઈએ અને ત્યાંના લોકો આપણને પહેલાથી જ ઓળખાતા હોય તેવું બનતું હોય છે. તમે કોઈ અજાણી વ્યક્તિને પોતાનો પરિચય આપો અને તે બોલે કે, ‘ઓહો, તમારા વિશે તો ઘણું સાંભળ્યું છે.’ 

એમેઝોન પ્રાઈમ પર એક નવી ફિલ્મ આવી છે - ‘શેરશાહ’. પરમવીર ચક્ર વિજેતા સ્વ. કેપ્ટન વિક્રમ બત્રાએ ૧૯૯૯ના કારગિલ યુદ્ધ વખતે જે બહાદુરી બતાવી તેની સત્યકથા પરથી બનેલી આ ફિલ્મ એક વાર જોવા જેવી છે. ૧૩૬ મિનિટની લાંબી ફિલ્મ થોડી સ્લો ચાલે છે અને એટલે બીજી...

થોડા સમયથી પેન્ડેમિક અને કોવિડને લઈને ચિંતા ઓછી થઇ છે. લાગે છે કે વાઇરસનું સંક્રમણ ઘટ્યું છે અને તેનું જોર પણ ઓછું થયું છે. દુશ્મન નબળો થાય તેના માટે બે...