સમજણ વિના રે

નરસિંહના પ્રભાતિયાં, મીરાંના પદ તેમ અખાના છપ્પા. અખો જ્ઞાનમાર્ગી કવિ છે. ભક્તિભાવના પ્રભાવ હેઠળ ઘણું લખાયું, અખાનો વિરોધ ભક્તિ કે ધર્મ સામે નથી; પણ વિરોધ ધર્મ ઢોંગીઓ સામે છે. એની વાણીમાં સવીર્યતા અને તેજાબ છે. એ તો એવી ભક્તિના પંખીને સ્વીકારે...

વડોદરા ડાઈનેમાઈટ કેસ, ફર્નાન્ડિઝ અને બે ગુજરાતી પત્રકારો

કિરીટ ભટ્ટ અને વિક્રમ રાવ. ગુજરાતમાં અખબારી દુનિયામાં આ નામોથી કોઈ ભાગ્યે જ અજાણ હશે. બંને અંગ્રેજી પત્રકારત્વમાં વર્ષોથી પોતાની કલમનો અંદાજ આપતા. બે માતબર દૈનિક પત્રોમાં વરિષ્ઠ પદ પર હતા. પત્રકારત્વના તમામ મોરચે તેઓ નિષ્ણાત રહ્યા. કિરીટ ભટ્ટ...

પોરબંદરમાંથી મહાત્મા ગાંધી પછી ચાર વર્ષે નીકળીને વસનજી દેવશી સાઉથ આફ્રિકાના ડર્બનમાં વસ્યા. ગાંધીજી પણ ડર્બનમાં રહેતા હતા. વસનજીએ ‘વી. દેવશી ઘીવાલા’ કંપની...

સુહાના મોસમ મધ્યે સોમવારે પહેલી જુલાઈએ ‘કેનેડા ડે’ ઉજવાયો. ભારતમાં ૧૫ ઓગસ્ટની ઉજવણી કરતા તદ્દન અલગ ચોતરફ આતશબાજી, બાર્બેક્યુઝ, એર શો અને નિઃશુલ્ક સંગીતોત્સવ સાથેની મોજમસ્તીમાં સામેલ થવાનો અમારો પ્રથમ અનુભવ હતો. આ દેશના ઈતિહાસનો વિચાર કરતા જ...

લાખો ભારતીયો યુકેમાં આવીને વસ્યા, સ્થાયી થયા અને સમૃદ્ધ પણ થયા. મોટાભાગના લોકો અહીં પૂર્વ આફ્રિકાના દેશોમાંથી સ્થળાંતરિત થઈને પાંચેક દાયકા પહેલા આવેલા....

ગત થોડાં સપ્તાહોમાં અનુભવોનું ભાથું બંધાયું છે. અહીં અમારાં લગભગ અસ્તિત્વહીન સામાજિક વર્તુળનો વિસ્તાર થઈ રહ્યો છે. આપણા તંત્રી-પ્રકાશક સીબી પટેલે મારો અને મારા પતિનો પરિચય સ્નેહપૂર્ણ સુરેશભાઈ પટેલ અને તેમના પત્ની ભાવનાબહેન સાથે કરાવ્યો હતો. થોડા...

નેહરુ સેન્ટરના ડાયરેકટર અને મિનિસ્ટર (કલ્ચર)ની પોસ્ટ પર ઈ.સ. ૨૦૦૦-૨૦૦૩ દરમિયાન લંડનમાં રહ્યા તે પહેલા ગિરીશ કર્નાડનો સેતુ ઇંગ્લેન્ડ સાથે ઓક્સફર્ડ યુનિવર્સિટીના...

કહેવત વપરાય છે ‘ઘરડો વૈદ્ય અને યુવાન ડોક્ટર અને બંને સારા’. માન્યતા એવી કે આયુર્વેદમાં નવાં સંશોધનો ન થતાં હોવાથી વધુ અનુભવ ધરાવનાર વૈદ વધુ ઉપયોગી પણ મેડિકલ...

અહીંનું વાતાવરણ એક સ્વપ્નની માફક જ મને દુવિધામાં મૂકતું રહ્યું છે પરંતુ, મને તેની પ્રત્યેક ક્ષણ ગમતી જાય છે. તાજેતરમાં મેં મારાં પતિ સાથે ટોરન્ટોના BAPS સ્વામીનારાયણ...

દક્ષિણ આફ્રિકામાં રંગભેદ સામેના પ્રથમ ગુજરાતી લડવૈયા તે મહાત્મા ગાંધી. મહાત્મા ગાંધીના જીવન સુધી રંગભેદ ચાલુ જ હતો. મહાત્મા ગાંધીના મરણ પછી નેલ્સન મંડેલા...

સૌ પ્રથમ તો ૧૬ જૂનને રવિવારે પિતૃ દિન – ફાધર્સ ડેના પર્વ નિમિત્તે ‘ગુજરાત સમાચાર’ તથા ‘એશિયન વોઈસ’ના સર્વે વાચકો તથા સ્ટાફના પરિવારજનોને અંતઃકરણની શુભેચ્છા. પિતૃદિનની ઉજવણી ફક્ત એક જ દિવસ માટે મર્યાદિત ન રાખતા ૨૪x૭ અને ૩૬૫ દિવસ પિતા (માતા-પિતા) સાથે...

ગુજરાતમાં અંગ્રેજ શાસન સામે અસંતોષનો ચરુ ઊકળતો હતો. ગાયકવાડ જેવા ગાયકવાડ પણ પાણીમાં બેસી ગયા હતા. પ્રજાવિદ્રોહના ભણકારાથી જાગેલી ગોરી હકુમતે અંગ્રેજ પલટણ ગુજરાતમાં ઉતારી. તેના ઘોડા લીલાછમ પાકમાં ચરવા છૂટા મૂકે. આવે વખતે કોઈની વિરોધની હિંમત નહીં....



to the free, weekly Gujarat Samachar email newsletter