સમૂહ લગ્નપ્રસંગે ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર ભેગા થઇ ગયા

વિસનગરમાં રવિવારે મહેસાણા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર હરિભાઇ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર રામજીભાઇ ઠાકોર ક્ષત્રિય ઠાકોર સમાજના સમૂહ લગ્નોત્સવમાં ભેગા થઈ ગયા હતા. 

વડાલી ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ક્ષત્રિય સમાજનો હોબાળો

ભાજપના વરિષ્ઠ નેતા અને રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણી હજુ પણ ભાજપ માટે માથાનો દુ:ખાવો બની ગઈ છે. ક્ષત્રિયોએ જયાં સુધી લોકસભાની ચૂંટણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી ગામેગામ ભાજપનો વિરોધ કરવાની હાકલ કરી છે. 

શ્રીનગરમાં બીએસએફ કેમ્પ પર તાજેતરમાં થયેલા આતંકી હુમલામાં જવાન જીતુભાઇ માધવલાલ રાવલને ગોળી વાગતાં તેઓ શહીદ થયા હતા. જીતુભાઇનો મૃતદેહ વિમાન માર્ગે શ્રીનગરથી અમદાવાદ અને ત્યાંથી ૧૨મી ઓક્ટોબરે વહેલી સવારે વતન મઢાસણ લાવવામાં આવ્યો હતો. મહેસાણા જિલ્લામાં...

નગરપાલિકામાં છેલ્લી બે ટર્મથી કાઉન્સિલર તરીકે ચૂંટાતાં અને સિનેમા રોડ ગઢિયાર કૂવા વિસ્તારના રહીશ અળખુબહેન રાઠોડે (ઉ.વ. ૫૭) ૧૨મીએ સવારના સમયે ઘેર એકલા હતા ત્યારે સાડા અગિયારેક વાગ્યાના સુમારે શરીરે કેરોસીન છાંટીને અગ્નિસ્નાન કરતાં આજુબાજુમાંથી...

રતનપુરા સ્વામીનારાયણ મંદિરના પટાંગણમાં યોજાયેલા જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળાના કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં પોતાનું નામ નહીં હોવાના મુદ્દે ઉશ્કેરાયેલા ધારાસભ્ય જયંત બોસ્કીએ અધિકારીઓને ગંદી ગાળો બોલીને એક વ્યક્તિને લાફા મારી દીધા હતા. આ પ્રકરણમાં...

POKમાં ભારતની સર્જિકલ સ્ટ્રાઈક અને ૩૮ આતંકીઓને માર્યા પછી ગુજરાતની સરહદ પર ચિંતાના વાદળો ઘેરાતાં કચ્છ, પાટણ અને બનાસકાંઠાની બોર્ડર પર સલામતીનો બંદોબસ્ત...

પાલનપુર શહેરના પૂર્વના પોલીસ મથકમાં સાતમી સપ્ટેમ્બરે દારૂ પીધેલા મનુભાઈ પંચાલ (ઉ.વ. ૪૦)ને પોલીસે લોકઅપમાં પૂર્યો હતો. જેને વહેલી સવારે છાતીમાં દુઃખાવો ઉપડતાં પોલીસે તેને બહાર કાઢ્યો અને પાલનપુર સિવિલમાં લઈ ગયા હતા. જોકે તબીબોએ તેને મૃત જાહેર...

અંબાજીમાં ૧૦મી સપ્ટેમ્બરથી શરૂ થયેલા ભાદરવી પૂનમના ધાર્મિક માહોલ વચ્ચે ભાવિકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી...

બેચરાજી તાલુકામાં આવેલા મોઢેરા ગામના જગવિખ્યાત સૂર્યમંદિરે દર શ્રાવણ માસ દરમિયાન ભવ્ય લોકમેળો ભરાય છે. આ શ્રાવણ વદ અમાસે પણ યોજાયેલો લોકમેળો પણ રંગેચંગે સંપન્ન થયો હતો. આશરે દસ હજાર હજારની સંખ્યામાં મોઢેરા આજુબાજુના ગામના લોકોએ અમાસે સૂર્યમંદિરની...

તાલુકાના ગેળા ધામે ભાવિકો દર શનિવારે હનુમાન દાદાના દર્શને ઉમટી પડે છે. લોક વાયકા મુજબ વર્ષો અગાઉ તપસ્વી સાધુએ શ્રીફળનો ઢગલો કરવાનો દાદાને મીઠો ઠપકો આપ્યો...

દેશભરમાં ઘરે-ઘરે શૌચાલય બનાવવાનું અભિયાન ચાલે છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરની નજીક આવેલા છાબલિયા ગામના લોકોએ જાતે બીડું ઉપાડીને ૯૫ ટકા ઘરમાં શૈચાલયનું નિર્માણ કર્યું છે. છાબલિયાના ગાંધીનું બિરુદ્દ પામેલા બાબુભાઈ શાહે ગામની કાયાપલટ...

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલા પલીયડ ગામમાં બે દિવસ અગાઉ ગળે ફાંસો ખાધેલી હાલતમાં આધેડ જયંતીભાઈ રાવલનો તેમના ખેતરની ઓરડીમાંથી મૃતદેહ મળ્યો હતો. પરિવારજનોએ દફનવિધિ પણ પૂરી કરી હતી. બે દિવસ બાદ ૨૧મી ઓગસ્ટે મૃતકના પુત્ર જીગરને શંકા ઉપજી...



to the free, weekly Gujarat Samachar email newsletter