ટ્રાફિક પોલીસને માથે ઠંડા ઠંડા કુલ કુલ હેલ્મેટ

વડોદરા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાનું સંચાલન કરતા પોલીસ જવાનોને ઉનાળાની ગરમીમાં રાહત મળી રહે તે માટે એસી હેલ્મેટ આપવામાં આવી છે. 

બુલેટ ટ્રેન માટે આણંદ સ્ટેશને કોન્કોર્સ અને ટ્રેક સ્લેબનું કામ પૂરું

 બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ગુજરાતમાં રોકેટ ગતિએ ચાલી રહ્યું છે. સમગ્ર યોજનાના ભાગરૂપે ‘મિલ્ક સિટી’ આણંદની આગવી ઓળખને જાળવી રાખવા અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે આણંદ સ્ટેશનનો બહારનો દેખાવ તેમજ અંદરની ઇન્ટિરિયર ડિઝાઈન દૂધના ટીપાંના...

હરણીરોડ પર પોતાના ઘરે આવેલા એનઆરઆઈ વૃદ્ધનું બંધ ઘરમાં હાર્ટએટેકના કારણે મોત થયું હતું. આ બનાવની હરણી પોલીસને જાણ કરાતાં પોલીસે દરવાજો તોડી તપાસ કરી હતી. એનઆરઆઈ વૃદ્ધે ૨૫ તોલાથી વધુ સોનાના દાગીના પહેર્યાં હોઈ પોલીસે મૃતદેહને ઘરમાં દિવસભર સાચવ્યો...

ચારુતર વિદ્યામંડળના પૂર્વ ચેરમેન અને ખેડૂતપુત્ર ડો. સી. એલ. પટેલનું રવિવારે વહેલી સવારે નિધન થયું હતું. તેઓ લાંબા સમયથી પથારીવશ હતા અને સારવાર ચાલતી હતી....

 સરદાર પટેલના નિવાસસ્થાને તેમની તસવીરની સામે મુકાયેલી અખંડજ્યોત ૧૯મી મેએ પુન: પ્રજવલિત કરાઇ હતી. આ ઉપરાંત નિવાસસ્થાને મૂકેલી દાનપેટી હટાવી દેવાઈ હતી. ઉલ્લેખનીય...

એશિયામાં પ્રથમ ક્રમાંકનું નેરોગેજ રેલવે સ્ટેશન અને તેના પર દોડતી એક માત્ર ડભોઈ-ચાંદોદ ટ્રેન ૨૫મી મેથી ભૂતકાળ બની જશે. નેરોગેજનું બ્રોડગેજમાં રૂપાંતર કરવાની...

ભાદરણનાં વતની અલ્પાબેન પટેલે બીએ સુધી અભ્યાસ કર્યો છે. તેમણે ૨૦૦૦માં નવગુજરાત સ્ત્રી અધિકાર સંઘ નામની સંસ્થા શરૂ કરી હતી. તેઓ મહિલાઓના સશક્તિકરણ માટે કામ કરે છે. અલ્પાબેન કહે છે કે મારા પતિ સમીરનો આ કામમાં મને સાથ મળ્યો અને અમે સમાજના તરછોડાયેલા,...

ન્યૂ જર્સીમાં રહેતી વસોની યુવતી સાથે લગ્ન કરનારા ભાદરણના યુવક તેમજ તેના ભાઈ અને માતાએ લગ્ન સમયે આપેલું પાંચ કરોડનું કરિયાવર સગેવગે કરી દેતાં યુવતીએ ભાદરણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

ચોકસી બજારમાં આવેલી નારાયણ જવેલર્સ પેઢી તથા ફાયનાન્સ કંપનીએ તાજેતરમાં ઊઠમણું કરતાં એક્સિસ બેંક સહિત અનેકોના નાણા ડૂબી ગયાં છે. નારાયણ જ્વેલર્સ દ્વારા આણંદ...

વર્ષ ૨૦૦૨માં ગોધરાકાંડના પગલે રાજ્યમાં ફાટી નીકળેલા કોમી રમખાણોમાં પહેલી માર્ચ, ૨૦૦૨ના દિવસે ઓડ ગામમાં ૨૩ વ્યક્તિની જીવતા સળગાવીને હત્યા કરાઈ હતી. આ કેસમાં...

સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી યુકેની ખાસ સાધારણ સભાનું લંડનના વેમ્બલી સ્થિત સત્તાવીસ પાટીદાર સેન્ટર ખાતે તા.૧૩.૫.૧૮ને રવિવારે આયોજન કરાયું હતું. સભામાં ઉમેદવારી અને ચૂંટણી બાદ ચૂંટણી અધિકારી કાંતિભાઈ નાગડાએ એક્ઝિક્યુટિવ કમિટીના નવા ચૂંટાયેલા સભ્યોના...

ગુજરાતમાં ઘણાં વર્ષો પછી ચરોતર પ્રદેશસ્થિત ચાંગામાં આવેલી ચારૂસેટના કુલપતિ પદે ડો. પંકજ જોશીની નિમણૂક થઈ છે. ચારુસેટમાં ૬૦૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને ૬૪ વિવિધ શાખાઓમાં સ્નાતકથી લઈ ડોક્ટરેટ સુધીનો અભ્યાસક્રમ ચાલે છે. સંસ્થામાં ૪૫૦ જેટલા...



to the free, weekly Gujarat Samachar email newsletter