વડોદરામાં 11મો સમૂહ લગ્નોત્સવ

વડોદરાના સાવલીમાં ધારાસભ્ય કેતનભાઇ ઇનામદાર દ્વારા યોજાયેલા 11મા ભવ્ય સમૂહ લગ્નોત્સવમાં આર્થિક નબળા વર્ગના 751 દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. 

મનહરભાઇ એસ. પટેલ અક્ષરનિવાસી થયા

નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે. 

જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને વડોદરા શુગર ફેક્ટરીના સ્થાપક જગદીશ પટેલના જીવનના ૭૫ વર્ષ પૂરા થતાં ૧૫ એપ્રિલના રોજ છાણીના સપ્તપદી લોન ખાતે સ્નેહ મિલન...

એકલબારા દરગાહ ટ્રસ્ટ દ્વારા કરજણના પીંગલવાડા ગામે નવનિર્મિત ગૌશાળાનું છઠ્ઠીએ મોરારિબાપુના હસ્તે ઉદ્ઘાટન થયું હતું. આ પ્રસંગે મોરારિબાપુએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે, મૌલાનાએ જે કુરાન શરીફની આયાતો પઢી અને ત્યારબાદ આદિવાસી સમાજના ભાઈઓએ જે ભજન...

લુણાવાડા નજીક એક પ્રાથમિક શિક્ષકે વાઘને જોઈને તેનો વીડિયો ઉતાર્યો હતો. જેથી રાજ્યના વન વિભાગે નાઈટવિઝન કેમેરા ગોઠવ્યા હતા. આખરે નાઈટવિઝન કેમેરામાં દેખાતાં ગુજરાતના જંગલોમાં વાઘનું આગમન થયું છે તે વાત ખરી ઠરી હતી.

સાઉથ આફ્રિકાના જહોનિસબર્ગમાં આવેલા એક સ્ટોરમાં અશ્વેતોએ લૂંટના ઈરાદે છઠ્ઠી જાન્યુઆરીએ આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના ઓડ ગામના ૨૬ વર્ષીય યુવક રવિકુમાર પટેલ...

ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળની સ્થાપનાના રજતજયંતી વર્ષ નિમિત્તે ચાંગા સ્થિત ચારુસેટ યુનિવર્સિટીમાં આવેલી દેવાંગ પટેલ ઈન્સ્ટિટ્યુટ ઓફ એડવાન્સ...

મહારાજા સયાજીરાવ યુનિ.ની ટેકનો. ફેકલ્ટીના સેમિનારમાં ઈન્ટરનેટ અને કમ્યુનિકેશનના ક્ષેત્રે ક્રાંતિના સર્જક ફાઈબર ઓપ્ટિકના સહસંશોધક અને અમેરિકાના વૈજ્ઞાનિક પીટર શૂલ્ઝે વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે ૧૯૬૬માં મેં અને મારી ટીમના...

પુલવામામાં પાકિસ્તાની શેહથી કરાયેલા આતંકી હુમલામાં ૪૪ ભારતીય જવાનો શહીદ થયાની ઘટનાથી આખા દેશમાં આક્રોશ છે. આ સંજોગોમાં પાન મસાલા અને ગુટખાનું ઉત્પાદન કરતી ભારતીય કંપની ‘વિમલ પાન મસાલા’ દ્વારા પાકિસ્તાનની ક્રિકેટ ટીમને સ્પોન્સરશિપ અપાતાં ‘વિમલ...

પહેલી ફેબ્રુઆરીએ આણંદ એનઆરજી સેન્ટરમાં ‘ગુજરાત સ્ટેટ નોન રેસિડેન્ટ ગુજરાતી ફાઉન્ડેશન’ દ્વારા એનઆરજી-એનઆરઆઇ મીટ યોજાઈ હતી. આ સંમેલનના ઇન્ચાર્જ તથા ફાઉન્ડેશનના...

કરમસદમાં શ્રીકૃષ્ણ હોસ્પિટલ - વેમેડ ક્રિટિકલ કેર સેન્ટરનું શાંતા ફાઉન્ડેશન લંડનસ્થિત ટ્રસ્ટીઓ વિજયભાઈ પટેલ અને ભીખુભાઈ પટેલના હસ્તે ૨૪ જાન્યુઆરીએ વિધિવત...



to the free, weekly Gujarat Samachar email newsletter