વડતાલધામમાં શ્રાવણ માસ પર્વે શ્રી હરિકૃષ્ણ મહારાજને 37.50 લાખ તુલસીપત્ર અર્પણ

 શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામમાં શ્રાવણમાં યોજાયેલ ત્રીસ દિવસીય ભક્તિ પર્વની શનિવારે અમાસના રોજ પૂર્ણાહૂતી થઇ હતી. આ શ્રાવણી ભક્તિ પર્વ અંતર્ગત 30 દિવસ પર્યન્ત વડતાલમાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં રોજના સવા લાખ...

આણંદના અક્ષર ફાર્મમાં મહંતસ્વામીની નિશ્રામાં સ્વતંત્રતા પર્વ - જન્માષ્ટમીની ઉજવણી

આણંદના બીએપીએસ અક્ષરફાર્મમાં બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના સાંનિધ્યમાં રાષ્ટ્રભક્તિ સાથે 79મા સ્વતંત્રતતા દિન તેમજ જન્માષ્ટમીની ભારે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઇ હતી. આ નિમિત્તે ‘પ્રમુખસ્વામી મહારાજ સ્મૃતિ’ સભાનું પણ આયોજન થયું હતું.

કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીએ ખેડા જીલ્લાના મઘરોલ ગામને દત્તક લીધું હતું. મઘરોલમાં વિવિધ વિકાસના કામો માટે સંસદ સભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ કાર્યક્રમ હેઠળ...

કચ્છના માધાપર, બળદિયા અને કેરા સહિત લેવા પટેલ ચોવીસીના ગામોના બેંકિંગ સેક્ટરમાં કેન્યા દેશે પોતાના ટેક્સ રેસિડેન્ટ નાગરિકો માટે જાહેર કરેલી કરમાફી યોજનાનાં કારણે અબજોની થાપણો તબદીલ થવાની ભીતિથી ખળભળાટ મચ્યો છે. જોકે હજી કેટલી રકમ તબદીલ થશે તે...

હરણીરોડ પર પોતાના ઘરે આવેલા એનઆરઆઈ વૃદ્ધનું બંધ ઘરમાં હાર્ટએટેકના કારણે મોત થયું હતું. આ બનાવની હરણી પોલીસને જાણ કરાતાં પોલીસે દરવાજો તોડી તપાસ કરી હતી. એનઆરઆઈ વૃદ્ધે ૨૫ તોલાથી વધુ સોનાના દાગીના પહેર્યાં હોઈ પોલીસે મૃતદેહને ઘરમાં દિવસભર સાચવ્યો...

ચારુતર વિદ્યામંડળના પૂર્વ ચેરમેન અને ખેડૂતપુત્ર ડો. સી. એલ. પટેલનું રવિવારે વહેલી સવારે નિધન થયું હતું. તેઓ લાંબા સમયથી પથારીવશ હતા અને સારવાર ચાલતી હતી....

 સરદાર પટેલના નિવાસસ્થાને તેમની તસવીરની સામે મુકાયેલી અખંડજ્યોત ૧૯મી મેએ પુન: પ્રજવલિત કરાઇ હતી. આ ઉપરાંત નિવાસસ્થાને મૂકેલી દાનપેટી હટાવી દેવાઈ હતી. ઉલ્લેખનીય...

એશિયામાં પ્રથમ ક્રમાંકનું નેરોગેજ રેલવે સ્ટેશન અને તેના પર દોડતી એક માત્ર ડભોઈ-ચાંદોદ ટ્રેન ૨૫મી મેથી ભૂતકાળ બની જશે. નેરોગેજનું બ્રોડગેજમાં રૂપાંતર કરવાની...

ભાદરણનાં વતની અલ્પાબેન પટેલે બીએ સુધી અભ્યાસ કર્યો છે. તેમણે ૨૦૦૦માં નવગુજરાત સ્ત્રી અધિકાર સંઘ નામની સંસ્થા શરૂ કરી હતી. તેઓ મહિલાઓના સશક્તિકરણ માટે કામ કરે છે. અલ્પાબેન કહે છે કે મારા પતિ સમીરનો આ કામમાં મને સાથ મળ્યો અને અમે સમાજના તરછોડાયેલા,...

ન્યૂ જર્સીમાં રહેતી વસોની યુવતી સાથે લગ્ન કરનારા ભાદરણના યુવક તેમજ તેના ભાઈ અને માતાએ લગ્ન સમયે આપેલું પાંચ કરોડનું કરિયાવર સગેવગે કરી દેતાં યુવતીએ ભાદરણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

ચોકસી બજારમાં આવેલી નારાયણ જવેલર્સ પેઢી તથા ફાયનાન્સ કંપનીએ તાજેતરમાં ઊઠમણું કરતાં એક્સિસ બેંક સહિત અનેકોના નાણા ડૂબી ગયાં છે. નારાયણ જ્વેલર્સ દ્વારા આણંદ...

વર્ષ ૨૦૦૨માં ગોધરાકાંડના પગલે રાજ્યમાં ફાટી નીકળેલા કોમી રમખાણોમાં પહેલી માર્ચ, ૨૦૦૨ના દિવસે ઓડ ગામમાં ૨૩ વ્યક્તિની જીવતા સળગાવીને હત્યા કરાઈ હતી. આ કેસમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter