વડોદરાના ચિત્રકાર ભૂપેન ખખ્ખરનું પેઈન્ટિંગ રૂ. 14.4 કરોડમાં વેચાયું

સંસ્કારનગરીના વિખ્યાત પેઇન્ટર પદ્મશ્રી ભૂપેન ખખ્ખરનું એક પેઈન્ટિંગ મુંબઈમાં યોજાયેલા ઓક્શનમાં રૂ. 14.4 કરોડમાં વેચાયું છે. ભૂપેન ખખ્ખરે જે તે સમયે આ પેઈન્ટિંગ વડોદરાના એક આર્કિટેક્ટને જન્મદિવસ ભેટ તરીકે આપ્યું હતું.

ડાકોરમાં રણછોડરાયજીનો 253મો પાટોત્સવ ઊજવાયો

યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિરનો 253મો પાટોત્સવ મહા વદ પાંચમ - 29 ફેબ્રુઆરીના રોજ ધામધૂમ અને આસ્થાભેર ઊજવાયો હતો. 

સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગંત કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ દત્તક લીધેલ સોજિત્રા તાલુકાના મઘરોલ ગામમાં વિકાસ કાર્યોનો પ્રારંભ થયો છે.

વડોદરા શહેરમાંથી વર્ષ ૨૦૦૮માં રહસ્યમય રીતે ગાયબ થયેલા પાટીદાર બ્રિટિશ યુવકને શોધવા પોલીસને આદેશ થયા પછી પણ કોઈ પરિણામ ન આવતા રેડકોર્નર નોટિસ કાઢવા હાઈકોર્ટે આદેશ આપ્યો છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગૌત્રી વિસ્તારમાં મુખ્ય પ્રધાન ગૃહ યોજનાના સ્થળે સોમવારે સાંજે આયોજિત ખાતમુહૂર્ત કાર્યક્રમ વેળા સ્થાનિક રહિશોએ ગૃહ યોજનાના વિરોધમાં મંડપની તોડફોડ અને પથ્થરમારો કરતાં ભારે નાસભાગ મચી હતી.

વડોદરા શહેર નજીક માણેજા ગામ પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં હાથ-પગ ધોવા માટે ઉતરેલા આધેડ પર આશરે દસ ફૂટ લાંબા મગરે અચાનક હુમલો કર્યો હતો.



to the free, weekly Gujarat Samachar email newsletter