મનહરભાઇ એસ. પટેલ અક્ષરનિવાસી થયા

નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે. 

જાણીતા સામાજિક કાર્યકર મનુભાઇ પટેલનું નિધન

પેટલાદ નજીક પાળજ ગામના મૂળવતની અને કેન્યાના મચાકોસ તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૧૯૮૨થી યુ.કે.આવીને સ્થાયી થયેલા શ્રી મનુભાઇ ઝવેરભાઇ પટેલનું તા. ૯ માર્ચ સોમવારે સવારે એમના ઇસ્ટ લંડનના નિવાસસ્થાને દુ:ખદ અવસાન થયું છે.

કોંગ્રેસના પીઢ નેતા, રાજ્યના પૂર્વ નાણા પ્રધાન અને પૂર્વ સાંસદ સનત મહેતા (૯૧)નું ૨૦ ઓગસ્ટે સાંજે ૭ વાગે વડોદરામાં અવસાન થયું હતું.

પાટીદારોએ અન્ય પછાત વર્ગમાં સમાવવાની માગણી સાથે મંગળવારે તો અમદાવાદમાં મહારેલીનું આયોજન તો કર્યું જ હતું પરંતુ સોમવારે રાજ્યમાં અનેક સ્થળે રેલીઓ યોજીને...

અમેરિકાના સાઉથ કેરોલીના સ્ટેટમાં વૃદ્ધ પટેલ દંપતીની ગોળી મારીને હત્યા કરવાના સમાચારથી તેમના સ્વજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અમેરિકામાં છેલ્લા કેટલાક...

ગુજરાતના ૩૦ લાખ પશુપાલકોની માતૃસંસ્થા અને વાર્ષિક રૂ. ૨૧ હજાર કરોડનું જંગી ટર્નઓવર ધરાવતા ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેનપદે અઢી વર્ષની ટર્મ માટે ફરીથી જેઠાભાઈ પટેલ બિનહરીફ ચૂંટાયા હતા.

પેટલાદ તાલુકાના ધર્મજમાં રહેતા ખેડૂતોએ ગત સપ્તાહે ગ્રામપંચાયતમાં ધર્મજ વિસ્તાર વિકાસ સેવા મંડળ કમિટીને ઉદ્દેશીને ધર્મજના ડેવલપમેન્ટ પ્લાનને રદ કરવા લેખિત રજૂઆત કરી છે. 

ઉમરેઠ શહેરના ચંદ્રમૂળેશ્વર મહાદેવ ખાતે દર વર્ષે અષાઢી તોલવામાં આવે છે. આ પ્રક્રિયાના આધારે આવનાર વર્ષ ખેતી માટે કેવું રહેશે તે નક્કી થાય છે.

પાવાગઢ-ચાંપાનેર સ્ટેટના પૂર્વ રાજવી પરિવારના વારસદારે તેમને ચાંપાનેર સ્ટેટના વારસદાર ગણવા અને તેમના વડિલોપાર્જિત મિલકતોમાં તેમની માલિકીની જાહેર કરવા ગુજરાત હાઇ કોર્ટમાં અરજી કરી છે.

સમસ્ત બાકરોલ ગામ તરફથી ગામના એક આગેવાન, સામાજિક કાર્યકર અને લેખક જયંતીભાઈ પટેલનું ૧૨ જુલાઈએ ન્યૂ જર્સીના અકબર હોલમાં એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. 



to the free, weekly Gujarat Samachar email newsletter