વડોદરાના ચિત્રકાર ભૂપેન ખખ્ખરનું પેઈન્ટિંગ રૂ. 14.4 કરોડમાં વેચાયું

સંસ્કારનગરીના વિખ્યાત પેઇન્ટર પદ્મશ્રી ભૂપેન ખખ્ખરનું એક પેઈન્ટિંગ મુંબઈમાં યોજાયેલા ઓક્શનમાં રૂ. 14.4 કરોડમાં વેચાયું છે. ભૂપેન ખખ્ખરે જે તે સમયે આ પેઈન્ટિંગ વડોદરાના એક આર્કિટેક્ટને જન્મદિવસ ભેટ તરીકે આપ્યું હતું.

ડાકોરમાં રણછોડરાયજીનો 253મો પાટોત્સવ ઊજવાયો

યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિરનો 253મો પાટોત્સવ મહા વદ પાંચમ - 29 ફેબ્રુઆરીના રોજ ધામધૂમ અને આસ્થાભેર ઊજવાયો હતો. 

વડોદરા નજીક સિકંદરપુરાથી તાજેતરમાં ઝડપાયેલા રૂ. ૪ હજાર કરોડના ક્રિકેટ સટ્ટા અને હવાલા કૌભાંડમાં ફરાર બે આરોપીઓ ટોમી પટેલ અને કિરણ માલા ઠક્કરની એસઓજીની ટીમે રાજસ્થાનથી ધરપકડ કરી છે.

અનુપમ મિશન મોગરીના સ્થાપક ટ્રસ્ટી તથા સરદાર પટેલ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો. વિઠ્ઠલભાઈ સોમાભાઈ પટેલનું પહેલી એપ્રિલના રોજ નિધન થયું છે.

શ્રી સ્વામીનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે વડતાલ ટેમ્પલ કમિટિની ચૂંટણી ૪ એપ્રિલે શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી. 

અમેરિકાના મેસેચુસેટ્સ સ્ટેટના લોવેલસિટીના વાયએમસીએ કલબ ખાતે એક દુર્ઘટના સર્જાતા રહી ગઇ અને એક વ્યક્તિનો જીવ બચી ગયો હતો.

પાદરા તાલુકાના મેઢાદ ગામે એક સામાન્ય મહિલાની હિંમત અને બહાદુરીને કારણે મગરના મોઢામાં ફસાયેલો યુવાન મુક્ત થયો છે. 

ભગવાન સ્વામીનારાયણના મુખ્ય ગાદી સંસ્થાન- વડતાલ ખાતે લક્ષ્મીનારાયણદેવ મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડની ચૂંટણી ચોથી એપ્રિલે છે. 

આણંદ જિલ્લાના ઓડ ગામે હત્યા કેસમાં સંડોવાયેલા અને જામીન મળ્યા પછી વિદેશ ભાગેલા ત્રણ આરોપી સામે સ્પેશિય ઇન્વેસ્ટીગેશન ટીમ (એસઆઇટી)એ આરોપનામું ઘડ્યું છે.

અમદાવાદનાં ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગત સપ્તાહે એર અરેબિયાની ફ્લાઇટમાં આવેલા દાહોદના વતની મુસ્તફા ખાનભાઇવાલાને રૂ. ૨૭.૮૨ લાખનું દાણચોરીનું સોનું લાવતાં ઝડપી લેવાયો છે.



to the free, weekly Gujarat Samachar email newsletter