જય વસાવડાને જન્મદિને પુસ્તકાલયની ભેટ આપતા જગદીશ ત્રિવેદી

રાજકોટ શહેરમાં એક મિત્રને તેના જન્મદિને પુસ્તકાલયની અનોખી ભેટ મળી છે. આવી અનોખી ભેટ આપનાર જાણીતા હાસ્યકલાકાર પદ્મશ્રી જગદીશ ત્રિવેદી અને ભેટ મેળવનાર સદભાગી છે જાણીતા લેખક-વક્તા જય વસાવડા. પોતાનાં 50 વર્ષની ઉંમર પછી કાર્યક્રમોનો બધો પુરસ્કાર...

મોરારિબાપુની રામકથામાં સર્વધર્મ સંસદના સભ્યો

નવી દિલ્હી સ્થિત ભારત મંડપમમાં વિશ્વ શાંતિ મિશનના હેતુથી આયોજિત પૂ. મોરારિ બાપુની નવ દિવસીય રામકથામાં શનિવારે ઐતિહાસિક માહોલ જોવા મળ્યો હતો. આ દિવસે દેશના વિવિધ ધર્મોના અગ્રણી સંતો, ગુરુઓ અને આધ્યાત્મિક આચાર્યો રામકથામાં ઉપસ્થિત રહ્યા હતા અને...

મોરબીના જેતપર રોડ પર આવેલા એક સિરામિક એકમના ક્વાર્ટરમાં રહેતાં એક પરપ્રાંતીય પરિવારની અઢી વર્ષની બાળાનું ત્રીજી મેએ મોડી રાત્રે એક અજાણ્યો શખ્સ અપહરણ કરી ગયો હતો અને દુષ્કર્મ આચરી હત્યા કરી લાશ કારખાના નજીક આવેલા પાણી ભરેલા ખાડામાં ફેંકી દીધી...

ગીર અભ્યારણ્યમાં આવેલા કનકાઈ માતાજીના પુરાતન મંદિરમાં વન્ય પક્ષીઓ અને પ્રાણીઓના ઉદ્ધાર માટે છઠી મેના દિવસે ૧૦૮ કુંડ યજ્ઞનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહેવાના હતા, પરંતુ તેમના કાર્યક્રમને વનવિભાગની...

મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ રાજકોટમાં ન્યૂ રિંગ રોડને લાગુ રેસકોર્સ-૨ ખાતેના તળાવને ઊંડુ કરવાના અભિયાનનો પાંચમી મેએે પ્રારંભ કરાવ્યો હતો. ૪૫ એકરમાં પથરાયેલા...

• સણોસરાની જિનિંગ મિલમાં આગ• ટ્રેક્ટર પલટી ખાતાં પિતા-પુત્રના મૃત્યુ• તળાવમાં ડૂબી જતાં ત્રણ વિદ્યાર્થીનાં મૃત્યુ• રાજકોટ ચેમ્બરના પૂર્વ પ્રમુખ સામે ફરિયાદ• ગોંડલ પાસે માર્ગ અકસ્માતમાં ત્રણનાં મૃત્યુ

જાણીતા વકીલ કિરીટ જોશી (ઉ. ૪૩)નું ટાઉનહોલ નજીક જ્યોત ટાવર પાસે છરીના ઉપરા-ઉપરી ઘા ઝીંકી જામનગરમાં ૨૯મી એપ્રિલે હત્યા કરાઈ હતી. મૃતકના ભાઈ અને વકીલ અશોક જોશીએ પોલીસ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે રૂ. ૧૦૦ કરોડના જમીન હડપગીરીના કૌભાંડમાં જયેશ પટેલ...

એક તરફ ઉનાળો અને એકતરફ લગ્નસરાની સિઝન વચ્ચે ગોંડલમાં નવવધૂ તાપથી બેભાન થવાનો કિસ્સો ૨૭મીએ બન્યો હતો. ગોંડલ શહેરમાં એક વાડીમાં સાંજેના સુમારે લગ્નવિધિ અને કન્યાવિદાય પછી દુલ્હનને વળાવી દેવામાં આવી હતી. એ પછી દુલ્હન રસ્તામાં અચાનક જ બેભાન થઈ જતાં...

બીઆરટીએસ ટ્રેક પર ટૂંક સમયમાં પાંચ ઈલેક્ટ્રિક બસો પણ દોડતી થવાના અહેવાલ છે. એર પોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા મ્યુનિ. તંત્રને પાંચ બસ ફાળવવા માટેનો નિર્ણય કરાયો હોવાનું સમર્થન મહાનગરપાલિકાએ આપ્યું હતું. પાલિકા દ્વારા જાહેરાત કરાઈ હતી કે, એર...

જૂનાગઢ-બિલખા રોડ ઉપર માંડલપરા નજીક આવેલા હનુમાન મંદિરના મહંત કૃષ્ણાનંદ ગુરુ રામેશ્વરાનંદ (ઉ.૬૦)ની કોઈ અજાણ્યા માણસોએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી નાસી ગયા હતા. ૨૯મી એપ્રિલે સવારે ૧૦.૩૦ વાગ્યા આસપાસ મહંત ખુરશીમાં બેઠા હતા ત્યારે એકાએક ત્રણથી...

ભારત સરકાર દ્વારા દેશના પશુધનના ઉત્કર્ષ માટે પ્રથમ વખત બનેલી સર્વોચ્ચ કમિટી 'રાષ્ટ્રીય ગોકુલ મિશન'માં સર્વશ્રેષ્ઠ ગાયો માટેની કમિટીમાં ગૌવિકાસ માટે ગોંડલ...

ઉના તાલુકાના મોટા સમઢિયાળા ગામે દોઢેક વર્ષ પહેલાં દલિત પરિવારના સભ્યો પર અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. પરિવાર અને તેમના સાથીઓએ આ અંગે ન્યાય નહીં...



to the free, weekly Gujarat Samachar email newsletter