મનહરભાઇ એસ. પટેલ અક્ષરનિવાસી થયા

નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે. 

જાણીતા સામાજિક કાર્યકર મનુભાઇ પટેલનું નિધન

પેટલાદ નજીક પાળજ ગામના મૂળવતની અને કેન્યાના મચાકોસ તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૧૯૮૨થી યુ.કે.આવીને સ્થાયી થયેલા શ્રી મનુભાઇ ઝવેરભાઇ પટેલનું તા. ૯ માર્ચ સોમવારે સવારે એમના ઇસ્ટ લંડનના નિવાસસ્થાને દુ:ખદ અવસાન થયું છે.

સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગંત કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ દત્તક લીધેલ સોજિત્રા તાલુકાના મઘરોલ ગામમાં વિકાસ કાર્યોનો પ્રારંભ થયો છે.

વડોદરા શહેરમાંથી વર્ષ ૨૦૦૮માં રહસ્યમય રીતે ગાયબ થયેલા પાટીદાર બ્રિટિશ યુવકને શોધવા પોલીસને આદેશ થયા પછી પણ કોઈ પરિણામ ન આવતા રેડકોર્નર નોટિસ કાઢવા હાઈકોર્ટે આદેશ આપ્યો છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગૌત્રી વિસ્તારમાં મુખ્ય પ્રધાન ગૃહ યોજનાના સ્થળે સોમવારે સાંજે આયોજિત ખાતમુહૂર્ત કાર્યક્રમ વેળા સ્થાનિક રહિશોએ ગૃહ યોજનાના વિરોધમાં મંડપની તોડફોડ અને પથ્થરમારો કરતાં ભારે નાસભાગ મચી હતી.

વડોદરા શહેર નજીક માણેજા ગામ પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં હાથ-પગ ધોવા માટે ઉતરેલા આધેડ પર આશરે દસ ફૂટ લાંબા મગરે અચાનક હુમલો કર્યો હતો.



to the free, weekly Gujarat Samachar email newsletter