પાદરા તાલુકાના મેઢાદ ગામે એક સામાન્ય મહિલાની હિંમત અને બહાદુરીને કારણે મગરના મોઢામાં ફસાયેલો યુવાન મુક્ત થયો છે.
સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ ખાતે ભગવાન સ્વામિનારાયણનાં 244મા પ્રાગટ્યોત્સવની આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજની નિશ્રામાં ઉજવણી કરાઇ હતી.
મહીસાગર જિલ્લામાં આવેલી કડાણા ડેમ સાઇટ નજીક ભારતની પ્રથમ જિયોલોજિકલ અજાયબી એડી કરંટ સાઇટ મળી છે. વિશ્વભરમાં જવલ્લે જ જોવા મળતી આ એડી કરંટ સાઇટની જાળવણી માટે આગામી દિવસોમાં કડાણા પાસે સરકાર દ્વારા જિયો ટૂરિઝમ વિકસાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં...
પાદરા તાલુકાના મેઢાદ ગામે એક સામાન્ય મહિલાની હિંમત અને બહાદુરીને કારણે મગરના મોઢામાં ફસાયેલો યુવાન મુક્ત થયો છે.
ભગવાન સ્વામીનારાયણના મુખ્ય ગાદી સંસ્થાન- વડતાલ ખાતે લક્ષ્મીનારાયણદેવ મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડની ચૂંટણી ચોથી એપ્રિલે છે.
શહેરમાં વસતા દંડી સ્વામીની નજીવી બાબતે સેવકે હત્યા કરી હોવાની ઘટના બહાર આવી છે.
આણંદ જિલ્લાના ઓડ ગામે હત્યા કેસમાં સંડોવાયેલા અને જામીન મળ્યા પછી વિદેશ ભાગેલા ત્રણ આરોપી સામે સ્પેશિય ઇન્વેસ્ટીગેશન ટીમ (એસઆઇટી)એ આરોપનામું ઘડ્યું છે.
અમદાવાદનાં ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગત સપ્તાહે એર અરેબિયાની ફ્લાઇટમાં આવેલા દાહોદના વતની મુસ્તફા ખાનભાઇવાલાને રૂ. ૨૭.૮૨ લાખનું દાણચોરીનું સોનું લાવતાં ઝડપી લેવાયો છે.
વડોદરા પાસેની મહીસાગર નદીમાં ઝંપલાવીને ૩૦ વર્ષીય યુવાન જૈન સાધ્વીજીએ આપઘાત કર્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
વડોદરાની જાણીતી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ચાન્સેલર દિવંગત મૃણાલિનીદેવી પુઆરના નિધન બાદ હવે તેમના સ્થાને નવા ચાન્સેલરની નિમણૂક માટે કાર્યવાહી અંતિમ...
ચારુતર વિદ્યામંડળ (સીવીએમ)ના અધ્યક્ષ ડો. સી. એલ. પટેલની અધ્યક્ષતામાં સરદાર પટેલ સંશોધન સંસ્થા-સેરલિપના છઠ્ઠા વાર્ષિકોત્સવ સમારંભમાં ‘મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને વિજ્ઞાન’ અંગે ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક ડો. અનામિક શાહે વ્યાખ્યાન આપ્યું હતું.
સ્વાઇન ફ્લૂના હાહાકારની અસર ફાગણી પૂનમે ડાકોરમાં પણ જોવા મળી હતી.
ભાજપના નેતા ડો. સુબ્રમણ્યમ સ્વામીએ ગત સપ્તાહે વલ્લભ વિદ્યાનગરસ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે સાંપ્રત સમયમાં સરદાર પટેલની પ્રસ્તુતતા વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું.