મનહરભાઇ એસ. પટેલ અક્ષરનિવાસી થયા

નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે. 

જાણીતા સામાજિક કાર્યકર મનુભાઇ પટેલનું નિધન

પેટલાદ નજીક પાળજ ગામના મૂળવતની અને કેન્યાના મચાકોસ તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૧૯૮૨થી યુ.કે.આવીને સ્થાયી થયેલા શ્રી મનુભાઇ ઝવેરભાઇ પટેલનું તા. ૯ માર્ચ સોમવારે સવારે એમના ઇસ્ટ લંડનના નિવાસસ્થાને દુ:ખદ અવસાન થયું છે.

વડોદરા નજીક સિકંદરપુરાથી તાજેતરમાં ઝડપાયેલા રૂ. ૪ હજાર કરોડના ક્રિકેટ સટ્ટા અને હવાલા કૌભાંડમાં ફરાર બે આરોપીઓ ટોમી પટેલ અને કિરણ માલા ઠક્કરની એસઓજીની ટીમે રાજસ્થાનથી ધરપકડ કરી છે.

અનુપમ મિશન મોગરીના સ્થાપક ટ્રસ્ટી તથા સરદાર પટેલ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો. વિઠ્ઠલભાઈ સોમાભાઈ પટેલનું પહેલી એપ્રિલના રોજ નિધન થયું છે.

શ્રી સ્વામીનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે વડતાલ ટેમ્પલ કમિટિની ચૂંટણી ૪ એપ્રિલે શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી. 

અમેરિકાના મેસેચુસેટ્સ સ્ટેટના લોવેલસિટીના વાયએમસીએ કલબ ખાતે એક દુર્ઘટના સર્જાતા રહી ગઇ અને એક વ્યક્તિનો જીવ બચી ગયો હતો.

પાદરા તાલુકાના મેઢાદ ગામે એક સામાન્ય મહિલાની હિંમત અને બહાદુરીને કારણે મગરના મોઢામાં ફસાયેલો યુવાન મુક્ત થયો છે. 

ભગવાન સ્વામીનારાયણના મુખ્ય ગાદી સંસ્થાન- વડતાલ ખાતે લક્ષ્મીનારાયણદેવ મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડની ચૂંટણી ચોથી એપ્રિલે છે. 

આણંદ જિલ્લાના ઓડ ગામે હત્યા કેસમાં સંડોવાયેલા અને જામીન મળ્યા પછી વિદેશ ભાગેલા ત્રણ આરોપી સામે સ્પેશિય ઇન્વેસ્ટીગેશન ટીમ (એસઆઇટી)એ આરોપનામું ઘડ્યું છે.



to the free, weekly Gujarat Samachar email newsletter