સ્મશાનમાં જાનને ઉતારો! ભૂતપ્રેતના સ્વાંગમાં જાનૈયાનું સ્વાગત

રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાનાં રામોદ ગામમાં રામનવમી પર્વે અનોખા લગ્ન યોજાયા હતા. ગામનાં સ્મશાનમાં જાનને ઉતારો અપાયો હતો. કન્યાએ લાલને બદલે કાળા વસ્ત્રો ધારણ કર્યા હતા. જ્યારે અન્ય યુવતીઓએ ભૂત-પ્રેતનાં વેશ ધારણ કરી જાનનું સ્વાગત કર્યું...

મોરબી પુલ કેસઃ હાઇકોર્ટે ઓરેવાની ઝાટકણી કાઢી

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં ગુજરાત હાઈકોર્ટે દાખલ કરેલી સુઓમોટો પીઆઈએલની સુનાવણીમાં ચીફ જસ્ટિસની ખંડપીઠે ઓરેવા કંપનીના બેજવાબદાર વલણ અંગે ઝાટકણી કાઢી છે. 

જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતી એક તરુણીને દેહવિક્રયમાં ધકેલવા તેમજ તરુણી પર ગેંગરેપ અંગેના કેસમાં જામનગરની પોક્સો અદાલતે પીડિતાની માતા અને તેની મોટી બહેન સહિત આઠ આરોપીઓને દોષી ઠેરાવ્યા હતા. ૧૭ જુલાઈએ તરુણીની માતા તથા બહેનને સાત સાત વર્ષની...

સમગ્ર ગીરમાં રેવન્યુ અને જંગલની બોર્ડર પરના ૧૦૦થી વધારે સિંહોને જીપીએસ રેડિયો કોલર લગાવવાની કામગીરી ગીરમાં ચાલે છે. થોડા સમય પહેલાં જ રાજ્યના મુખ્ય પ્રધાન...

ગયા વર્ષ સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં ધારી ગીર પૂર્વેની દલખાણિયામાં રેન્જમાં કેનન ડિસ્ટેમ્પર વાઈરસ (સડીવી)ના કારણે ૨૭ સાવજો મૃત્યુ પામ્યા હતા. 

હરમડિયા ગામે દેવીપૂજક પરિવાર પાંચમીએ રાત્રે આરામ કરતો હતો. પરિવારની ત્રણ વર્ષની દીકરી નેહા ફળિયામાં રમતી હતી. એ સમયે એકાએક દીપડો ત્યાં ધસી આવ્યો હતો અને નેહાને ગળેથી પકડીને ભાગ્યો હતો. નેહાના દાદીમાનું ધ્યાન પડતાં બૂમાબૂમ કરી મૂકી. ત્યાં હાજર...

ધોરાજી સેશન્સ કોર્ટે છઠ્ઠીએ ગૌહત્યાના કેસમાં આરોપીને દશ વર્ષની સજા ફટકારી છે. કોર્ટે ગૌહત્યા અધિનિયમના કેસમાં પુરાવા હકીકત ધ્યાને લઇને આરોપી સલીમ કાદરને દશ વર્ષની સજા તથા રૂ. બે લાખ બે હજારનો દંડ ફટકાર્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ગૌહત્યા...

જૂનાગઢના આરટીઆઈ એક્ટિવિસ્ટ ૩૫ વર્ષીય અમિત જેઠવા હત્યા કેસમાં ભાજપના ભૂતપૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી સહિત ૭ આરોપીને સીબીઆઈ જજ કે. એમ. દવેએ હત્યા અને ગુનાઇત...

મોરબીના મકનસર પાસે શીતળા માતાજીના મંદિર પાસેથી અજાણ્યા યુવાનનો ઈજાગ્રસ્ત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો. ત્યાં પીએમ રિપોર્ટમાં માર મારવાના કારણે યુવાનનું મૃત્યુ નિપજ્યાનું ખુલ્યું હતું. આ પ્રકરણમાં...

દ્વારકામાં ૨૫ વર્ષની યુવતીએ દ્વારકા સ્વામીનારાયણ મંદિરમાં સ્વામી વિરુદ્ધ બળાત્કાર કર્યાના આક્ષેપ સાથે ૧૮૧ ઉપર ફરિયાદ કરી હતી. દ્વારકા સ્વામીનારાયણ મંદિરના ૭૯ વર્ષીય સ્વામી પ્રેમજીવને સ્વામીનારાયણ મંદિરમાં જ કામ કરતી યુવતી ઉપર ૪ વખત દુષ્કર્મ...

બૃહદ ગીરના રાણીગાળા વિસ્તારમાં ૩૦મીએ રાત્રે વનકર્મીને સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. સિંહનું પીએમ કરતાં તેના શરીર પર વિચિત્ર કાણું જોવા મળ્યું હતું! સિંહના...

અનરાધાર વરસાદમાં ૨૯મીએ નારી ચોકડીથી ભાવનગર તરફ આવતા ડાયવર્ઝનમાં પાણીનો પ્રવાહ વધુ હતો. આ સમયે અમદાવાદના વસ્ત્રાલમાં રહેતા એક પરિવારની કાર પાણીના પ્રવાહમાં તણાઈ હતી. આ ઘટનામાં ત્રણ વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. જોકે ઘટનામાં ચાર જણા લાપતા થયા હતા....



to the free, weekly Gujarat Samachar email newsletter