મનહરભાઇ એસ. પટેલ અક્ષરનિવાસી થયા

નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે. 

જાણીતા સામાજિક કાર્યકર મનુભાઇ પટેલનું નિધન

પેટલાદ નજીક પાળજ ગામના મૂળવતની અને કેન્યાના મચાકોસ તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૧૯૮૨થી યુ.કે.આવીને સ્થાયી થયેલા શ્રી મનુભાઇ ઝવેરભાઇ પટેલનું તા. ૯ માર્ચ સોમવારે સવારે એમના ઇસ્ટ લંડનના નિવાસસ્થાને દુ:ખદ અવસાન થયું છે.

વિનોદભાઈ એચ પટેલનો જન્મ ૧૩ જાન્યુઆરી, ૧૯૩૮ના રોજ કેન્યાના નાઈરોબીમાં થયો હતો. ૧૯૫૭માં તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત બાર્કલેઝ બેંકથી કરી હતી. ૧૯૫૮માં તેઓ...

જૈનોના પર્યુષણ પર્વની ઉજવણી દુનિયાભરમાં વસતા જૈનોએ તપ-જપ-ક્ષમાપનાની આપ-લે સહ કરી. આત્માની શુધ્ધિના આ પર્વ દરમિયાન અસંખ્ય નાની-મોટી તપસ્યાઓ અબાલવૃધ્ધ સૌ...

કોવિડ મહામારી દરમિયાન લંડનમાં એશિયનો વિરુદ્ધ રેસ હેટ ક્રાઈમમાં લગભગ ૧૮૦ ટકાનો ભારે ઉછાળો નોંધાયો હોવાનું એક અભ્યાસમાં બહાર આવ્યું છે. મેયર સાદિક ખાને ૯/૧૧ના...

VHP UKના અગ્રણી સ્થાપક ઠાકોરભાઈ ભૂલાભાઈ પટેલનું ૪ સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ ૭૯ વર્ષની વયે દુઃખદ અવસાન થયું હતું. તેમનો જન્મ નવસારી પાસેના દાતેજ ગામે ૧૦ ઓક્ટોબર...

સાઉથ લંડનના બાલમ સ્થિત અંજન ધીરૂભાઇ પટેલનું તા.૨૬ ઓગષ્ટ, ગુરૂવારે ૪૮ વર્ષની વયે અણધાર્યું અવસાન થતાં ધીરૂભાઇ ગોરધનભાઇ પટેલનો સમગ્ર પરિવાર ઉંડા શોકમાં ડૂબી...

ઈન્ડિયન જર્નાલિસ્ટસ એસોસિએશન (IJA)એ શોરડીચમાં કોર્ટહાઉસ હોટલ ખાતે તેની સૌ પ્રથમ સમર પાર્ટીનું ૩૦ જુલાઈને શુક્રવારે આયોજન કર્યું હતું. આ સમારોહમાં પત્રકારો, સાંસદો, પીઅર્સ, લંડનના...

મેયર સાદિક ખાન કામચલાઉ ગણાવેલા દૈનિક ૧૫ પાઉન્ડના કન્જેશન ચાર્જને યથાવત રાખી પલટી મારી નવા વિવાદમાં આવ્યા છે. જોકે, દૈનિક ચાર્જના કલાકો ઘટાડવાની જાહેરાત...

શ્રી લાલુભાઈ પારેખ હવે આપણી વચ્ચે રહ્યા નથી. થોડા દિવસ અગાઉ  કોવિડ – ૧૯ની બીમારીને લીધે તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. લાલુભાઈએ ૨૬ જુલાઈ,...

મુંબઈમાં જન્મેલી ભારતીય ધ્વનિ કોઠારી મિસ ઈંગ્લેન્ડની સ્પર્ધાની ફાઈનલમાં પહોંચી છે અને ૨૭ ઓગસ્ટે આયોજિત ગ્રાન્ડ ફિનાલેમાં તે સરેનું પ્રતિનિધિત્વ કરશે. ધ્વનિના...

જેલમાં રિમાન્ડ પર રખાયેલા બાળકોમાંથી  લંડનના ૭૪ ટકા બાળકો અશ્વેત હોવાનું LBCની તપાસમાં બહાર આવ્યું છે. રિમાન્ડ પરના બાળકોને કોઈ અપરાધ માટે સજા કરાઈ હોતી નથી. આના બદલે જજ અથવા મેજિસ્ટ્રેટ દ્વારા એવો નિર્ણય અપાયો હોય છે કે તેમણે જેલમાં રહીને ટ્રાયલની...



to the free, weekly Gujarat Samachar email newsletter