ઇથિયોપિયામાં પૂર અને ભૂસ્ખલનના કારણે 30નાં મોત

દક્ષિણ ઇથિયોપિયાના ગામો ઝોનમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે ઓછામાં ઓછા 30 લોકોના મોત થયાં હતાં. સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે, મોટાભાગના મોત પર્વતીય વિસ્તારોમાં થયાં હતાં. 

રોસ્તમ અઝિઝીનું તારીફા ગ્રુપ નેશન મીડિયા ગ્રુપમાં 54 ટકા હિસ્સો ખરીદશે

રોસ્તમ અઝિઝીના તારીફા ગ્રુપે તાન્ઝાનિયા, કેન્યા અને યુગાન્ડામાં અગ્રણી અખબારોની માલિકી ધરાવતા નેશન મીડિયા ગ્રુપમાં 54 ટકા હિસ્સો ખરીદવાની જાહેરાત કરી છે.

ભ્રષ્ટાચારના આક્ષેપોમાંથી છટકવાના દાવા વચ્ચે દક્ષિણ આફ્રિકાના પ્રમુખ જેકબ જુમાએ દુબઈની ૧૯ મિલિયન પાઉન્ડની વૈભવી વિલા પોતાના વતી બિઝનેસ એસોસિએટ્સ દ્વારા ખરીદવામાં આવી હોવાનો  ઈનકાર કર્યો હતો. માર્બલ, સોનું અને મોઝેકના ઉપયોગથી બનેલી અને ગોલ્ફ...

ડરબનઃ યુનિવર્સિટીમાં મેડિકલ અને અન્ય આરોગ્ય વિજ્ઞાન અભ્યાસક્રમની સીટો વહેંચવાના જંગી કૌભાંડમાં ભારતીય મૂળની ત્રણ દ. આફ્રિકન વ્યક્તિઓની ધરપકડ કરાઈ છે. આરોપીઓમાં એક મહિલા સહિત બે ગુજરાતી પણ છે. ડરબનની ‘લિટલ ગુજરાત રેસ્ટોરાંની માલિક મહિલા વર્ષા...

દ. આફ્રિકાના ટોલ્સટોય ફાર્મને પુનઃ જીવિત કરવા ભારતની કેટલીક કંપનીઓએ બીડું ઝડપ્યું છે. ભારત માટે જ નહીં, સમગ્ર વિશ્વ માટે ટોલ્સટોય ફાર્મનું અનેરું મહત્ત્વ...

કેન્યાના પ્રમુખ કેન્યાટ્ટાએ નૈરોબીના લંગાટામાં અલ જામિયા તુસ સૈફિયા એટલે કે અરેબિક અકાદમીના નવા કેમ્પસનું તાજેતરમાં ઉદઘાટન કર્યું હતું. ખરેખર જે ઈસ્લામ...

દક્ષિણ આફ્રિકાના પ્રેસિડેન્ટ જેકોબ ઝૂમાએ દેશના નાણાપ્રધાન પ્રવીણ ગોરધન સહિત નવ કેબિનેટ મિનિસ્ટર્સને અડધી રાત્રે દૂર કર્યા પછી S&P ગ્લોબલ દ્વારા ક્રેડિટ રેટિંગમાં કાપ મૂક્યો છે. ઝૂમાએ રોકાણકારોનો આ ભય દૂર કરવા જાહેરાત કરી છે કે દક્ષિણ આફ્રિકાની...

કેન્યાના પ્રેસિડેન્ટ ઉહુરુ કેન્યાટાની ઈન્ફ્રાસ્ટ્રક્ચર મુશ્કેલીને હાલ તો ચાઈનીઝ લોન્સે દૂર કરી છે. કેન્યાની રાજધાની નાઈરોબીથી હિન્દ મહાસાગરના પોર્ટ મોમ્બાસા સુધી ૩૦૦ માઈલ લાંબી રેલલાઈન બાંધવા માટે ચીન દ્વારા ૩.૬ બિલિયન ડોલરની જંગી લોન મંજૂર...

શ્વેત પ્રજાના રંગભેદી શાસન સામે દક્ષિણ આફ્રિકાના લાંબા સંઘર્ષમાં નેલ્સન મન્ડેલાના ગાઢ સાથીઓમાંના એક અને ચળવળના પ્રતીકસમાન અહમદ મોહમ્મદ કથરાડાનું મંગળવારે...

આફ્રિકામાં આવેલા સિઓરા લિઓનથી એક પાદરીને ૭૦૬ કેરેટ વજનનો દુર્લભ હીરો મળી આવ્યો છે. તેમણે આ હીરો ત્યાંની સરકારની સોંપી દીધો છે. આ ઘટનાની વિશ્વભરનાં હીરાબજારમાં ચર્ચા છે. તેથી હવે સુરત અને મુંબઇના કેટલાક હીરાવેપારીઓ આ ડાયમંડ ખરીદવા માટે સિઓરા...

તાલુકાના ટંકારીયા ગામની ડેલાવાલા સ્ટ્રીટમાં રહેતા મહંમદ હનીફ મુસા વેવલીના બે પુત્રો આસિફ હનીફ વેવલી ૧૩ વર્ષતી તથા ઇમ્તિયાઝ હનીફ વેવલી ૭ વર્ષથી દક્ષિણ આફ્રિકાના...

મૂળ જામનગરના એક વૃદ્ધની ૧૧મી માર્ચે ગોળી મારીને હત્યા કરી નાંખવામાં આવી હોવાના સમાચાર છે. આ ઘટનામાં મૃતકની પત્નીને ભારે ઈજા પહોંચી હતી. નૈરોબીનાં સ્પ્રિંગ વેલી વિસ્તારમાં રહેતા રમેશભાઈ ગોસરાણી (ઉં. વ. ૮૪) તથા તેમનાં પત્ની મુક્તાબહેન (ઉં. વ....



to the free, weekly Gujarat Samachar email newsletter