મનહરભાઇ એસ. પટેલ અક્ષરનિવાસી થયા

નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે. 

જાણીતા સામાજિક કાર્યકર મનુભાઇ પટેલનું નિધન

પેટલાદ નજીક પાળજ ગામના મૂળવતની અને કેન્યાના મચાકોસ તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૧૯૮૨થી યુ.કે.આવીને સ્થાયી થયેલા શ્રી મનુભાઇ ઝવેરભાઇ પટેલનું તા. ૯ માર્ચ સોમવારે સવારે એમના ઇસ્ટ લંડનના નિવાસસ્થાને દુ:ખદ અવસાન થયું છે.

નડિયાદ શહેરના જાણીતા ડોક્ટર અને હાલ લંડનમાં સ્થાયી થયેલા હબીબભાઇનું કોરોનાના કારણે મૃત્યુ નીપજતાં સ્વજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. છેલ્લા ૧૫ વર્ષથી લંડનની સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલા હબીબભાઇ કોરોના દર્દીઓની સારવાર દરમિયાન ખુદ પણ...

ડભોઈના શેઠ ફળિયામાં રહેતા રોહિતભાઈ ઉર્ફે રાજેશભાઈ સૂર્યકાંત શાહ ૨૦ વર્ષ પહેલાં પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થયા હતા. ન્યૂ જર્સીમાં રોક વે વિસ્તારમાં રહેતા અને મોલમાં નોકરી કરતા રોહિતભાઈ (ઉં ૬૦)ને કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યા પછી પંદર દિવસની...

અમેરિકાના ન્યૂ યોર્કમાં આવેલી બ્રુકલિન હોસ્પિટલમાં હાલમાં પણ કાર્ય કરતા વડોદરાના તબીબ દંપતીના હકારાત્મક અભિગમ અને ફરજપરસ્તીની આ વાત છે. કોરોના વાઇરસ ફેલાવાના પ્રથમ તબક્કામાં જ પ્રથમ ડો. સિદ્ધાર્થ ભેંસાણિયાને કોરોના વાઈરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો...

વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં અરૂણોદય સોસાયટીમાં એકલા રહેતા ૯૨ વર્ષના પ્રભાબેનની ભાળ લેવા સ્થાનિક મહિલા પોલીસ એમની ટીમ સાથે એમની ઓચિંતી મુલાકાતે જઇ...

દાહોદ અને મહીસાગર જિલ્લાને જોડતી રાજસ્થાનની બોર્ડર ઉપર રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના કુશલગઢમાં કોરોના વાઈરસના ૩૭ પોઝિટિવ કેસો નોંધાયા છે. જેથી ગુજરાતના બોર્ડર વિસ્તારના લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે દાહોદના ઝાલોદ અને મહીસાગરના સંતરામપુરને...

કોરોના કેસોનો વિસ્ફોટ થવા પાછળ દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારના તબલીગી જમાતના હેડ ક્વાર્ટરની મરકઝને માનવામાં આવે છે ત્યારે સ્ફોટક વિગતો ખૂલી છે કે, વડોદરા જિલ્લામાં તબલીગી જમાતનું હેડક્વાર્ટર નાગરવાડા સૈયદપુરા છે. માર્ચ ૧૪થી ૨૦ માર્ચ તબલીગી જમાતની...

ગોત્રી હોસ્પિટલમાં કોરોના પોઝિટિવના ૯૨ દર્દીઓ  છે. મોટાભાગના નાગરવાડા, સૈયદપુરાના છે. જે દર્દીઓ ક્રિટિકલ નથી એવા દર્દીઓને કેમ્પસ હોસ્ટેલમાં એક-એક રૂમ ફાળવીને આઇસોલેશનમાં રખાયા છે. આ દર્દીઓ પૈકી કેટલાક દર્દીઓ લોબીમાં નીકળીને ટોળું કરે છે. તેમની...

કોરોના વાઇરસ ફેલાવાની પરિસ્થિતિમાં સરકારના પગલાંમાં સહયોગ અર્થે પોતપોતાના ક્ષેત્રમાં જરૂરતમંદ શ્રમજીવી પરિવારોને શાકભાજી સહિત નિઃશુલ્ક અનાજ સેવા પૂરી પાડવાની ભારતના સંત સમાજ અને ભક્ત સમાજ સહિત વિવિધ સામાજિક સંસ્થાઓને અખિલ ભારતીય સંત સમિતિના...

સંતરામ મંદિરના ફોન પર ૨૮મી માર્ચે રાત્રે ૯.૦૦ વાગ્યે ઘંટડી રણકી ત્યારે મંદિરનું રસોડું ૭૦૦૦ જેટલા શ્રમિકોને ટિફિન સેવા પૂરું પાડીને આટોપાઈ ગયું હતું. રસોઈયા...

 વર્ષો પહેલા ગામડામાં બળદ ગાડાઓનું ચલણ હતું ત્યારે બળદગાડા આડા કરી આડાશ કરતી હતી. ત્યારે હાલ તાપી જિલ્લાના અંતુર્લી ગામે કોરોના વાઈરસના સંક્રમણથી અટકાવવા ગાડા રસ્તા પર મૂકીને ગામમાં પ્રવેશનો માર્ગ બંધ કર્યો છે. કોરોનાનું સંક્રમણ ગામોમાં ન પહોંચે...



to the free, weekly Gujarat Samachar email newsletter