મનહરભાઇ એસ. પટેલ અક્ષરનિવાસી થયા

નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે. 

જાણીતા સામાજિક કાર્યકર મનુભાઇ પટેલનું નિધન

પેટલાદ નજીક પાળજ ગામના મૂળવતની અને કેન્યાના મચાકોસ તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૧૯૮૨થી યુ.કે.આવીને સ્થાયી થયેલા શ્રી મનુભાઇ ઝવેરભાઇ પટેલનું તા. ૯ માર્ચ સોમવારે સવારે એમના ઇસ્ટ લંડનના નિવાસસ્થાને દુ:ખદ અવસાન થયું છે.

પંચમહાલ જિલ્લાના મોરવા હડફના સસ્પેન્ડેડ ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટનું લાંબી માંદગી બાદ ૨૨મીએ અવસાન થયું હતું. અમદાવાદમાં સારવાર માટે લઈ જતાં રસ્તામાં તેમનું અવસાન થાયું હતું. ભૂપેન્દ્ર ખાંટના અવસાનને પગલે તેમના વતન વીરણિયામાં પણ શોક વ્યાપી...

પ્રતાપનગર વિસ્તારમાં અપ્સરા સ્કાયલાઈન કમર્શિયલ કોમ્પલેક્ષમાં આવેલી બેન્ક ઓફ બરોડાની બ્રાન્ચમાં ખાતેદારોને લોકરની સુવિધા છે. બેન્કના એક મહિલા ખાતેદારે તેમના...

આંકલાવ તાલુકા મામલતદાર કચેરીમાં સર્કલ ઓફિસર અને ઈ-ધરા નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા આકાશ ઠક્કરની એસીબીએ કાચી નોંધ પાડવા રૂ. ૯ હજાર માગ્યા હોવાના આરોપમાં ૧૮મીએ ધરપકડ કરી હતી. આ સાથે આકાશ ઠક્કર તમામ એન્ટ્રી માટે મનફાવે તેવી રકમની લાંચની માગતા...

ભારતીય ટીમના ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના પિતાનું ૧૬મી જાન્યુઆરીએ નિધન થયું હતું. હિમાંશુ પંડ્યાએ શનિવારે હાર્ટએટેક આવ્યા બાદ વડોદરામાં અંતિમ શ્વાસ લીધાં હતાં. પિતાના નિધન બાદ કૃણાલ બરોડાની ટીમના બાયો બબલમાંથી બહાર આવી ગયો હતો. કૃણાલ...

ટંકારા-લતીપર રોડ પરના સાવડી ગામના વળાંકમાં પસાર થતી કાર આડે કૂતરું ઉતરતાં કૂતરાને બચાવવા જતાં કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં ૧૭મી જાન્યુઆરીએ કાર પલટી ખાઈ ગઈ હતી. કારમાં બેઠેલા વિક્કીભાઈ જગદીશભાઈ ચૌહાણ અને તેમનાં પત્ની રાધિકાબહેન વિક્કીભાઈ...

ધર્મજ છેલ્લા ૧૫ વર્ષથી સતત ઉજવાતા ‘ધર્મજ ડે’ની ઉજવણીએ ધર્મજ ગામની આગવી ઓળખ ઉભી કરી છે. ચાલુ વર્ષે કોરોના મહામારી પડકારને ધ્યાનમાં રાખી ઉજવણીના સ્વરૂપમાં...

છોડા ઉદેપુરના સંખેડાના પૂર્વ ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ પ્રધાન બાબરભાઇ તડવીનું કોરોનાની સારવાર દરમિયાન ૮૦ વર્ષની વયે છઠ્ઠી જાન્યુઆરીએ વહેલી સવારે નિધન થયું હતું. 

પાકિસ્તાનની જાસૂસી એન્જસીઓને ભારતીય લશ્કરની ગુપ્ત માહિતીઓ આપવા અંગેની માહિતીની તપાસ બાદ બહાર આવેલા ષડયંત્રમાં એક માજી સૈનિક તેમજ ગોધરાના અનસ ગીતેલીની ગોધરા એસઓજીની મદદથી ઉત્તર પ્રદેશ એટીએસએ સાતમીએ ધરપકડ કરી હતી. ધરપકડ બાદ ટ્રાંજિસ્ટ રિમાંડ મેળવી...

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સાતમીએ તિલકવાડામાં યોજાયેલા કાર્યક્રમમાં જાહેરાત કરી હતી કે, ૧૬ જાન્યુઆરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા-વડોદરા રેલવે લાઇન અને કેવડિયા સ્થિત આત્યાધુનિક રેલવે સ્ટેશનનું ઇ-લોકાર્પણ કરશે. આ ઉપરાંત ૧૮ જાન્યુઆરીએ વડા...



to the free, weekly Gujarat Samachar email newsletter