પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં દરરોજ એક લાખથી વધુ જ્યારે શનિવાર અને રવિવારના દિવસે 2 લાખથી વધુ લોકો નગરની મુલાકાતે આવે છે. શતાબ્દી મહોત્સવમાં આઠમી જાન્યુઆરી સુધીમાં 85 હજારથી વધુ વિદેશવાસી ભારતીયો (એનઆરઆઇ) આવી ચૂક્યા છે, જેમાં સૌથી વધુ 40 હજાર...
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અંતર્ગત રવિવારે BAPS યુકે-યુરોપ દિનની ઉજવણી થઈ હતી. આ પ્રસંગે વિશ્વવિખ્યાત લંડનના નિસ્ડન મંદિરની સાથે યુકે-યુરોપમાં ભારતીય સંસ્કૃતિની સુવાસ ફેલાવતા BAPSના મંદિરોને મહાનુભાવોએ આદરાંજલિ આપવામાં આવી હતી. બ્રિટનના...
વિવિધ સેક્ટરમાં હાંસલ કરેલી સિદ્ધીઓ માટે લાંબા સમયથી અપાતા બ્રિટનના સૌથી પ્રતિષ્ઠિત એશિયન એચિવર્સ એવોર્ડ્સના નોમિનેશનને આમંત્રણ આપવામાં આવ્યું છે. યુકેમાં દક્ષિણ એશિયનોએ રાજકારણ, બિઝનેસ અને સિવિલ સોસાયટી સહિતના અનેક ક્ષેત્રમાં અગ્રીમ સ્થાન હાંસલ...
50 વર્ષ પહેલાં યુગાન્ડામાંથી એશિયનોની હકાલપટ્ટી કરાઇ તેની વસમી યાદમાં પીટરબરો ખાતે એક વિશેષ સમારંભનું આયોજન કરાયું હતું. 1972માં ઇદી અમીન દ્વારા હાંકી કઢાયેલા 50 પરિવાર પીટરબરોમાં સ્થાયી થયાં હતાં. તેમાંના કેટલાક સ્થાનિક સમુદાયના લોકો સાથે અહીં...
‘ગુજરાત સમાચાર" અને "એશિયન વોઇસ"નો દીપોત્સવી વિશેષાંક વાચકોના કરકમળમાં જતા જ પોતાની ખુશી વ્યક્ત કરતા સંખ્યાબંધ સંદેશા કાર્યાલયને કે તંત્રીમંડળને વ્યક્તિગત ફોન દ્વારા સાંપડ્યાં છે. જેમાંના કેટલાંક અત્રે રજુ કરતા અમે ગૌરવ અનુભવીએ છીએ. વિક્રમ સંવત...
ગુજરાત સમાચારના માનવંતા વાચકોએ વાચનસામગ્રીથી માંડીને અખબારના કલેવર અને રાષ્ટ્રીયથી માંડીને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ અંગે રજૂ કરેલા મંતવ્યો...
શુક્રવારની સાંજ એટલે લંડનગરાઓને નિરાંત માણવાના વીકેન્ડનો શુભારંભ. મે મહિનો એટલે ચારેકોર બ્લોસમ ખીલી મદમસ્ત વેધર. આવી વેધરમાં ક્લબ, રેસ્ટોરન્ટોમાં ખાણી-પીણી અને નાચગાનની મસ્તી માણવા યુવાહૈયા ઉત્સુક બને એ સ્વાભાવિક છે. ઓલ્ડસ્ટ્રીટ સ્ટેશન નજીક “ગુજરાત સમાચાર" કાર્યાલયના કર્મયોગા હાઉસના આસપાસનો વિસ્તાર શુક્રવારે સાંજ પડે એટલે જાણે લંડનભરના ખૂણે ખૂણેથી યુવા યુગલોની વણથંભી વણઝાર ઉભરાવા માંડે.
"મહારાણીના દેશમાં આપણને રામરાજ છે…. અહીં આપણને દર મહિને-અઠવાડિયે પેન્શન મળે છે, કોઇનું ઓશિયાળુ બનવું ના પડે…દવાખાના-દાકતરની ફી નહિ.. અને મરીએ તો ય શાંતિથી પેટીમાં સૂતાં સૂતાં લકઝરી કારમાં અંતિમયાત્રા થાય” આવું અમે કેટલાય પ્રૌઢ ભાઇ-બહેનો અથવા વૃધ્ધ વડીલોના મોંઢે સાંભળ્યું છે પણ ખરેખર આપણા નિવૃત્ત વડીલો વિસામો લેવાની વયે નિરાંતે આનંદદાયી પળો માણી શકે છે ખરા?!