બોર્ડર ફિલ્મ યાદ છે ? આ ફિલ્મ ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૯૭૧માં થયેલા યુદ્ધકાળમાં બનેલી સત્યઘટના પર આધારિત હતી. યુદ્ધ દરમિયાન મેજર કુલદીપ સિંહ ચાંદપુરીના નેતૃત્વમાં રાજસ્થાનના લોંગેવાલા પોસ્ટ પર ૧૨૦ ભારતીય જવાનોએ રાતભર પાકિસ્તાનની ટોંક રેજીમેન્ટનો...
પાર્લામેન્ટમાં સાંસદ કાર્લા લોકહાર્ટની યજમાનીમાં અને એશિયન હ્યુમન રાઈટ્સ ફોરમના આરિફ આજકીઆના વડપણ હેઠળ 8 ઓગસ્ટે આયોજિત મહત્ત્વપૂર્ણ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેવા મને આમંત્રણ અપાયું હતું. મને ખાતરી જ છે કે તમારામાંથી મોટા ભાગના લોકોને પાકિસ્તાન...
શું દિલ્હીની ઘટનાથી સમગ્ર પંજાબ કે હરિયાણાને નફરતથી જોવું ઠીક ગણાશે? જવાબ તદ્દન ‘ના’ માં જ હોઈ શકે, હોવો જોઈએ. કારણ સ્પષ્ટ છે. ખેતી વિશેના કાયદાઓ પાછા ખેંચી લેવાની લડત સમજ કે નાસમજને લીધે કરનારા માત્ર કેટલાંક સંગઠન હતાં. સંગઠનોના નેતાઓને પોતાનું...
ભારતીય પ્રજાસત્તાક દિવસ ઉજવાઇ ગયો, સંકલ્પો અને સમસ્યા છોડતો ગયો છે. તાર્કિક રીતે આ વાત સાચી હોવા છતાં દરેક દેશ, જેણે સ્વતંત્રતા માટે દીર્ઘકાલીન સંઘર્ષ કર્યો હોય અને જેણે પોતાની રાજ્યસત્તાને નાગરિકના અધિકાર અને ફરજ દર્શાવતા રાજ્ય બંધારણ માટે...
બ્રિટિશ સમાજમાં બીબીસી વિશેષ અને સૌથી પ્રતિષ્ઠિત સ્થાન ધરાવે છે. એક સમયે એમ કહેવાતું હતું કે આ તો બીબીસી (BBC)માં આવ્યું કે છપાયું છે તો પછી કોઈ પ્રશ્ન ઉઠાવાતો નહિ કારણકે બીબીસી એટલે સચ્ચાઈનું પ્રતીક. આજે આમ રહ્યું નથી. સીનિયર પત્રકાર માર્ટિન...
ઈઝરાયેલ અને ત્રાસવાદી સંગઠન હમાસ વચ્ચે ૧૧ દિવસના લોહિયાળ યુદ્ધ પછી સ્થપાયેલા વિરામની શાંતિના પગલે પેલેસ્ટાઈનવાસીઓ ઉજવણી કરી રહ્યા હોય પરંતુ, પશ્ન એ છે કે આ શાંતિ ટકાઉ હશે? ઈઝરાયેલી ડિફેન્સ મિનિસ્ટર બેની ગાન્ટ્ઝે ચેતવણી આપી જ છે કે જ્યાં સુધી...
વડીલો સહિત સહુ વાચક મિત્રો, 1948ની વાત છે. આણંદ ખાતે સ્ટેશન રોડ ઉપર મ્યુનિસિપાલિટી મથક સામે બાકરોલના શ્રી પરષોત્તમ દેવજીના આલિશાન મકાનના પ્રાંગણમાં વ્યાયામ શાળાની એક બેઠકે બેઠો હતો. મને યાદ છે તે સમયે કોઇકે ગીત કહો તો ગીત અને ભજન કહો તો ભજન...
વડીલો સહિત સહુ વાચક મિત્રો, નવમી એપ્રિલે આ ગગો આયખાનું 87મું વર્ષ પૂરું કરીને 88મા વર્ષમાં પ્રવેશ્યો છે. એટલે શું? પછી શું? આ કે આવા કોઇ સવાલના મારી પાસે જવાબ નથી. પણ હા, એટલું જરૂર કહી શકું કે જીવનને ભરપૂર જીવી રહ્યો છું. ઉંમરના આંકડાએ શરીરનું...
પશ્ચિમ બંગાળમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી જીતવા માટે કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પક્ષ થકી મરણિયા પ્રયાસ થઇ રહ્યા છે. બંગાળી ઈતિહાસપુરુષો સાથે પોતાને જોડીને તથા સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસના પ્રધાનો અને ધારાસભ્યોને પક્ષાંતર કરાવીને ભાજપ પોતાનો...
• વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે પરિવારવાદ લોકશાહી માટે ઘાતક છે માટે એને ખતમ કરો • ભાજપના શાસનના ટૂંકા ગાળામાં વંશવાદે માઝા મૂકી અને એના મિત્રપક્ષો પણ પરિવારકેન્દ્રી • રાજમાતા વિજયારાજે સિંધિયાના પરિવારમાંથી સૌથી વધુ સભ્યો મુખ્ય પ્રધાન,...
જીવનમાં અંધારા ઉલેચીને ચંદ્રની ચાંદનીથી રસાયેલા પ્રકાશના પંથે સંચરવાની પ્રેરણા ‘શરદ પૂર્ણિમા’નું પર્વ આપે છે. જ્યોતિર્મય અને અમૃત સમી શીતળ ચાંદની રેલાવતા ચંદ્રદેવ પાસે આપણી પ્રાર્થના હોયઃ તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યોર્મા અમૃતંગમય... (અંધારામાંથી...
દશેરા એટલે વિજયનું પર્વ. ન્યાય અને નૈતિકતાના આ તહેવારનું સાચું મૂલ્ય આપણે રાવણના અભિમાનનું દહન કરીને અને રામના સત્ય અને શાંતિ જેવાં પદચિહ્નો પર ચાલીને કરવું રહ્યું. આ એવું પર્વ છે જેમાં અહંકાર પર આદર્શનો વિજય, અસત્ય પર સત્યનો વિજય ખાસ મહત્ત્વ...
‘બહાર બહુ ફર્યા, હવે અંદર ફરો...’ આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત યોગગુરુ શ્રી આર.જે. જાડેજાએ આ શબ્દો તાજેતરમાં ભાવનગરમાં એક મિલન ઉત્સવમાં કહ્યા હતા. કેમ કહ્યા? કોને કહ્યા? એની જાણકારી માટે હું તમને લઈ જાઉં, કલમના સથવારે છેક 1980ના વર્ષમાં.
ચારે તરફ ઊર્જા-ઉલ્લાસ, પ્રેમ-પ્રસન્નતા, ભક્તિ-ભજનનું વાતાવરણ છે, ગીત-સંગીત-નૃત્ય ત્રણેની ત્રિવેણીને કાંઠે ગુજરાતીઓ વિશ્વમાં જ્યાં પણ વસે છે ત્યાં વિશ્વના સૌથી લાંબા નૃત્ય ઉત્સવ નવરાત્રિ અને ગરબાને માણી રહ્યા છે, ગરબા રમીને ગૌરવાન્વિત થઈ રહ્યા...
વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે યોજાયેલા ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમને લીધે અમદાવાદનું મોટેરા સ્ટેડિયમ ખુબ ચર્ચામાં આવી ગયું. એક લાખ અને દશ હજાર લોકોને સમાવવાની ક્ષમતા ધરાવતું આ સ્ટેડિયમ વિશ્વનું સૌથી...
થોડા સમય પહેલા એક સામુદાયિક કાર્યક્રમમાં જવાનું થયું. ત્યાં એક સજ્જને વાત કરતા કરતા કહ્યું કે ઇન્ડિયા જવાનો પ્લાન કરીએ છીએ પણ થોડા રસ્તા સારા બનાવો તો અમારા જેવા વૃદ્ધ લોકોને સરળતા રહે. તેમની ઉમર સિત્તેરથી વધારે તો પાક્કી જ. મેં તેમને પ્રશ્ન...
ભારતીય પ્રજા પ્રવાસ શોખીન છે. પ્રવાસે નીકળેલો ગુજરાતી યુરોપ આખું ઘૂમી વળે પણ લિસ્બનનું શિવ મંદિર ના જુએ તો હીરો ઘોઘે જઈને ડેલે હાથ દઈને પાછો ફરે તેવું થાય? ભારતમાં દરિયારસ્તે પ્રથમ આવનાર યુરોપીય પ્રજા તે પોર્ટુગીઝ. એક જમાનામાં તેમણે ખ્રિસ્તી...
ઝવેરભાઈ ૧૮૯૮માં લીમડીના દીવાન બન્યા. ૧૯૨૮ સુધી દીવાન રહ્યા. બરાબર ૩૦ વર્ષ દીવાન તરીકે નિષ્ઠાપૂર્વક રાજ્યની સેવા કરી. તેઓ નોકરીમાંથી ૭૯ વર્ષની વયે નિવૃત્ત થતાં તેમને પેન્શન મળતું હતું. તેમની નિવૃત્તિ પછી રાજ્યની નીતિરીતિ બદલાઈ. ઝવેરભાઈને ન ગમે...
શહેરીકરણ વધતું જાય છે અને તેમાં રહેનારા લોકોની સંખ્યા પણ વધતી જાય છે. ગામડાઓમાંથી સ્થળાંતરિત થઈને લોકો હવે ધીમે ધીમે નાના-મોટા શહેરોમાં વસવાટ માટે જઈ રહ્યા છે. તેનું મુખ્ય કારણ હોય છે રોજગારી. રોટલો રળવા માટે થઈને લોકોએ પોતાના ઘરબાર છોડવા પડે...
તમે ક્યારેય ધ્યાન કર્યું છે? ધ્યાન - મેડિટેશન સદીઓ જૂની ભારતીય પારંપરિક પદ્ધતિ છે જે આપણા મનને શાંત કરવા માટે, આત્મા સાથે જોડાણ સાધવા માટે, પોતાની આંતરિક સમૃદ્ધિ માટે અપનાવાતી પ્રક્રિયા છે. આજના સમયમાં ધ્યાનનું મહત્ત્વ વધી રહ્યું છે. કેટલીય...