વર્ષ 1992ની 6 ડિસેમ્બરે, સમગ્ર વિશ્વે ન્યાય મેળવવા માટે યાત્રા પર નીકળેલા બહાદુર હિન્દુઓને નિહાળ્યા. સેંકડો વર્ષોથી તેમને ન્યાય આપવાનો ઈનકાર કરાતો રહ્યો હતો. ભારત સ્વતંત્ર અને સાર્વભૌમ રાષ્ટ્ર બન્યાં પછી પણ ન્યાયનો ઈનકાર કરાતો રહ્યો. દાયકાઓ...
વંદે માતરમ્ - ‘માતાને પ્રણામ’ આ બે શબ્દોએ દેશના ઈતિહાસમાં ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આ બે શબ્દોએ દેશમાં નીડરતા અને આત્મ-બલિદાનોનો અનોખો ઈતિહાસ રચ્યો છે.
શું દિલ્હીની ઘટનાથી સમગ્ર પંજાબ કે હરિયાણાને નફરતથી જોવું ઠીક ગણાશે? જવાબ તદ્દન ‘ના’ માં જ હોઈ શકે, હોવો જોઈએ. કારણ સ્પષ્ટ છે. ખેતી વિશેના કાયદાઓ પાછા ખેંચી લેવાની લડત સમજ કે નાસમજને લીધે કરનારા માત્ર કેટલાંક સંગઠન હતાં. સંગઠનોના નેતાઓને પોતાનું...
ભારતીય પ્રજાસત્તાક દિવસ ઉજવાઇ ગયો, સંકલ્પો અને સમસ્યા છોડતો ગયો છે. તાર્કિક રીતે આ વાત સાચી હોવા છતાં દરેક દેશ, જેણે સ્વતંત્રતા માટે દીર્ઘકાલીન સંઘર્ષ કર્યો હોય અને જેણે પોતાની રાજ્યસત્તાને નાગરિકના અધિકાર અને ફરજ દર્શાવતા રાજ્ય બંધારણ માટે...
બ્રિટિશ સમાજમાં બીબીસી વિશેષ અને સૌથી પ્રતિષ્ઠિત સ્થાન ધરાવે છે. એક સમયે એમ કહેવાતું હતું કે આ તો બીબીસી (BBC)માં આવ્યું કે છપાયું છે તો પછી કોઈ પ્રશ્ન ઉઠાવાતો નહિ કારણકે બીબીસી એટલે સચ્ચાઈનું પ્રતીક. આજે આમ રહ્યું નથી. સીનિયર પત્રકાર માર્ટિન...
ઈઝરાયેલ અને ત્રાસવાદી સંગઠન હમાસ વચ્ચે ૧૧ દિવસના લોહિયાળ યુદ્ધ પછી સ્થપાયેલા વિરામની શાંતિના પગલે પેલેસ્ટાઈનવાસીઓ ઉજવણી કરી રહ્યા હોય પરંતુ, પશ્ન એ છે કે આ શાંતિ ટકાઉ હશે? ઈઝરાયેલી ડિફેન્સ મિનિસ્ટર બેની ગાન્ટ્ઝે ચેતવણી આપી જ છે કે જ્યાં સુધી...
વડીલો સહિત વાચક મિત્રો, પરમકૃપાળુ પરમાત્માની અસીમ કૃપા, અને આપ સહુના આશીર્વાદ હોય પછી જીવનમાં બીજું જોઇએ શું?! બંદો ફરી આપની સેવામાં હાજર છે. ‘ભૂલ્યા વિસર્યાના ભેરુ થાજો રે લોલ...’ શબ્દો સીધાસરળ, પણ બહુ જ અર્થસભર. સીધા દિલને સ્પર્શી જાય તેવા....
વડીલો સહિત વાચક મિત્રો, સ...મા...જ - શબ્દ સાડા ત્રણ અક્ષરનો છે, પણ સંસ્કાર-વારસો-ઇતિહાસ-કળા-પરંપરા બધેબધું સાચવી જાણે. પણ આ સમાજ બને છે કઇ રીતે? ચોક્કસ વર્ગના વ્યક્તિઓનો સમૂહ એટલે સમાજ. એક સમયે ગુફાઓ-કંદરાઓમાં રહેતા મનુષ્યનો પરિવાર જેમ જેમ વિસ્તરતો...
પશ્ચિમ બંગાળમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી જીતવા માટે કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પક્ષ થકી મરણિયા પ્રયાસ થઇ રહ્યા છે. બંગાળી ઈતિહાસપુરુષો સાથે પોતાને જોડીને તથા સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસના પ્રધાનો અને ધારાસભ્યોને પક્ષાંતર કરાવીને ભાજપ પોતાનો...
• વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે પરિવારવાદ લોકશાહી માટે ઘાતક છે માટે એને ખતમ કરો • ભાજપના શાસનના ટૂંકા ગાળામાં વંશવાદે માઝા મૂકી અને એના મિત્રપક્ષો પણ પરિવારકેન્દ્રી • રાજમાતા વિજયારાજે સિંધિયાના પરિવારમાંથી સૌથી વધુ સભ્યો મુખ્ય પ્રધાન,...
આજથી બરાબર 2902 વર્ષ પહેલાં માગશર વદ દસમ (આ વર્ષે 14 ડિસેમ્બર)ના દિવસે પ્રભુનો જન્મ થયેલો. વારાણસી નગરીમાં એ સમયે અશ્વસેન મહારાજા રાજ્યધુરા સંભાળતા હતા. એમનાં મહારાણી વામાદેવી હતાં, જેમને આજે વામામાતાના નામથી આપણે ઓળખીએ છીએ. ભગવાનના જન્મ પછીની...
હિંદુ ધર્મમાં ઉચ્ચ સ્થાન ધરાવતા ત્રણ મુખ્ય દેવ બ્રહ્મા-વિષ્ણુ-મહેશનો અંશાવતાર એટલે ભગવાન શ્રી ગુરુ દત્તાત્રેય. આ ત્રણેય દેવતાના આશીર્વાદ અને અંશથી ભગવાન દત્તાત્રેયનું રૂપ તૈયાર થયું છે. ભગવાન દત્તાત્રેયને અનેક વિશેષ નામ જેમ કે, પરબ્રહ્મમૂર્તિ,...
‘એમણે લોકકલા અને પરંપરાગત સંસ્કૃતિને નૂતન ધબકાર આપ્યો હતો...’ ‘એમણે સમગ્ર જીવન લોકકલા અને લોક સંસ્કૃતિના સંવર્ધન માટે સમર્પિત કર્યું હતું...’ ‘જોરાવરસિંહ જાદવ દ્વારા નિર્મિત ‘વિરાસત’ સંગ્રહાલય યુવાપેઢી માટે ચેતનાનું કેન્દ્ર બનશે...’ ‘એમની સંશોધન...
વિક્રમ સંવત 2082ના વર્ષનો આરંભ થઈ ચુક્યો છે. નૂતન વર્ષ, કારતક સુદ એકમનો દિવસ આપણે સહુએ એકબીજાને રૂબરૂ - ટેલિફોન – સોશીયલ મીડિયાના માધ્યમથી HAPPY NEW YEAR, સાલ મુબારક કહીને ઉજવ્યો. મોડી રાત્રી થઈ ચુકી છે અને નવા વર્ષનો આ પ્રથમ લેખ લખવા સહજ ઉત્સાહ...
વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે યોજાયેલા ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમને લીધે અમદાવાદનું મોટેરા સ્ટેડિયમ ખુબ ચર્ચામાં આવી ગયું. એક લાખ અને દશ હજાર લોકોને સમાવવાની ક્ષમતા ધરાવતું આ સ્ટેડિયમ વિશ્વનું સૌથી...
થોડા સમય પહેલા એક સામુદાયિક કાર્યક્રમમાં જવાનું થયું. ત્યાં એક સજ્જને વાત કરતા કરતા કહ્યું કે ઇન્ડિયા જવાનો પ્લાન કરીએ છીએ પણ થોડા રસ્તા સારા બનાવો તો અમારા જેવા વૃદ્ધ લોકોને સરળતા રહે. તેમની ઉમર સિત્તેરથી વધારે તો પાક્કી જ. મેં તેમને પ્રશ્ન...
ભારતીય પ્રજા પ્રવાસ શોખીન છે. પ્રવાસે નીકળેલો ગુજરાતી યુરોપ આખું ઘૂમી વળે પણ લિસ્બનનું શિવ મંદિર ના જુએ તો હીરો ઘોઘે જઈને ડેલે હાથ દઈને પાછો ફરે તેવું થાય? ભારતમાં દરિયારસ્તે પ્રથમ આવનાર યુરોપીય પ્રજા તે પોર્ટુગીઝ. એક જમાનામાં તેમણે ખ્રિસ્તી...
ઝવેરભાઈ ૧૮૯૮માં લીમડીના દીવાન બન્યા. ૧૯૨૮ સુધી દીવાન રહ્યા. બરાબર ૩૦ વર્ષ દીવાન તરીકે નિષ્ઠાપૂર્વક રાજ્યની સેવા કરી. તેઓ નોકરીમાંથી ૭૯ વર્ષની વયે નિવૃત્ત થતાં તેમને પેન્શન મળતું હતું. તેમની નિવૃત્તિ પછી રાજ્યની નીતિરીતિ બદલાઈ. ઝવેરભાઈને ન ગમે...
થોડા સમય પહેલા નેટફ્લિક્સ પર નવી ફિલ્મ આવી છે: BRICK (બ્રિક) - એટલે કે ઈંટ. આ ફિલ્મમાં અચાનક જ એક યુગલના ઘરની બહાર ઇંટની દીવાલ આવી જાય છે. દરવાજા, બારીઓ અને દીવાલ - બહાર નીકળવાનો દરેક માર્ગ ઈંટની દીવાલથી બંધ થઇ જાય છે. અને આ ઈંટ જેવી તેવી નથી....
દરેક વ્યક્તિ પાસે એક અજબ શક્તિ છે - કલ્પનાશક્તિ. આ કલ્પનાશક્તિ જ માણસને વૈવિધ્યને સમજવાની, તેને માણવાની શક્તિ આપે છે. જે વ્યક્તિની કલ્પના ખીલેલી હોય તે હંમેશા ખુશ રહે છે. હાથમાં ચાનો કપ લઈને બેઠા બેઠા જ તે માણસ અમેરિકા ફરી આવે, ચંદ્ર પર ચક્કર...